________________
સ્વપ્ન શિલ્પીઓ
આવરી લીધી છે. ગુજરાતી સાહિત્યના પારસી લેખકોનો પણ તેમાં પરિચય છે. પારસીઓ ગુજરાતી ગણાય છે તેથી આ ગ્રંથ પારસીઓના સાહિત્યિક પ્રદાનને સમજવા ઘણો ઉપયોગી છે.
(૭૬) ગુજરાતી મુદ્રણના જનક : (કોટ વિસ્તાર) મુંબઈમાં સૌ પ્રથમ ગુજરાતી છાપખાનાનો પ્રારંભ કરનાર મર્ઝબાન ફરદૂનજી (૧૭૮૭, ૧૮૪૭)જન્મ સુરતમાં. ગુજરાતી, ફારસી, સંસ્કૃતનો અભ્યાસ. કવિ, અનુવાદક હતા.
(૭૭) મર્ઝબાન ફદૂનજીનું ‘મુંબઈ સમાચાર' (પ્રારંભ ૧૮૨૨) ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં હોય તેવાં ભારતભરનાં દૈનિકોમાં જૂનામાં જૂનું છે.
(૦૮) અંગ્રેજીના સમર્થ પત્રકાર મલબારી બહેરામજી મહેરવાનજી (૧૮૫૩-૧૯૧૨). કવિ, ગદ્યકાર, સુધારક. જન્મ વડોદરામાં. ફક્ત મેટ્રિક પાસ હોવા છતાં પણ સફળ પત્રકાર. ૧૮૭૯થી મૃત્યુ સુધી ‘ઇન્ડિયન સ્પેક્ટેટર'ના તંત્રી. ‘વોઈસ ઓવ ઇન્ડિયા' પત્ર દ્વારા પ્રજાસેવા અને સુધારાવાદી વિચારો વ્યક્ત કરેલ. ૧૯૦૧માં ઇસ્ટ એન્ડ વેસ્ટ’ માસિકની શરૂઆત. તેમણે ‘ગુજરાત એન્ડ ધ ગુજરાતીઝ' તથા યુરોપયાત્રા (૧૮૯૦)નું ઇન્ડિયન આઈ ઓન ઈગ્લિશ લાઇફ' લખ્યાં છે.
(૭૯) મુંબઈના પહેલા હિંદી મ્યુ. કમિશનર (૧૯૨૨) બનનાર : મસાની રૂસ્તમજી પેસ્તનજી‘દિલફરોઝ' (૧૮૭૬-૧૯૬૬) : જ. મુંબઈ. ૧૮૯૭માં ‘ગપસપ’ના અધિપતિ. ૧૮૯૯માં ક્યસરે હિંદ'ના અંગ્રેજી વિભાગના તંત્રી, ત્યારબાદ ઇન્ડિયન સ્પેક્ટેટર'ના તંત્રી. ૧૯૨૨માં મુંબઈના પહેલા હિંદી મ્યુ. કમિશનર બન્યા. ૧૯૩૯થી ૧૯૪૨ સુધી મુંબઈ યુનિ.માં વાઇસ ચાન્સેલર રહ્યા. તેમણે ગુજરાતીમાં કેટલાક ગ્રંથો ઉપરાંત ‘ફોક્લોર ઓવ વેલ્સ' ઉપરાંત દસેક અંગ્રેજી પુસ્તકો લખ્યાં છે.
(૮૦) ‘મહાદેવભાઈની ડાયરી' પુ. ૧ થી ૧૫, મહાત્મા ગાંધીજી અંગે વિપુલ સામગ્રી આપતી વિશિષ્ટ રોજનીશી: (મહાદેવભાઈ-જ. ૧૮૯૨, માં, અ.૧૯૪૨) તેઓ ગાંધીજીના રહસ્યમંત્રી હતા. પ્રમાણમાં ઓછા ખેડાયેલા ગુજરાતી ડાયરી સાહિત્યમાં તેમનું પ્રદાન મૂલ્યવાન ગણાય છે.
(૮૧)
નાટ્યકલાના વિશ્વવિખ્યાત વિદ્વાન
Jain Education International
૨૩૩
અને લેખક : ચં. ચી. મહેતા—મહેતા ચંદ્રવદ ચીમનલાલનો જન્મ ૧૯૦૧માં સુરતમાં. કવિ, નાટ્યકાર આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક, મુંબઈ-અમદાવાદમાં ‘આકાશવાણી’ના નિયામક, પછીથી મ.સ. યુનિ. અને ગુજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન. અનેક દેશોની નાટ્યશાળાઓની અને સમકાલીન નાટ્યપ્રવૃત્તિ અને તેમાં જોડાયેલ વ્યક્તિઓના બહોળા પરિચયમાં રહ્યા. તેમણે ૧૮ વર્ષની મહેનતથી તૈયાર કરેલ અંગ્રેજી ગ્રંથ ‘બિબ્લિઓગ્રાફી ઓવ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેઝિસ'-ભા. ૧, ૨ (૧૯૬૪, ૧૯૬૫) નાટ્યસંશોધનનો ગ્રંથ છે જેણે યુરોપમાં નાટ્યક્ષેત્રે તેમને નામના અપાવી. એમાં ૧૯મી-૨૦મી સદીમાં ભારતમાં ભજવાયેલાં–લખાયેલાં નાટકોની વર્ષ-કર્તા–પાત્ર પ્રમાણે યાદી આપેલી છે.
ચં. ચી. મહેતાએ ‘અખો’ (૧૯૨૭), ‘આગગાડી’ (૧૯૩૩), ‘નર્મદ’ (૧૯૩૭), ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ (૧૯૩૭), ધરાગુર્જરી’ (૧૯૬૮) જેવા ૨૯ જેટલા નાટ્યગ્રંથો અને ૧૧ જેટલા નાટ્યવિવેચનના ગ્રંથો આપ્યાં છે. ‘ગઠરિયાં’ના વિવિધ ભાગોમાં આત્મકથા-લેખકના રૂપમાં તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે.
(૮૨) ભારતીય તત્ત્વજ્ઞાનને ઐતિ. દૃષ્ટિએ ગુજરાતીમાં નિરૂપણ કરતો પહેલો શાસ્ત્રીય ગ્રંથભારતીય તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ' : મહેતા નર્મદાશંકર દેવશંકર (૧૮૭૧-૧૯૩૯). ગદ્યકાર, જન્મ નડિયાદ. ડેપ્યુટી કલેક્ટર બન્યા પછી ૧૯૧૦થી અમદાવાદ અને મુંબઈની મ્યુ.માં ચીફ ઓફિસર અને કિંમશનર બનેલા
(૮૩) ગુજરાતી લોકગીતોનું પ્રથમ શાસ્ત્રીય અને યાદગાર સંપાદન : ‘લોકગીત' (૧૯૨૨)મહેતા રણજિતરામ વાવાભાઈ: (૧૮૮૧-૧૯૧૭ નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૦૪માં ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના અને તેનું સંચાલન. ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન, સાક્ષર જયંતીઓની ઉજવણી વ.મ અગ્રેસર. દરિયામાં ડૂબી જવાથી અકાળે મૃત્યુ.
(૮૪) ગુજરાતી નાટ્યસંવિધાનની રીતે વ્યવસ્થિત માંડણીવાળી પહેલી નાટ્યકૃતિ ‘ગુલાબ' (૧૮૬૨) તૈયાર કરનાર : મારફતિયા નગીનદાર તુલસીદાસ-‘વ’, જ. ૧૮૪૦-અ. ૧૯૦૨. નાટકકાર. જન્મ
For Private & Personal Use Only
www.jainelibrary.org