________________
સ્વપ્ન શિલ્પીઓ
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પાલનપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા ‘વિવિધલક્ષી વિદ્યામંદિર'માં લીધું અને ત્યાંથી જ ઓલ્ડ એસ.એસ.સી. ૧૯૭૫માં ડિસ્ટિકશન સાથે પાસ કરી. ૧૯૭૯માં બી.એસ.સી.ની ડિગ્રી ૬૮ ટકા સાથે પ્રાપ્ત
કરી.
૧૯૮૦માં બી.એડ. કૉલેજ પાટણમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થયાં.
૧૯૮૨ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં બીજા ક્રમે એમ. એડ.ની પરીક્ષા પાસ કરી.
૧૯૮૪માં એમ.એસ.સી પાસ કર્યું.
૧૯૯૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણની પીએચ. ડી.ની પદવી (ડોક્ટરેટ) પ્રાપ્ત કરી.
આમ આપણાં આ યશસ્વી નારીરત્ન બહેન મનુબહેનની શૈક્ષણિક કારકિર્દીનો ગ્રાફ ઘણો ઊંચો રહ્યો હતો.
છેલ્લાં ત્રણ વર્ષથી તો તેઓશ્રી પીએચ. ડી.નાં ગાઇડ તરીકે સેવાઓ આપી રહ્યાં હતાં.
સામાજિક ક્ષેત્રે પણ એમણે યશસ્વી પ્રદાન કર્યું હતું. સમૂહલગ્નના આયોજનમાં પણ તેઓશ્રી સક્રિય રહેતાં અને સમાજઉત્થાનમાં આ કાર્યમાં તેઓશ્રી રાહબર બની રહ્યાં હતાં.
કોઈ પણ કાર્ય હોય પછી તે શૈક્ષણિક કાર્ય હોય કે સમાજ-ઉત્થાનનું તેમનું વલણ હમેશાં હકારાત્મક રહેતું અને તેઓ એ કાર્ય ધગશ અને નિષ્ઠાથી પાર પાડતાં.
એમના કામના સીમાડા મર્યાદિત નહોતા. ગુજરાત બહારદિલ્હી (ગાજિયાબાદ)માં ભરાયેલ ઇન્ટરનેશનલ કલ્ચર પ્રોગ્રામમાં પાટણ કૉલેજની તાલીમાર્થી બહેનોને તેઓ લઈને ગયેલાં અને પાટણને પ્રથમ હરોળમાં સ્થાન અપાવ્યું. બેંગકોકમાં યોજાયેલી ૧૯મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ચાર પાર્ટીસિપેટ્સ’ સાથે મળી ત્યાં હાજર રહ્યાં ને ત્યાં પેપરરીડિંગ કર્યું ને એક રિસર્ચ કોન્ફરન્સ'માં એક બેઠકમાં ‘ચેરમેન’ તરીકેની કામગીરી બજાવી.
આ બધાં એમનાં કાર્યોની કદરરૂપે તેઓશ્રીને ‘સરદાર પટેલ ઍવોર્ડ'થી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. પાટણ નગરપાલિકાએ પણ એમનું સમ્માન કરીને નવાજ્યાં હતાં. આવાં સિદ્ધહસ્ત અને યશસ્વી કેવળણીકાર ડૉ.
Jain Education International
૨૦૭
મનોરંજનબહેન પટેલ આજે આપણી વચ્ચે નથી પણ એમનાં કાર્યોની સુવાસ તો આજે પણ શિક્ષણજગતને મહેકાવી રહી છે.
શિક્ષણજગતનાં એમનાં કાર્યોને આપણે આગળ વધારીએ, એમનાં આદર્યાં અધૂરાં ના રહે એની ચિંતા કરીએ–‘એ જ એમના માટે સાચી શ્રદ્ધાંજલિ લેખાશે. પ્રભુ એમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. અસ્તુ. સંગીતસાધનામાં ઓતપ્રોત
યાચના ખંભાતા
આપણું સુગમ સંગીત એ આપણો ભવ્ય કલાવારસો છે, કલાવૈભવ છે. એને આપણા મૂર્ધન્ય સંગીતકલાકારોએ સિંચ્યો છે, પોષ્યો છે અને ભારતીય સુગમ સંગીતની હરોળમાં લાવીને મૂક્યો છે.
આપણા એ યશસ્વી સંગીતકારો સ્વ. અવિનાશ વ્યાસ,
જેમને આપણે આપણા ગુજરાતી સુગમસંગીતના પાયાના સંગીતકાર કહી શકીએ. એમના આ વારસાને દીપાવ્યો એમના પનોતા પુત્ર શ્રી ગૌરાંગ વ્યાસે. આજે પણ આ પિતા-પુત્રનાં
ગીતો સાંભળી શ્રોતાઓ ડોલી ઊઠે છે. આવા જ બીજા યશસ્વી સંગીતકારો જેવાકે રાસબિહારી દેસાઈ, ડૉ. પ્રફુલ્લ દવે, શ્રી દિલીપ ધોળકિયા વગેરે
આપણી બહેનો પણ આમાં પાછળ રહી નથી. એમણે સુગમ સંગીત પીરસવામાં પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે. જેવાં કે શ્રી વિભાબહેન દેસાઈ, શ્રી માયાબહેન પંચાલ વગેરે વગેરે.
કેટલાંક નવાં ગાયકકલાકારો પણ આ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરી રહ્યાં છે. એમની પાસે કંઠ છે, સંગીતની ઊંડી સૂઝ છે અને તાલ-લયનું અનેરું જ્ઞાન છે.
આવાંજ એક યશસ્વી કલાકાર છે બહેન યાચના ખંભાતા. એમની જન્મભૂમિ છે ભૃગુઋષિનું ભરૂચ. ક.મા. મુનશી અને કવિ શ્રી બ.ક. ઠાકોરની જન્મભૂમિ. પંડિત ઓમકારનાથજીએ જે ભૂમિ પરથી સંગીતના સૂર રેલાવી આપણા ભારતીય સંગીતને વિશ્વકક્ષાએ પહોંચાડેલું એ ભૂમિની આ સંગીતપ્રેમી બહેન યાચનાએ નાની ઉંમરમાં સાચેજ સંગીતક્ષેત્રે સિદ્ધિનાં સોપાનો સર કર્યાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org