________________
સ્વપ્ન શિલ્પીઓ
સંચાલનનાં વર્ષો દરમિયાન નાટ્ય, અભિનય, દિગ્દર્શન, નાટ્યલેખન, સમૂહગીતોની સ્પર્ધા ઉપરાંત ગૃહકિલ્લો આંતરરાષ્ટ્રીય બાળવર્ષ નિમિત્તે નાટ્ય લેખન, સંગીત રૂપક અને પર્યાવરણના ક્ષેત્રે પણ એમણે ‘દૂરદર્શન' પર કાર્યક્રમો આપ્યા છે ‘ચેલૈયો' નામની એક સુંદર નૃત્યનાટિકાનું પણ આપણા બહેને નિર્માણ કર્યું છે.
પરદેશ (યુ.એસ.એ.)નો પ્રવાસ પણ એમણે ખેડ્યો છે. એમનું સૌથી વિશિષ્ટ ધ્યાન દોરે એવું કાર્ય તો એમણે ગુજરાતના પ્રતિષ્ઠિત કેળવણીકાર અને શારદામંદિર-વિનય મંદિર અમદાવાદના પૂર્વ આચાર્ય સ્વ. વજુભાઈ દવેના જીવનક્વનને આલેખતા પુસ્તક નમીએ ગરવા ગુરુને'નું લેખન સંપાદનકાર્ય ખૂબ જ સરસ રીતે કર્યું છે. ગુજરાતના શિક્ષણશાસ્ત્રીઓ માટે તો આ પુસ્તક શૈક્ષણિક ગીતા સમાન છે. આપણા શિક્ષણશાસ્ત્રીઓએ તે વાંચવું પણ જોઈએ અને વસાવવું પણ જોઈએ.
આજે તો આપણાં આ ગૌરવવંતાં ગુજરાતી બહેન અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. આઈ. જે. કલાકેન્દ્રનું સંચાલન, યુવાન વયની બહેનોને સીવણ-ભરત અને અન્ય ઉદ્યોગો માટેનું માર્ગદર્શન કરી રહ્યાં છે.
‘સેવા’–ગુજરાતની સ્ત્રીઓની સામાજિક ઉત્કર્ષ માટેની સંસ્થા ‘જીવન-શાળા' મોટી વયની બહેનોને શિક્ષણ આપવાની પ્રવૃત્તિમાં પુસ્તકનિર્માણ સહાયક અને ‘વિદ્યાગૌરી' માટે આશાબહેન સલાહકાર તરીકેની ફરજ નિભાવી રહ્યાં છે.
અને એથીયે અદકેરું એમનું કામ તો ‘આનંદ' સંસ્થા દ્વારા વડીલવર્ગની સમસ્યાઓનું નિરાકરણ, મુક્ત વાતાવરણ અને ઊર્ધ્વગામી વલણ માટેના એમના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો છે.
આવાં આપણાં ગુણવંતાં ગુર્જર નારીરત્ન આશાબહેનને આવકારીએ અને અભિનંદન આપતાં વિરમીએ.
શિક્ષણવિદ ડૉ. કપિલાબહેન પટેલ
આપણા ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે, વિજ્ઞાન-ક્ષેત્રે, કલાક્ષેત્રે આપણી બહેનોનું પ્રદાન ખૂબ જ વિશિષ્ટ અને મહત્ત્વનું રહ્યું છે.
આપણા શિક્ષણક્ષેત્રમાં આપણી
Jain Education International
૧૮૯
ઘણી બહેનો મહત્ત્વનું યોગદાન આપી રહેલ છે. દૂર ક્યાં જઈએ, આપણાં શિક્ષણમંત્રી શ્રી ડૉ. આનંદીબહેન પટેલ પણ મોટા ગજાનાં શિક્ષણશાસ્ત્રી છે. એક વિજ્ઞાનશિક્ષક તરીકે પણ તેઓ એક ખૂબ સફળ શિક્ષણશાસ્ત્રી તરીકે ઊપસી આવ્યાં છે. અવકાશવિજ્ઞાનની વાત કરીએ તો તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવેલી ગુજરાતની પનોતી પુત્રી સુનીતા પંડ્યા ઉર્ફે સુનીતા વિલિયમે પણ અવકાશમાં ૧૯૦ દિવસ રહી વિશ્વવિક્રમ નોંધાવ્યો છે, તો સામાજિક ક્ષેત્રે ઇલાબહેન ભટ્ટ જેવી અનેક બહેનો સેવાગ્રસ્ત છે, સાહિત્યક્ષેત્રે પણ આપણી બહેનોનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે તો ફિલ્મી કલાક્ષેત્રે પણ આપણી ગુજરાતી બહેનો આશા પારેખ, નિરૂપા રોય, પ્રાંજલ ભટ્ટ જેવી
અનેક કલાકાર બહેનો અભિનયનાં અજવાળાં પાથરી રહી છે.
આવાં જ એક યશસ્વી શિક્ષણવિદ્ બહેન છે ડૉ. કપિલાબહેન પટેલ.
એમનો જન્મ તા. ૬-૨-૧૯૭૫ના રોજ એક સંસ્કારી કુટુંબમાં હરસોલ (સાબરકાંઠા)માં થયો હતો. પિતાશ્રી મંગળદાસ પટેલ અને માતુશ્રી રૂપાબહેન પટેલની આ સંસ્કારી
દીકરીએ શિક્ષણક્ષેત્રે સિદ્ધિનાં સોપાનો સર કર્યાં છે.
એમણે એસ.એસ.સી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી છે. હાયર સેકન્ડરીની પરીક્ષા પણ એમણે પ્રથમ વર્ગમાં પાસ કરી છે. પછી એમણે ઉચ્ચ શિક્ષણમાં બી.એ. હિન્દી અને સંસ્કૃત સાથે પાસ કરેલ. એમ. એ. એમણે હિન્દી એન્ટાયર લઈને પાસ કર્યું. પછી તો તેઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધતાં જ રહ્યાં. ગૂજરાત વિદ્યાપીઠમાંથી ‘એમ. ફિલ. કર્યું. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણથી બી. એડ. કર્યું. સી.આઈ.સી.ની પરીક્ષા એમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદમાંથી પાસ કરી અને એમણે પીએચ. ડી.ની ઉપાધિ ગૂજરાત વિદ્યાપીઠમાંથી “સમકાલીન પ્રમુખ હિન્દી નાટકોમાં વ્યક્ત થતી સામાજિક ચેતના' વિષય લઈને મેળવી.
આમ શિક્ષણક્ષેત્રે આપણી આ યશસ્વી બહેન એક પછી એક સિદ્ધિનાં સોપાનો સર કરતાં ગયાં. એમનો શૈક્ષણિક અનુભવ પણ નોંધપાત્ર છે. ગીતાંજલિ પી.ટી.સી. કોલેજ– તલોદમાં ૧ વર્ષ ૨૦૦૩-૨૦૦૪ એમણે અધ્યાપન કાર્ય કર્યું. પછી આનંદબા પી.ટી.સી. કોલેજ વલાદમાં ૧ વર્ષ ૨૦૦૪૨૦૦૫માં અધ્યાપન કાર્ય કર્યું. ફરી પાછા ઓગસ્ટ ૨૦૦૫માં ગીતાંજલિ પી.ટી.સી. કોલેજ, તલોદમાં અધ્યાપક તરીકે જોડાયા, તે આજ પર્યંત ત્યાં શિક્ષણક્ષેત્રે આપણી બહેન કાર્યરત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org