________________
સ્વપ્ન શિલ્પીઓ
ભાવનાને કારણે સૌના પ્રીતિપાત્ર બની ગયા અને પ્રકાશમાં આવ્યા. ગોંદિયાની મહાનગરપાલિકામાં સાત વર્ષ મેમ્બર તરીકે અને પછી ત્રણ વર્ષ અધ્યક્ષપદે રહેલા. મોગરીવાળા મેસર્સ ચતુરભાઈ ભાઈલાલભાઈ પટેલ એન્ડ કું.માં તેમના પિતાશ્રી ભાગીદાર હતા. કાળાન્તરે કંપનીનું વિભાજન થયું. આજે આ ધંધામાં તેમની પેઢી ટોચનું સ્થાન ધરાવે છે.
ધંધાકીય પ્રવૃત્તિમાં જેટલો રસ એટલો જ બલ્કે વિશેષ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિમાં રસ લેતા રહીને સમાજસેવાને ક્ષેત્રે યશસ્વી પ્રદાન અર્પણ કરી રહ્યા છે. તેઓએ સ્થાપેલી બુકબેંક પ્રવૃત્તિમાં ૫૦૦૦થી વધુ બાળકોને પુસ્તકમદદ તથા શિષ્યવૃત્તિઓ દ્વારા મદદરૂપ થતાં રહ્યા છે. લાયન્સ ક્લબ ઓડ તરફથી પણ તેમને સારું એવું માનપત્ર મળ્યું હતું. ભરોડા હાઈસ્કૂલનો રજતજયંતિ મહોત્સવ તેમના અધ્યક્ષપદે ઊજવાયો હતો. ગોંદિયા જિલ્લાના ચિરચાડબાંધ ગામે હરિહરભાઈના નામે હાઇસ્કૂલ તથા જૂનિયર કોલેજ ચાલે છે. અદાસી ગામમાં પણ તેમના નામે હાઇસ્કૂલ ચાલે છે. સોની ગામમાં પણ તેમના પિતાશ્રી મણિભાઈ ઈશ્વરભાઈ પટેલને નામે હાઇસ્કૂલ તથા જુનિયર કોલેજ ચાલે છે. યુવા કોંગ્રેસ ગોંદિયાના અધ્યક્ષપદે વર્ષો સુધી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસના સક્રિય સદસ્ય રહ્યા છે. તેમનાં માતુશ્રી સ્વ.પૂ. ચંચળબહેન મણિભાઈ પટેલના પુણ્ય સ્મરણાર્થે તેઓ બધા ભાઈઓએ ગામ ઓડને આશીર્વાદ નામે વાડી બાંધી આપી. ગામલોકો અને આસપાસની જનતા માટે ખરેખર આશીર્વાદરૂપ કામ કર્યું.
ગુજરાતી કેળવણી મંડળ ગોદિયામાં હાલ ટ્રસ્ટીમંડળના સચિવ, રેલ્વે એડવાઇઝરી બોર્ડના સદસ્ય અને બજરંગ વ્યાયામ શાળાના છેલ્લાં ચોવીશ વર્ષથી પ્રમુખ છે. આમ સમાજજીવનના તમામ ક્ષેત્રે મોખરે છે. સમાજના પ્રત્યેક નાનાં મોટા પ્રસંગો અને ઉત્સવોમાં આગેવાની ભર્યો ભાગ લીધો છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવ તાલુકામાં આવેલા ગામ ગિધાડીમાં પણ તેમનાં માતુશ્રી ચંચળબહેન મણિભાઈ પટેલ હાઇસ્કૂલ અને જુનિયર કોલેજ ચાલે છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવમાં પણ ઇન્દિરાબહેન હરિભાઈ પટેલ વિજ્ઞાન વિદ્યાલય (સાયન્સ કોલેજ) ચાલે છે.
નગર દુર્ગાઉત્સવ સમિતિના દુર્ગાચોક ગોંદિયાના પાંત્રીશ વર્ષથી અધ્યક્ષ છે. ૧૯૯૦થી ૧૯૯૪ સુધી પાંચ વર્ષ મહારાષ્ટ્રવિધાનસભામાં ગોંદિયા ધારાસભ્ય તરીકે સેવા આપી છે,
શ્રી હરિહરભાઈ પટેલે તેમનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે સમર્પિત કરેલું છે. તેઓ દીર્ઘ કાળ સુધી આમ જનતાના સાચા પ્રતિનિધિ બની રહ્યા. શહેર ગોંદિયા અને રાજ્ય મહારાષ્ટ્રની આબાદી માટે અને લોકોની સુખાકારી માટે એમણે અથાગ પ્રયત્નો કર્યા છે. તેમનું પ્રદાન ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ રહ્યું છે.
Jain Education International
૨૪૧
બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં તેઓ લોકપ્રિય બન્યા છે, તેમના વ્યક્તિત્વમાં રહેલાં સરળતા, નિષ્પક્ષતા, પ્રામાણિક્તા જેવા ગુણો પ્રેરણાદાયી બની રહ્યા છે.
શ્રી દિનેશચંદ્ર દ્વારકાદાસ સરવૈયા
સૌરાષ્ટ્રમાં ઉમરાળા પાસે બજુડ ગામના તા. ૨૫-૬૩૨ના રોજ સિકંદરાબાદ (દક્ષિણ) જન્મ થયો. સેવા અને સમર્પણના ઉચ્ચ ગુણોથી ઓપતું અનેરું વ્યક્તિત્વ ધરાવનાર પ્રતિભાસંપન્ન શ્રી દિનેશચંદ્ર દ્વારકાદાસ સરવૈયા, જન્મભૂમિ સિકંદરાબાદમાં B. Com. સુધીનું શિક્ષણ લઈ C.A. નો કોર્સ હાથ ધર્યો. શૈક્ષણિક કારકિર્દી હોવા છતાં તેમના પિતાશ્રી દ્વારકાદાસભાઈ સરવૈયાની નાદુરસ્ત તબિયતના કારણે રંગ તથા કેમિકલના ધંધામાં જોડાયા અને બોમ્બે કલર એજન્સીમાં ધંધો ધપાવ્યો.
અભ્યાસકાળથી જ આપનામાં નેતૃત્વ અને સેવાના ગુણો હોવાથી જ્યાં તેઓ ગુજરાતી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી હતા તે જ સંસ્થાના આગળ જતા પ્રથમ વિદ્યાર્થી હતા તેઓ સંસ્થાના માનદ્ મંત્રી બન્યા અને ખૂબ જ સફળતાપૂર્વક વહીવટ કર્યો. સેવામંડળમાં ગેસ્ટહાઉસ, સાર્વજનિક હોલ વ. સ્થાપવામાં સિંહફાળો રહ્યો.
શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સફળ નેતૃત્વથી અને સુંદર વહીવટકર્તા તરીકે નામના પ્રાપ્ત કર્યા બાદ, વેપારી આલમના પ્રશ્નોને વાચા આપવા સિકંદરાબાદમાં ડાઇઝ અને કેમિકલ મરચન્ટ એસોસિએશનની સ્થાપના કરી. સેલ્સટેક્સના પ્રશ્ન આંધ્ર સરકાર સાથે સંઘર્ષ કરી સફળ નેતૃત્વ કરી બહુમાન પ્રાપ્ત કર્યું.
અનેક ક્ષેત્રે યોગદાન હોવાથી લાયન્સ ક્લબ સિકંદરાબાદમાં ચાર્ટર્ડ સભાસદ તરીકે નિયુક્ત થયા.
મુંબઈ ખાતે પણ જ્ઞાન, અનુભવ અને કુશળ નેતૃત્વનો લાભ તેમની જ્ઞાતિ શ્રી ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિ, મુંબઈને મળ્યો. જ્ઞાતિની વિવિધ પ્રવૃત્તિમાં તન-મન અને ધનથી તેમનું યોગદાન રહ્યું. જ્ઞાતિના ટ્રસ્ટી, વાઇસ ચેરમેન, ચેરમેન તથા પ્રમુખ તરીકે રહી આપના વિશાળ અનુભવ, સફળ સંચાલન અને વહીવટી કુનેહનો લાભ જ્ઞાતિને મળ્યો. જ્ઞાતિજનો માટે સંવેદનશીલ કર્તવ્યપરાયણ, સ્પષ્ટ વક્તા, ત્વરિત નિર્ણયશક્તિ ધરાવનાર અને બૌદ્ધિક સુકાની તરીકે આપે સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org