________________
૧૯૦
ઉપરાંત હાલમાં તેઓ દહેગામની આર્ટ્સ કોલેજમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે હિન્દી વિષય ભણાવી રહ્યાં છે. એમના સંશોધન–લેખો પણ હિન્દીની જાણીતી પત્રિકાઓ, જેવી કે ‘આશ્વસ્ત’, ‘રાષ્ટ્રવીણા', ‘ભારતવાણી’ વગેરેમાં પ્રગટ થઈ રહ્યા છે.
પુસ્તકપ્રકાશન ક્ષેત્રે એમનાં પુસ્તક (૧) ‘ડૉ. શંકરશેષનાં નાટકોમાં સામાજિક ચેતના’ અને (૨) ‘સમકાલીન પ્રમુખ હિન્દી નાટકોમાં વ્યક્ત સામાજિક ચેતના' પ્રગટ થઈ ચૂક્યાં છે. સંગોષ્ઠિમાં એમણે જે લેખોનું વાચન કર્યું છે તે આ પ્રમાણે છે :
(૧) મહાદેવી વર્મા જન્મ શતાબ્દી પર નલિની આર્ટ્સ કૉલેજ–વલ્લભવિદ્યાનગરમાં યોજાયેલ રાષ્ટ્રીય સંગોષ્ઠિમાં– ‘નારી–વિમર્શના સંદર્ભમાં મહાદેવી વર્મા' વિષય પર વાચન કર્યું. (૨) ‘પ્રાથમિક શિક્ષણ : ‘ચિંતા અને ચિંતન' વિષય પર શિબિરમાં ભાગ લઈને પોતાના વિચાર પ્રસ્તુત કર્યા.
(૩) અચલા એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત ‘પ્રાથમિક શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં કે અંગ્રેજી'માં ચિંતનશિબિરમાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા. આ ઉપરાંત રમતોત્સવ ક્ષેત્રે પણ આપણાં આ બહેન કપિલાબહેન પટેલનું વિશેષ પ્રદાન રહ્યું છે. જેમકે—
(૧) જી. સી. ઈ. આર. ટી. અને ડી. આઈ. ટી. રીડર દ્વારા આયોજિત વિભાગીય રમતોત્સવમાં અધ્યાપિકાઓની ૪૦૦ મીટરની દોડમાં આ બહેન પ્રથમ નંબરે વિજેતા બન્યાં અને ૧૦૦ મીટરની દોડમાં બીજા નંબરે વિજેતા બન્યાં.
(૨) આ ઉપરાંત જી. સી. ઈ. આર. ટી. અને ડી. આઈ.ટી., ભરૂચ દ્વારા યોજાયેલ વિભાગીય રમતોત્સવમાં અધ્યાપિકાઓની ૪૦૦ મીટર દોડમાં રાજ્યમાં ત્રીજી કક્ષાએ વિજેતા બનેલાં.
આમ વિકાસની ગતિમાં કપિલાબહેન હરણફાળ ભરી રહ્યાં છે. વિશેષમાં, તાજેતરમાં એક મહત્ત્વની સિદ્ધિનું પીછું કપિલાબહેનની યશકલગીમાં ઉમેરાયું છે, જેમકે ‘ભારતીય દલિત સાહિત્ય અકાદમી’નું ‘જ્યોતિબા ફૂલે ફેલોશિપ સન્માન– ૨૦૦૭' મેળવવાનું સદ્ભાગ્ય પણ આપણી આ બહેનને સાંપડ્યું છે.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ
આવાં આપણાં આ યશસ્વી નારીરત્નને અંતરના ઊમળકાથી આવકારીએ, એમની સિદ્ધિઓને બિરદાવીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે કપિલાબહેનનો શિક્ષણક્ષેત્રે ખૂબ-ખૂબ વિકાસ થાય અને વધુને વધુ સિદ્ધિઓ આપણી આ બહેનને સાંપડે એવી શુભેચ્છા સાથી વિરમીએ.
નિષ્ઠાવાન શિક્ષણશાસ્ત્રી અને સ્ત્રીવિકાસલક્ષી સાહિત્યનાં જાગૃત લેખિકા બહેન ડૉ. ચંદ્રિકાબહેન રાવલ
પત્ની એ પ્રેરણાદાત્રી છે, માતા સ્રોત છે, તો પુત્રી આશાનું કિરણ એ મમતામૂર્તિ છે, બહેન એ લાગણીનો છે—આ સત્યને સમજવાનો પ્રયત્ન કરનાર આપણી કેટલીક લેખિકા બહેનો છે, એમાં એક ગૌરવવંતુ નામ છે ડૉ. ચંદ્રિકાબહેન રાવલ.
ડૉ. ચંદ્રિકાબહેન રાવલે એમની ખાસ બહેનપણી ડૉ. શૈલજા ધ્રુવ સાથે મળીને બહેનોના વિષયને સ્પર્શતાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો આપ્યાં છે-જેવાં કે ‘સ્ત્રી સિદ્ધિનાં સોપાનો', ‘નારી-વ્યથા’, ‘સાંધ્યદીપ', ‘વસ્તી એક સામાજિક સમસ્યા', ‘ગુજરાતમાં સ્ત્રીઓનો દરજ્જો’, ‘સમાજનો સૂરજ' વગેરે.
માતા શ્રી સવિતાબહેન અને પિતા શ્રી કાંતિલાલ રાવલનાં આ પનોતાં પુત્રીએ એમના સર્જનમાં ‘સ્ત્રી' અને ‘સ્ત્રીવિકાસ’ને કેન્દ્રમાં રાખી સાહિત્યસર્જનની સૃષ્ટિમાં અનોખું પ્રદાન કર્યું છે.
આપણાં આ ગૌરવવંતાં નારીરત્ન બહેનના શિક્ષણની વાત કરીએ તો તેઓશ્રીએ બી.એ. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં પ્રથમ ૧૯૮૨માં કર્યું. એમણે ૧૯૮૪માં એમ.એ. કર્યું. ગુજરાત યુનિવર્સિટીમાં તેઓ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યાં અને એક સરસ વિષય ‘અમદાવાદમાં અસંગઠિત વિભાગમાં સ્રી કામદારો' લઈ ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કરી ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી. આમ અભ્યાસક્ષેત્રે ઉજ્વળ કારકિર્દી ધરાવતાં આપણાં આ યશસ્વી નારીરત્ને અધ્યાપનક્ષેત્ર પસંદ કર્યું. બાવીસ વર્ષથી તેઓશ્રી આ ક્ષેત્રે કાર્યરત છે. આજે તો તેઓશ્રી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં સમાજશાસ્ત્ર વિભાગમાં ‘રીડર' તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org