SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૨૧ ગુજશતી ભાષામાં સીમાચિહ્નરૂક્ષ પગલા પાછળાશંઓ –પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી આ લેખની રજૂઆત કરનાર પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદીનું વચન ગલસાણા તા. ધંધુકા (જિ. અમદાવાદ) છે. જન્મ તા. ૭-૯-૧૯૪૭ના રોજ મોસાળના શિયાણી, જિ. સુરેન્દ્રનગરમાં. સૌરાષ્ટ્ર યુનિ.માંથી અર્થશાસ્ત્ર સાથે ૧૯૭૩માં એમ.એ. થયા પછી કવિશ્રી બોટાદકર કોલેજ-બોટાદ, પછી સી.એન. કોમર્સ કૉલેજ-વિસનગરમાં અને ૧૯૮૧થી જે. એમ. શાહ આર્ટ્સ-કોમર્સ કોલેજ, જંબુસરમાં અધ્યાપક તથા અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ. સને ૨૦૦૯થી સ્વે નિવૃત્તિ લીધી. અર્થશાસ્ત્ર ઉપરાંત લોકસાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ વ.માં કલમ ચલાવે છે. હિંદીમાં ‘વેદવાણી', “પરોપકારી’ જેવા ઉચ્ચકક્ષાના સામયિકોમાં લેખ પ્રકાશિત થયા જેના ફળ સ્વરૂપે ડૉ. ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાનના ‘આર્યલેખક કોશ'માં સ્થાન મળ્યું. પર્યાવરણ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વગેરે સંખ્યાબંધ વ્યાખ્યાનો તથા ૬ જેટલાં રેડિયોપ્રવચનો આપ્યાં છે. આ વિસ્તારમાં “ઉદ્ઘોષક” તરીકે સેવાઓ આપેલી છે. સ્તંભેશ્વરતીર્થ (કાવી-કંબોઈ) અંગે ઓડિયો-વિડિયો સી.ડી. બનાવવામાં યોગદાન આપ્યું. “આકાશવાણી'ના લોકસંગીતના ગાયક કલાકારની પસંદગી સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના (૧૯૯૦ થી ૯૩) સભ્ય હતા. ગુજરાત રાજ્ય અભિલેખાગાર (આર્થાઈલ્ઝ)માં ભરૂચ જિ.ના સભ્ય તરીકે લેવાયા છે. સમાજસેવા અને લેખનપ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રા. બી. આર. ત્રિવેદીના નાનાં-મોટાં પચીસેક પુસ્તકો સંપાદિત/પ્રકાશિત થયેલ છે. તેમની પાસે સિક્કાસંગ્રહ અને અંગત પુસ્તકાલય છે. સને ૨૦૦૭માં ના. માહિતી નિયામકશ્રીની કચેરી–ભરૂચ દ્વારા “મળવા જેવા માણસ'માં તેમનો પરિચય વિસ્તત રીતે લેવાયો છે. ભરૂચ જિલ્લા “હેરિટેજ કમિટી'માં સ્થાન પામનાર પ્રા. ત્રિવેદીએ મુંબઈ સ્થિત શ્રી હર્ષદભાઈ શેઠની વી.સી.ડી. જન્મભૂમિ જંબુસર : એક ઝલક'નું આલેખન કર્યું છે. ભરૂચ જિલ્લાના ગૌરવવંતા ભરૂચ જિલ્લાના ગૌરવવંતા સાહિત્યકારો'ની સંપાદન-સંકલન સમિતિના સક્રિય સભ્ય એવા પ્રા. બી. આર. ત્રિવેદીએ ત્રીસેક પુસ્તકોમાં પ્રકરણો લખ્યાં છે. માતૃભાષા પ્રત્યેની મમતાથી પ્રેરાઈને તેમણે ગુજરાતી ભાષામાં સીમાચિહ્નરૂપ પગલાં પાડનારાઓ' લેખમાં વિશિષ્ટ કેડી કંડારી જનારાઓને યાદ કરીને તેમની મહત્તાને અંજલિ આપી છે. ગુજરાતી ભાષાના ઇતિહાસપ્રેમીઓને તો આ લેખ “જનરલ નોલેજના એક ભાગરૂપે ખાસ ઉપયોગી થશે એવું અમારું નમ્ર માનવું છે. ધન્યવાદ. સંપાદક સરનામુ : પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી ૨૫-જયમહાદેવનગર, જંબુસર–જિ. ભરૂચ ૩૯૨૧૫). Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy