________________
સ્વપ્ન શિલ્પીઓ
કે વડોદરા રાજ્યમાં કોઈ અભણ ન રહે, એટલે એમણે એમના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરેલું,
મોટાં ગામોમાં તો મહારાજાના અથાગ પ્રયત્નોથી કંઈક પરિણામ આવ્યું ખરું, લોકો પોતાનાં બાળકોને શાળાએ ભણવા માટે મોકલવા લાગ્યાં, પરંતુ નાનાં ગામડાંઓમાં આ કાર્ય મુશ્કેલ હતું. નાનાં ગામડાંઓમાં રાજ્ય શાળા માટેના ઓરડા બનાવ્યા પણ શિક્ષકની મુશ્કેલી હતી. નાનાં ગામડાંઓમાં કોઈ શિક જવા તૈયાર ના થાય, તો પછી ભણાવે કોણ?
એ જમાનામાં આખા દેશમાં વડોદરા રાજ્યમાં જ મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ પ્રથમ થયો હતો. મહારાજાને ખૂબ જ ધગશ હતી. એમની સાથેના શિક્ષણ અધિકારીઓ પણ એટલા જ નિષ્ઠાવાન અને મહારાજાની ભાવનાને સાર્થક કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ હતા, એટલે છોકરાઓ તો શાળાએ જવા લાગ્યા અને ભણવા લાગ્યા, પરંતુ હવે પ્રશ્ન છોકરીઓને ભણાવવાનો હતો. ગામલોકો પુરુષ શિક્ષક પાસે પોતાની છોકરીઓને ભણાવવા માટે તૈયાર ન હતા. સમાજની મર્યાદાઓ નડતી હતી અને શિલિકાઓ લાવવી ક્યાંથી? આ મોટો પ્રશ્ન હતો.
એ સમયમાં એક ઘટના બની. મહાત્મા ગાંધીજી પૂના આગાખાન મહેલમાં જેલવાસ ભોગવી રહ્યા હતા. એ ખૂબ જ સામાન્ય શિક્ષણ લીધેલાં ગાંધીજીનાં પત્ની કસ્તુરબાએ અંગ્રેજીનો અભ્યાસ સાઠ વર્ષની ઉંમરે શરૂ કર્યો અને ગાંધીજીને મદદકર્તા બન્યાં.
આ વાતની હવા તો આખા દેશમાં ફેલાઈ ગઈ. આ સમયે વડોદરા રાજ્ય પણ પ્રાથમિક શિક્ષણ અને ખાસ કરીને બહેનોના શિક્ષણ માટે ખૂબ જ પ્રયત્નશીલ હતું.
એ સમયની આ વાત છે.
વડોદરા રાજ્યમાં મહેસાણા જિલ્લામાં, કડી ગામમાં નાથાલાલ કાળીદાસ શાહ નામે પ્રાથમિક શાળામાં એક નિષ્ઠાવાન શિક્ષક હતા. એમનાં પત્નીનું નામ મહાલક્ષ્મીબહેન. એમણે સાઠ વર્ષે કસ્તૂરબા અંગ્રેજી શીખ્યાં એ વાત જાણી ત્યારે એમણે એમના પતિને કહ્યું : “મારે ભણવું છે.''
એમના પતિએ કહ્યું. “આ ઉંમરે ?'
મહાલક્ષ્મીબહેને કહ્યું : “કસ્તૂરબા સાઠ વર્ષની ઉંમરે જો અંગ્રેજી શીખી શકે તો હું ગુજરાતીનું અક્ષરજ્ઞાન તો મેળવી શકું
2?"
Jain Education International
૧૯૭
પણ તારે હવે એની શી જરૂરત છે?" એમના પતિએ ઠાવકાઈથી કહ્યું.
“જુઓ અક્ષરજ્ઞાન વિના બહેનો અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયા કરે છે. એ વાત તો સાચી ને? પરંતુ સવાલ એ કે પહેલ કોણ કરે? લોકનિંદાના ડરથી મારા જેવી અનેક બહેનો નિરક્ષર રહેવા પામે છે. આનો કંઈક ઉપાય તો કરવો જોઈએ.'' તારી વાત તો બહુ સાચી છે, પણ “સ્ત્રીઓ માટે શાળાઓ જ ક્યાં છે, તે તું ભણવા જઈશ?”
શું તમે મારા શિક્ષક ન બની શકો? મારી ઇચ્છા છે કે હું આપની પાસે ભણું અને બીજી બહેનોને ભણાવું.'' મહાલક્ષ્મીબહેને નમ્રતાથી કહ્યું.
પત્નીની આવી ઉદાર ભાવના જોઈ નાથાલાલ માસ્તર તો ખૂબ જ પ્રસન્ન થયા. નૌકરી અને અન્ય કાર્યનો બોજો હોવા છતાં તેમણે અડધી રાતના ઉજાગરા વેઠીને પત્નીને ભણાવવા માંડ્યું. એટલું જ નહીં, પણ તેમને શિક્ષક સમાં બનાવી દીધાં.
મહાલમીબહેનના ઉત્સાહનો પાર ન હતો. પોતાનો સંકલ્પ પાર પાડવા માટે નો તેમણે અડોશ-પડોશમાંથી વર્તુદીકરીઓને પોતાને ત્યાં બોલાવી રામાયણની કથા તથા ભજનો ગાઈ-વાંચી સંભળાવવાં માંડ્યાં. એમાં રસ પડતાં એ બહેનોને થવા લાગ્યું—''આપણે પણ વાંચી-લખી શકીએ તો કેવું સારું?''
અને પોતાને પત્ર ભણવું છે' એવી એમણે મહાલક્ષ્મીબહેનને વિનંતી કરી.
મહાલક્ષ્મીબહેનના હર્ષનો પાર ન રહ્યો. પોતાના ઘરના આંગણે જ જ્ઞાનની પરબ માંડવાનું એમણે નક્કી કર્યું.
શરૂઆતમાં તો ચાર બહેનો જ ભણવા માટે આવવા તૈયાર થઈ. પોતાના ધરને જ નિશાળ બનાવીને મહાલક્ષ્મીબહેન શિક્ષક થયાં. પછી તો આ શાળામાં બહેનોની સંખ્યા વધતી ઈ.
નાથાલાલ માસ્તર તો પાંસઠ (૬૫) વર્ષે, તા. ૧૯-૫૧૯૫૦ના રોજ અવસાન પામ્યા પરંતુ જતાં-જતાં એમનાં કહ્યાગરાં અને સેવાભાવી પત્નીને ભલામણ કરતા ગયા “ગમે તેમ થાય, પરંતુ તારું સમગ્રજીવન આ શાળાને અર્પણ કરી દેજે અને આ શાળાને આપણા પ્રિય બાળક સમી ગણીને જીવની માફક એનું જતન કરજે!"
For Private & Personal Use Only
www.jainelibrary.org