________________
૨૩૪
વતન સુરતમાં. અભ્યાસ મુંબઈમાં. ૧૮૬૮માં એલ.એલ.બી. થયેલા.
વડી અદાલતમાં પહેલા ગુજરાતી વકીલ. નર્મદના ‘ડાંડિયો’નું નામકરણ કરનાર. ‘મહારાજ લાયબલ કેસ'માં નર્મદના વકીલ તરીકેની કામગીરી કરી. ‘ગુલાબ’ પાંચ અંકનું નાટક છે.
(૮૫) ગુજરાતી નાટ્યસાહિત્યની શરૂઆત કરનાર : કવિ દલપતરામ- તેમણે એરિસ્ટોફેનિસના ભાષાંતર ‘લક્ષ્મીનાટક' (૧૮૫૧) અને ‘સ્ત્રીસંભાષણ’ (૧૮૫૬)થી કરેલી પરંતુ—
(૮૬) ગુજરાતી ભાષાનુ (રૂપાંતરિત) સૌ પહેલું સફળ રંગમંચલક્ષી પ્રહસન-‘ભટ્ટનું ભોપાળું' (૧૮૬૭) : નવલરામ લક્ષ્મીરામ પંડ્યા. (વધુ વિગત માટે આ લેખમાં અન્યત્ર જુઓ.) ફ્રેન્ચ પ્રહસનકાર મોલિયર નાટકના ફિલ્ડિંગે કરેલા અંગ્રેજી ભાષાંતર ‘મોક ડૉક્ટર'નું ગુજરાતી રૂપાંતર છે જેમાં એક કન્યાના વૃદ્ધ આદમી સાથેના લગ્ન અટકાવી કન્યાના પ્રિયપાત્ર સાથે લગ્ન યોજવાનું ધ્યેય રાખતી નાટકની સ્થિતિને ગુજરાતી પિરવેશમાં રૂપાંતિરત કરી છે.
(૮૭) ગુજરાતી નાટ્યસાહિત્યનું પહેલું પ્રહસન ‘મિથ્યાભિમાન' (૧૮૭૧) લખનાર કવિ દલપતરામ હતા. તેમના આઠ અંક અને પંદર પ્રવેશના પ્રહસનમાં સંસ્કૃત નાટક, પાશ્ચાત્ય રંગભૂમિ અને તળપદા ભવાઈ અંશોની શૈલીની ગૂંથણી દ્વારા સાહિત્યિક ગુણવત્તા અને તખ્તાલાયકીને કારણે યાદગાર નાટકમાં આંધળા જીવરામ ભટ્ટ પરણેતર જમનાને તેડવા સાસરે જતાં પોતાના જ્ઞાન, કુળ અને પૈસાના મિથ્યાભિમાનને લીધે કઈ રીતે કમોતને પામે છે તે વસ્તુને વણી લીધી છે.
(૮૮) ગુજરાતી ભાષાનું પહેલું કરુણાન્ત નાટક ‘લલિતાદુઃખદર્શક' છે, લેખક હતા દવે રણછોડભાઈ ઉદયરામ.
કજોડાના લગ્નની અવદશાનો ઉપદેશ આપતું આ નાટક મુંબઈમાં મહેતાજીઓએ ભજવેલું ત્યારથી ગુજરાતી નાટકની મંડળીની સ્થાપના થયેલી અને પછી રણછોડભાઈ પણ પારસી રંગભૂમિથી અલગ ફંટાયા એ જોતાં રંગભૂમિના ઉદ્ભવવિકાસના સંદર્ભમાં પણ આ નાટક ઐતિ. મૂલ્ય ધરાવે છે.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ (૮૯) ભટ્ટ ગણપતરામ રાજારામ (૧૮૪૮૧૯૨૦) લિખિત પ્રતાપ નાટક' (૧૯૧૭)ની વિશેષતા એ હતી કે આ નાટકના જાહેર વાચનવેળા હજારો શ્રોતાની હાજરી રહેતી.
તેમનું વતન આમોદ (જિ. ભરૂચ)માં. જન્મ અમદાવાદ પાસે મોસાળના ઝાણું ગામે. વ્યવસાયે શિક્ષક હતા.
(૯૦) મહેતા પ્રતાપરાય ગિરધરલાલ (અ. ૧૯૭૧) ‘રાજસ્થાન લલિતકળા અકાદમી'ના પ્રથમ અધ્યક્ષ બનેલા. આ ગુજરાતી કવિ અને ઉદ્યોગપતિને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ તરફથી ‘રાજરત્ન’ અને ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’નો ખિતાબ મળેલો.
(૯૧) ‘ગુજરાતી શબ્દકોશ' રચવાનો પ્રથમ વિચાર અને પ્રારંભ કરનાર કોશ સાહિત્યન પ્રચ્છન્ન પ્રારંભક' માસ્તર દલપતરામ ભગુભાઈતેમના પ્રારંભના આધારે પછીથી મિરઝા મહમ્મદ કાઝિમ અને નવરોજજી ફરદૂનજીએ ‘અ ડિક્શનરી-ગુજરાતી એન્ડ ઇંગ્લીશ (૧૮૪૬) શબ્દકોશની રચના કરેલ.
(૯૨) સાહિત્યસમ્રાટ મુનશી કનૈયાલાલ માણેકલાલ-‘ઘનશ્યામ વ્યાસ' (૧૮૮૭–૧૯૭૧) : નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર. જ ભરૂચમાં. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો અને ૧૯૨૨મ ‘ગુજરાત’માસિકનો પ્રારંભ. મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન (૧૯૩૭), દેશની બંધારણસભાના સભ્ય (૧૯૪૮), પછીર્થ કેન્દ્રના કૃષિપ્રધાન, ૧૯૫૨ની ચૂંટણી પછી ઉ.પ્રદેશન રાજ્યપાલ. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના અંગ્રેજીમાં પણ ચાળીસેક ગ્રંથો આપ્યાં છે.
(૯૩) ફ્રેંચ કથાના અંગ્રેજી અનુવાદ પર આધારિત અને ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથ ગણાયેલી-‘હિંદુસ્તાન મધેનું ઝૂંપડું' (૧૮૬૨). કર્તામુનસફના સોરાબશા દાદાભાઈ હતા. (જો કે ખરા અર્થમ ગુજરાતી ભાષામાં પ્રથમ લખાયેલ નવલકથા ‘કરણઘેલો’મહેતા નંદશંકર તુળજાશંકર લિખિત−ગણાય છે.) ‘કરણઘેલો’ કરતા ચાર વર્ષ પૂર્વે લખાઈ હોવાને કારણે અર્વાચીન ગુજરાતીની પહેલી ગદ્યાત્મક વાર્તાકૃતિ એમ પણ સંદર્ભ અપાય છે. વિસરાયેલી આ કૃતિનું સંપાદન મધુસૂદન હી પારેખે કરેલું.
For Private & Personal Use Only
www.jainelibrary.org