________________
સ્વપ્ન શિલ્પીઓ
શિક્ષણસમર્પિત
શ્રીમતી ઉષાબહેન જાની શ્રી ગુલાબભાઈ જાની
ગુજરાતના શિક્ષણજગતની અરૂંધતી અને વસિષ્ઠ સમાન બેલડી એટલે રાજકોટની સુવિખ્યાત શિક્ષણસંસ્થા સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ અને સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર તથા પ્રિન્સિપાલ ડી. પી. જોશી પબ્લિક લાઇબ્રેરીનાં સંસ્થાપકો શ્રીમતી ઉષાબહેન જાની અને શ્રી ગુલાબભાઈ જાની. સમગ્ર શિક્ષણજગતમાં જાણીતું આ જાની દંપતી' એટલે સમર્પણ, નિષ્ઠા, પ્રયોગશીલતા અને તેજસ્વિતાનો પર્યાય.
સંસ્કૃતના પ્રકાંડ પંડિત પ્રિન્સિપાલ ડી. પી. જોશી અને સંગીત કળાનાં ઉપાસક શ્રીમતી રમાબહેનનાં દ્વિતીય સંતાન ઉષાબહેન. ઘરનું વાતાવરણવિદ્યાલક્ષી, અધ્યાત્મલક્ષી અને સંસ્કારિતાથી સભર. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ સુરતની આઈ.પી. મિશન સ્કૂલથી થયો. પિતાજી સુરતથી રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આવતા બાકીનો પ્રાથમિક શાળાનો અભ્યાસ રાજકોટની આઈ.પી. મિશન સ્કૂલમાં પૂર્ણ કર્યો. માધ્યમિક શિક્ષણ વનિતા વિશ્રામ, રાજકોટમાં લીધું, જ્યારે કૉલેજ–શિક્ષણ ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટ અને શામળદાસ કૉલેજ, ભાવનગરમાં લઈ, સમાજશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયાં. આગળ અર્થશાસ્ત્રના વિષય સાથે એમ.એ. અને બી.એડ્. થયાં. માધ્યમિક અને કૉલેજ અભ્યાસ દરમિયાન સાહિત્ય, વક્તૃત્વ અને રમતગમતની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રીતે ભાગ લેતાં અને સ્પર્ધાઓમાં વિજેતા થતાં. કિશોરી ઉષાબહેને માતાની છત્રછાયા ગુમાવી. પરંતુ
Jain Education International
૨૪૫
પિતાએ તેમને માતાની ખોટ ક્યારેય લાગવા ન દીધી. પિતાએ વારસામાં કેળવણી, વાચન અને પુસ્તકપ્રેમ આપ્યાં. પોતાની અધ્યાપક તરીકેની કારકિર્દીનો પ્રારંભ ઉષાબહેને દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલય, અલિયાબાડામાં અર્થશાસ્ત્રનાં અધ્યાપિકા તરીકેની સેવાઓથી કર્યો, પરંતુ નિશ્ચય કર્યો આજીવન વિદ્યાર્થીની બની રહેવાનો.
ગુલાબભાઈ ધર્મેન્દ્રસિંહજી કૉલેજની સરકારી નોકરી છોડી પ્રિન્સિપાલ હરસુખભાઈ સંઘવીની સાથે સર્વોદય કેળવણી સમાજની વિરાણી આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજમાં જોડાયા. ગાંધીવિચારથી રંગાયેલા અને શિસ્તના આગ્રહી પ્રાધ્યાપક ગુલાબભાઈએ કૉલેજના વિદ્યાર્થીઓને ખાદીનો ગણવેશ પહેરતાં કર્યા.
ઉષાબહેન તથા ગુલાબભાઈ કૉલેજમાં સહાધ્યાયી હતા ત્યારે સાથે બેસીને વાંચેલા નોર્મન કઝીન્સના પુસ્તક ‘વી ટુ ગેધર'ની બુનિયાદ પર સાથીમાંથી જીવનસાથી બન્યાં. ગાંધીજીએ પ્રબોધેલી સાદાઈથી લગ્નવિધિ સંપન્ન થયો. બંનેએ વ્રત લીધું, આજીવન આભૂષણ ન પહેરવાનું અને સદ વીર્યમ્ વાવÈ । ના મંત્ર સાથે કૉલેજમાં સાથે બેસીને સેવેલાં સપનાંઓ સાકાર કરવા કૃતિશીલ થયાં.
જાની દંપતી પ્રારંભથી જ ગાંધીજી, વિનોબા, શ્રી શ્રીમા શારદામણિદેવી, પૂ. રામકૃષ્ણદેવ અને વિવેકાનંદજીના વિચારોથી રંગાયેલા. રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી આત્મસ્થાનંદજીના પ્રેમાગ્રહથી તેઓ આશ્રમનાં દીક્ષિત થઈ ચૂક્યાં હતાં. ૧૯૬૭માં સિસ્ટર નિવેદિતાની જન્મશતાબ્દી ભારતભરમાં ઊજવાઈ રહી હતી ત્યારે ઉષાબહેન અને ગુલાબભાઈએ કૉલેજોમાં સિસ્ટર નિવેદિતાના પ્રદાન અંગેનાં વ્યાખ્યાનો ઉત્સાહભેર યોજ્યાં. કૉલેજમાં સુંદર કામ કરવા બદલ પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજીએ અભિનંદન આપ્યાં અને સાથોસાથ કૉલેજ–શિક્ષણને બદલે સિસ્ટર નિવેદિતાની જેમ બાળશિક્ષણ અને મહિલા–ઉત્કર્ષનું પાયાનું કામ હાથ ધરીને સાચી અંજલિ આપવા પ્રેરક સૂચન કર્યું. સ્વામીજીના આદેશનો સ્વીકાર કરી બન્નેએ કૉલેજ–યુનિવર્સિટીની લાભપ્રદ અને એશોઆરામવાળી ઉચ્ચ કારકિર્દીનો ત્યાગ કરવાનો અસામાન્ય નિર્ણય લીધો અને ૧૯૬૮માં સિસ્ટર નિવેદિતા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. રામકૃષ્ણનગરના પોતાના વિદ્યાર્થીઓની સંખ્યાથી સિસ્ટર નિવેદિતા
ઘરમાં
૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org