SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ નાટ્યક્ષેત્રે સહાયક શ્રેષ્ઠ અભિનેત્રી અને નાગપુરમાં યોજાયેલ નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનાં પારિતોષક એમને મળેલાં છે. આ ઉપરાંત જાગૃતિબહેને ટી.વી. સીરિયલ પત્તાની જોડ' તથા ટી.વી. નાટકોમાં પણ ભાગ લીધો છે. એમણે ભાગ લીધેલ નાટકોની યાદી પણ ઘણી લાંબી છે, જેમકે (૧) ‘આ છે કારાગાર' (૨) ‘થોડું સુખ આપો ઉછીનું’, (૩) હ્યુમસ્ટ ડાઇ”, (૪) ‘રમી લોને યાર', (૫) ‘સપનાનાં વાવેતર’, (૬) ‘હોહોલિકા (ભવાઈ)' (ચં.ચી. મહેતાએ જેમાં રંગલીનો રોલ કર્યો હતો.), (૭) ધરતીનો છેડો ઘર’, (૮) ‘પત્તાની જોડ’ (ત્રિઅંકી), (૯) ‘ઉપલો માળ ખાલી’ છે (ત્રિઅંકી), (૧૦) ‘લાડી, વાડી, ગાડી’, (૧૧) વૉર્ડ નંબર૬' (ત્રિઅંકી) (૧૨) ‘થીજી ગયેલા માણસો’. જાગૃતિબહેનનું નામ ‘એન્કર’ તરીકે ખૂબ જાણીતું છે, પછી તે મુશાયરાનું સંચાલન હોય કે બીજા કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક કે સામાજિક કાર્યક્રમનું, આ એમની આગવી વિશેષતા છે. દૂરદર્શનના કાર્યક્રમોમાં પણ એમણે સંચાલન અને ‘ઇન્ટરવ્યુ’ કર્યાં છે. કૌટુંબિક જવાબદારીઓની સાથે આ બધી પ્રવૃત્તિઓમાં રસ લેવો એ મુશ્કેલ કામ છે છતાં જાગૃતિબહેન ખૂબ જ કુનેહથી આ બધાં કામો કરી રહ્યાં છે. એ જ એમની વિશેષતા છે. આમ તો આપણાં આ કલારત્ન બહેનનું પૂર્વ નામ હતું જાગૃતિબહેન હસમુખલાલ શાહ (મઢીવાલા) અને હવે છેલ્લે જાગૃતિ પંકજ ત્રિવેદી. આમ તો શ્રી હસમુખભાઈ ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ જજ. હવે તો નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ કવિ તરીકે આજે પણ એટલા જ સજ્જ છે. ઉશનસ અને જયંત પાઠકની પેઢીના આ કવિએ ગુજરાતી કાવ્યક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એકાંતિક અક્ષર આરાધના પાછળ એમણે જિંદગી ખર્ચી નાખી છે. આવા યશસ્વી કવિની દિગ્ગજ પુત્રી જાગૃતિએ નાટ્યક્ષેત્રે વિશિષ્ટ નામના પ્રાપ્ત કરી છે. આ બહેનની પ્રતિભા પણ અદ્ભુત છે. એમની દીકરી શિખાનાં અંગ્રેજી કાવ્યો પણ અદ્ભુત છે. એમાં પણ જાગૃતિબહેનના પુરુષાર્થનાં જ દર્શન થાય છે. Jain Education International સ્વપ્ન શિલ્પીઓ બહેન શ્રી જાગૃતિબહેને જીવનમાં સંઘર્ષો પણ ખૂબ વેઠ્યા છે. આ સંઘર્ષમાંથી પાર ઊતરીને જ તેઓ આટલી પરમ સિદ્ધિને પહોંચ્યાં છે. પેલા કવિએ સાચું જ કહ્યું છે કે “સિદ્ધિ જઈ એને વરે, જે પરસેવે ન્હાય.' અભિનય એ આવડત, અનુભવ અને પુરુષાર્થના ત્રિવેણી સંગમ સમો હોય છે. જે કલાકારો આ ત્રિવેણી પાર કરી ગયા, એમને જ સિદ્ધિ સાંપડે છે, સફળતાને વરે છે. આપણાં બહેન જાગૃતિબહેનને આ સફળતા ને સિદ્ધિ સાંપડ્યાં છે એટલે આપણે જરૂર એમ કહી શકીએ કે આપણાં આ જાગૃતિબહેન અભિનયક્ષેત્રનું ગૌરવ છે. આવાં કલારત્ન બહેન જાગૃતિબહેન ત્રિવેદીને અંતરના ઊમળકાથી આવકારીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ એમને દીર્ઘાયુ, સુખમય અને એમની આ ગમતી પ્રવૃત્તિઓમાં ખૂબ-ખૂબ કામ કરવાની શક્તિ બક્ષે એવી પ્રભુ પ્રાર્થના સાથે વિરમીએ. ધન્ય જાગૃતિબહેન, ધન્ય તમારા અભિનયને!! કલાક્ષેત્રે હરણફાળ ભરતાં શ્રી જાગૃતિબહેન ઠાકોર આપણી બહેનો તો શક્તિનો ભંડાર છે. કોઈ પણ ક્ષેત્ર હોય ભારતીય નારીએ એની શક્તિને પ્રદર્શિત કરી ભારતભૂમિનું ગૌરવ વધાર્યું છે. આવાં કેટલાંય આપણાં નારીરત્નો છે, જે સાચે જ પ્રાતઃસ્મરણીય છે. આમાં આપણી ગુર્જરનારીનું પ્રદાન પણ ખૂબ જ મહત્ત્વનું રહેલું છે અને એમાંય કલાક્ષેત્રે તો સાચે જ એ શિરમોર રહી છે. આપણે ત્યાં કહેવાયું છે કે— “નારી નિંદા મત કરો, નારી નર કી ખાણ, એ નારી સે ઊપજે, ધ્રુવ-પ્રહલાદ સમાન.” આપણી બહેનોનું માતા તરીકે, ભિંગની તરીકે, પત્ની તરીકે અને પુત્રી તરીકે પુરુષના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. આવાં જ એક નારી-રત્નની આજે આપણે વાત કરવાની છે. એ બહેન છે આપણાં ગરવાં ગુજરાતી બહેન શ્રી જાગૃતિબહેન ફાલ્ગુનભાઈ ઠાકોર. એમનો જન્મ આપણા આ યશસ્વી શહેર અમદાવાદમાં તા. ૨૭-૧-૧૯૬૩ના રોજ થયો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy