________________
૨૫૪
વાત કરી તો એણી કહે “આ કાચ કાટગોલમાં જિનમંદિરમાં લગાવી દે.” બાબુએ એમ કરવા દ્વારા માતાની અને જિનેશ્વરની ભક્તિનો લહાવો લીધો. એ ગ્લાસ વાસ્તવિક ૨૦ લાખની કિંમતના હતા. આજે પણ આ જિનાલયમાં કાચનાં બારણાં વિદ્યમાન છે. જિનભક્તિપ્રિય-માતૃભક્ત ઉદારદિલ એ શ્રાવકનુંતો વડોદરા ગયા. તો અહીં અણસમજ-અભણ આદિવાસીઓએ શુભ નામ બાબુ લક્ષ્મીપતિસિંહજી.
સ્વપ્ન શિલ્પીઓ સરકારી પોલિસ તો હતી જ, પણ સત્તાનો ઉપયોગ નહીં કરવાની સૂચના–વાળી. એઓ જીપમાં બેસીને રવાના થાય એ વખતે જ ઉપરી અધિકારીનો ફોન સંદેશો આવ્યો. એમને સંદેશા મુજબ વડોદરા જવાનું થયું. કામગીરી નીચેના સ્ટાફને સોંપી એ
દૃઢ પ્રણિધાનની જબ્બર તાકાત
ટેકરી પર આવી રહેલા સરકારી માણસોને ટેકરી પરથી જ ભયંકર પત્થરમારો કર્યો, નીચેના સ્ટાફના મુખ્ય અધિકારીને આનાથી ખૂબ જ ઈજા થઈ–એઓ મોતના મુખમાંથી માંડ માંડ બચ્યા પણ ત્રણ મહિના સુધી પથારીવશ રહી ઘણી શારીરિક વેદનાનો ભોગ બન્યા...મુખ્ય અધિકારી એક્ઝિક્યુટિવ ઇજનેરને આ સંકટમાંથી આબાદ બચાવ મળ્યો.
હમણાં એક સત્ય હકીકત વાંચવામાં આવી. સૌરાષ્ટ્રના એક મોટા શહેરમાં એક ૫૫ વરસના ભાઈ રહે. એમને જોરદાર હાર્ટએટેક આવ્યો. બે માસની બિમારી રહી. એમને જીવનદાન મળી ગયું. સાજા થયા પછી એમને દુનિયાના સર્વશ્રેષ્ઠ જંગમ તીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજને ભેટવાની ભાવના થઈ. કૃતજ્ઞ છોકરાએ સમસ્ત પરિવાર સહ પિતાજીને શત્રુંજયની જય તળેટીએ લાવીને મૂક્યા. પુત્ર ડોળીની વ્યવસ્થા ગોઠવતો હતો તો એમણે ના પાડી. જન્મ ભલે વખણાતો હોય મહાવિદેહનો પણ મરણ તો શત્રુંજયનું જ પ્રશંસનીય ગણાય છે.” પિતાના જવાબમાં તીર્થયાત્રાના દેઢ પ્રણિધાનનો ટંકાર હતો. એમણે જાતે જ સવારના છ વાગે ગિરિરાજ ઉપર ચંડવાનું શરૂ કર્યું હતું અને બપોરે ત્રણ વાગે એ ભાઈ યાત્રા કરીને નીચે આવ્યા. પછીથી એ યાત્રામાં જામી ગયા. એઓ ટુકડે ટુકડે ૩૬ વખત ચાલીને, ખુલ્લા પગે ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી શત્રુંજયના દાદાને ભેટ્યા. આ છે દૃઢ સંકલ્પ બળનું પરિણામ. મનસ્વી કાર્યાર્થી સુખની કે દુઃખની પરવા કરતો નથી. દરિયામાં ડૂબકી મારનારને મોતી મળે, કાંઠે રહેલાના ભાગ્યમાં તો છીપલાં જ હોય ને!
આ છે ધર્મનો પ્રત્યક્ષ પ્રભાવા
એક જિલ્લા કક્ષાના જાહેર બાંધકામ અધિકારી અર્થાત્ એક્ઝિક્યુટિવ એન્જિનિયર નર્મદા પ્રોજેક્ટમાં કામ કરે. પ્રોજેક્ટના કારણે ગામોની એક સ્થાનથી બીજે સ્થાન પુનર્વસવાટની કામગીરી કરે. આદિવાસી-અભણ જંગલી પ્રજા સાથે કામ પડવાના પ્રસંગોમાં ખૂબ સાવધાની રાખવી પડે, નહીંતર જાનનું જોખમ પણ થઈ જાય.
એક વખત આદિવાસી લોકોએ અણહકના સરકારી પતરાં લઈ લીધેલાં એ પાછાં મેળવવાની બહુ જ જોખમી કામગીરી એમના શિરે આવી. પોતાની કચેરીથી નાવમાં બેસી દૂરની ટેકરી પર ચઢીને આ કામ બજાવવાનું હતું. સાથે
Jain Education International
એ અધિકારીને બીજા એક પ્રસંગમાં સવારે સાડા છ વાગે આ જ પ્રકારની કામગીરી માટે જવાનું હતું. નિત્ય જિનવર પૂજન વગર મોઢામાં પાણી પણ ન નાખવાની સતત કાળજીવાળા તેઓ સાડા આઠ વાગે તૈયાર થઈ સ્થળ ઉપર પહોંચ્યા. સાથે જ ગામના સરપંચને લઈને ગયા-અહીં સાડા છ વાગે આવેલા સ્ટાફ વગેરેને આદિવાસી લોકો સાથે ખૂબ શારીરિક ઝપાઝપી વગેરે ચાલતું હતું. સરપંચની મદદથી અને આ અધિકારીની કુનેહથી તોફાન શાંત થઈ ગયું. પ્રસંગ પર મોડા આવવા માટે આ અધિકારીના વિરોધમાં પત્રવ્યવહાર થયો તો બુદ્ધિથી સારી રીતે કામ પાર પાડનાર આ અધિકારીને ઉપરના અધિકારીથી ઊલટાનો સારો જશ મળ્યો.
એક ત્રીજા પ્રસંગમાં આવી જ કોઈ કામગીરી પ્રસંગે એક મદિરાપાનથી બેભાન બનેલા આદિવાસી માણસે એમને ૨૦ કિલો જેટલા વજનનો પત્થર ઉપાડી મરણોન્મુખ કરવા તૈયાર થયેલો. એ જ વખતે આ આદિવાસીના સહોદર ભાઈએ એને આ કાર્ય કરતાં અટકાવ્યો. અધિકારીશ્રીને આબાદ બચાવ મળ્યો.
દરરોજ બે ટાઇમ પ્રતિક્રમણ, સામાયિક, જિનપૂજા, ચોવિહાર, નવકારશી, ઉકાળેલા પાણીનું પાન આદિ સુકૃતવાળા આ અધિકારી જૈન શ્રાવક ભારે દયાળું અને એટલે જ પોતાની સત્તાની મર્યાદામાં રહી આદિવાસીઓને અનેક પ્રકારની જમાડવા વગેરેની સગવડતા–બીજી સહાય કરવાની વૃત્તિવાળા અને એટલે જ સમજદાર આદિવાસીઓ એમને ‘ભગવાન' જેવા સમજી એમને અનેક રીતે અનુકૂળ બનતા હતા અને એથી જ આ અધિકારીની ક્રામગીરી કંટકરહિત અને યશસ્વી બનતી હતી. સહાયનો સંપૂર્ણ યશ આ શ્રાવક દેવ-ગુરુની અચિંત્ય કૃપા અને ધર્મના પ્રભાવને જ આપવાનું હોંશે હોંશે કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org