________________
સ્વપ્ન શિલ્પીઓ
‘સમાજશાસ્ત્ર’ વિષયમાં તેમનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. તેઓશ્રી આ વિષયનાં એમ.એ., એમ. ફિલ. અને પીએચડી.ના વિદ્યાર્થીઓને સંશોધનકાર્યમાં માર્ગદર્શન આપી રહ્યાં છે. આ વિષયનાં પુસ્તકો તેમણે પોતે અને બીજી લેખિકાઓની સાથે રહીને ખૂબ સરસ તૈયાર કર્યાં છે, જે આ વિષયના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થયાં છે.
એથીયે વિશેષ આપણાં આ ગૌરવવંતાં ડૉ.ચંદ્રિકાબહેન રાવલે, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ અનેકવિધ સેમિનારો-કોન્ફરન્સમાં ભાગ લઈ સંશોધન-પેપરો રજૂ કર્યાં છે, જેનું મૂલ્યાંકન શિક્ષણજગત માટે તો ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે અને વિદ્યાર્થીઓ માટે તો ખૂબ જ માર્ગદર્શક બની રહ્યું છે.
પોતે સ્ત્રી–લેખિકા હોવાના નાતે કહે કે પોતે સ્રી શિક્ષણનાં હિમાયતી હોવાને લીધે, સમાજની આ સમસ્યાઓ તરફ એમનું વિશેષ ધ્યાન ગયું છે અને આ વિષય ઉપર એમણે એમની કલમ ચલાવી છે અને આ માટે એમણે સમાજને નવું દિશાસૂચન આપ્યું છે. આ એમના રસના વિષયોમાં–ગ્રામીણ અને પછાત વિસ્તારોના સંશોધનમાં સ્રીઅભ્યાસો, શિક્ષણના સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, દેશ-વિદેશના પ્રવાસ દ્વારા વિવિધ લોકના સામાજિક અને સાંસ્કૃતિક જીવનને જાણવાનો એમને વિશેષ રસ છે.
આપણાં આ બહેન કેટલીક વિકાસલક્ષી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલાં છે, જેમકે તેઓશ્રી ગુજરાત કેળવણી મંડળના માનદ્ મંત્રી તરીકે યશસ્વી સેવાઓ આપી રહ્યાં છે, ઉપરાંત શિક્ષણ તથા સમાજસેવાની પ્રવૃત્તિઓનાં આયોજન તથા અમલમાં ખૂબ જ સિક્રય ભૂમિકા ભજવી રહ્યાં છે.
આ બહેન પોતે દૃઢપણે માને છે કે ભારતના નાગરિક હોવાના નાતે ગુજરાતની સ્ત્રીઓને પણ બંધારણીય જોગવાઈ મુજબ સમાન દરજ્જાનો, તકોનો અને ન્યાયનો લાભ મળ્યો છે પરંતુ આ બધું હોવા છતાં સ્ત્રીઓનું વાસ્તવિક જીવન જુદું છે. સ્ત્રીઓનો સામાજિક દરજ્જો તથા સમાજજીવનને સ્પર્શતી મુખ્ય સમસ્યાઓ જેવી કે સ્ત્રીઓ વિરુદ્ધ હિંસા, ભ્રૂણહત્યા, બાળલગ્ન, આત્મહત્યા વગેરેના પ્રશ્નોને એમણે એમનાં પુસ્તકમાં સરસ રીતે મુકાવ્યા છે અને આ રીતે એની ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. આપણા ગુજરાતમાં અડધી વસ્તી સ્ત્રીઓની છે. માનવવિકાસમાં અને સમાજવિકાસમાં એમનું મહત્ત્વ છે. આ વાતને એમણે એમના સાહિત્યસર્જનમાં સરસ રીતે નિરૂપી છે.
Jain Education Intemational
૧૯૧
આવાં આ નારીરત્ન બહેનને અંતરના ઊમળકાથી આવકારીએ, બિરદાવીએ અને તેઓ આવું વધુને વધુ સ્ત્રીવિકાસલક્ષી સાહિત્ય પીરસતાં રહે, એવી અપેક્ષા સાથે વિરમીએ.
પ્રવૃત્તિનો પમરાટ શ્રી જાગૃતિબહેન ત્રિવેદી કેટલાક સર્જકો આપબળે આગળ આવેલા હોય છે તો કેટલાકને પોતાના પિતા પાસેથી સાહિત્યિક અને કલાવારસો મળેલો હોય છે છતાં એમાં પુરુષાર્થનો પ્રકાશ તો હોય છે જ અને આ વારસો અભિનયક્ષેત્રે ખૂબ જ ફાલ્યો છે.
આવાં જ આપણાં એક યશસ્વી નારીરત્ન બહેન છે
જાગૃતિબહેન ત્રિવેદી, જેઓ એક નીવડેલાં નાટ્યકલાકાર છે. જાગૃતિબહેન આપણા ખ્યાતનામ ન્યાયવિદ્ કવિશ્રી હસમુખભાઈ મઢીવાલાનાં યશસ્વી પુત્રીરત્ન છે. પ્રવૃત્તિનાં પમરાટમાં આ બહેને અભ્યાસમાં બી.એસ.સી. (માઇક્રો) કર્યું છે અને તેઓશ્રી નાયબ સેક્શન અધિકારી સરદાર પટેલ રાજ્ય વહીવટી સંસ્થામાં અમદાવાદમાં ફરજ બજાવી રહ્યાં છે.
એમના કુટુંબ વિશેની વાત કરીએ તો એમનો પુત્ર ચિ. જય ત્રિવેદી હાલ ઓસ્ટ્રેલિયા અભ્યાસાર્થે ગયેલ છે અને એમની ચિ. પુત્રી શિખા પટેલ હાલ લંડન અભ્યાસાર્થે ગયેલ છે. બહેન શિખા અંગ્રેજીમાં સરસ કાવ્યો રચે છે. એમનો અંગ્રેજી કાવ્યનો સંગ્રહ ‘ઇન ધ વોઇડ’ પ્રગટ થયો છે. એમના પતિશ્રી પંકજભાઈ ત્રિવેદી શિક્ષણકાર્ય સાથે સંકળાયેલા છે. તેઓ હાયર સેકન્ડરી સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક છે. સ્વભાવે નમ્ર અને શિક્ષણ પ્રત્યે નિષ્ઠા ધરાવતા તેઓ સાચા અર્થમાં શિક્ષક છે.
જાગૃતિબહેન ખૂબ જ કાર્યરત રહે છે. વક્તૃત્વ સ્પર્ધામાં સ્કૂલ, કૉલેજ અને સચિવાલય આંતરવિભાગીય સાર્ધામાં ઇનામો મેળવેલાં છે.
ગરબાપ્રવૃત્તિ તો એમની ખૂબ જ ગમતી પ્રવૃત્તિ છે. રાજ્યકક્ષા સુધીની સ્પર્ધામાં તેઓ વિજેતા બનેલાં છે. અભિનયક્ષેત્રે પણ એમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. નાટ્યક્ષેત્રે એમણે મેળવેલી સિદ્ધિઓ પણ અભિનંદનીય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org