________________
૧૮૮
આ ઉપરાંત શ્રી અંજુબહેન વ્યાસ કેટલાક મહત્ત્વના હોદ્દા પણ ધરાવે છે. જેમકે
(૧) ઇન્ડિયન સોસાયટી ઑફ જિઓમેટિક્સનાં ગુજરાત રાજ્ય સેપ્ટરનાં વાઇસ પ્રેસિડેન્ટ.
(૨) ઇન્ડિયન સોસાયટી ઑફ રિમોટ સેન્સિંગ તથા ઇન્ડિયન નેશનલ (કાટ્રોગ્રાફી) એસોસિએશનનાં લાઇફ્ર મેમ્બર.
(૩) ઇન્ટરનેશનલ સોસાયટી ઑફ ફોટોગ્રામેટ્રી તથા રિમોટ સેન્સિંગના ટી.સી.આર. વિંગનાં પ્રતિનિધિ છે.
આ ઉપરાંત શ્રી અંજનાબહેન દર વર્ષે અમેરિકા, બર્મિંગહમ, ઇન્ડોનેશિયા, યુ.કે., યુરોપમાં નેશનલ તથા ઇન્ટરનેશનલ સેમિનાર કોન્ફરન્સ અને વર્કશોપમાં ચેરપર્સન, થીમ પેપર પ્રેઝન્ટ કરવા કે કી એડ્રેસ આપવા માટે આમંત્રણો મળતાં જાય છે.
આપણાં આ ગૌરવવંતાં ગુર્જરનારી શ્રી અંજનાબહેન વ્યાસ વિદ્યાવ્યાસંગી હોવા ઉપરાંત કલાસૂઝ પણ એટલી જ અદ્ભુત ધરાવે છે અને આજ કારણે અમદાવાદ તથા ગુજરાતની કલાસંસ્થાઓ એમને નિર્ણાયક તરીકે આમંત્રે છે. ઉપરાંત નૃત્ય કાર્યક્રમો વખતે વેશ—પરિધાન માટે તેમની સેવાઓ ખ્યાતનામ સંસ્થાઓ ખૂબ જ આદરપૂર્વક લે છે.
શક્તિઓનાં અનુપમ ભંડાર સમાં શ્રી અંજનાબહેનનું જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન, કાવ્યક્ષેત્રે પણ છંદોબદ્ધ કાવ્યોનું સર્જન સાચે જ દાદ માગી લે તેવું છે.
આમ શિક્ષણ, સાહિત્ય અને કલાના ત્રિવેણી સંગમ સમાં આપણાં અંજનાબહેન સિદ્ધિના સમુદ્ર સમાન છે. આનાથી પણ વધુ શક્તિઓ પ્રભુ એમને બક્ષે એવી હાર્દિક શુભેચ્છા સાથે વિરમીએ.
‘આનંદ'નું અણમોલ પ્રવૃત્તિધન, ગુણવંતાં ગુર્જર
નારી-રત્ન
શ્રી આશાબહેન રાવળ
શ્રદ્ધાને સાર્થક કરે તે આશા. આવી જ આપણી એક યશસ્વી બહેન, જેમણે જીવનના જુદા-જુદા ક્ષેત્રે ફક્ત કાર્ય જ કર્યું છે. એટલું જ નહીં, પણ અનેરી સિદ્ધિઓ હાંસલ કરી છે. એવાં
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ આપણાં બહેન આશા રાવળને મળવું એ પણ એક લહાવો છે. ‘આનંદ' નામે વડીલો માટે પ્રવૃત્તિકેન્દ્ર સમી એક અનોખી સંસ્થા જે અમદાવાદના નવરંગપુરામાં ‘ઈશ્વરભુવન’ પાસે ચલાવે છે. તે સંસ્થા સાથે આપણાં આશાબહેન સંકળાયેલાં છે. આ સંસ્થાની વિધવિધ પ્રવૃત્તિઓ અને કાર્યોને જાતે નિહાળ્યાં છે. બીજા શબ્દોમાં કહું તો એમની પ્રવૃત્તિઓનો હું સાક્ષી બન્યો છું અને એમાં આ સંનિષ્ઠ સ્ત્રીશક્તિની સૂઝ, સમજ અને અદ્ભુત આયોજનનાં મેં દર્શન કર્યાં છે. મેં એમની કાર્યપદ્ધતિને અંતરમનથી બિરદાવી છે.
તાજેતરમાં આ સંસ્થાનો વાર્ષિક ઉત્સવ ઊજવાઈ ગયો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોએ સંગીતની રસલહાણ તો માણી જ પરંતુ આશાબહેન દ્વારા આયોજિત અંતાક્ષરી’ કાર્યક્રમ તો સાચે જ અદ્ભુત હતો.
આ સંસ્થાનું મહત્ત્વનું કાર્ય તો વડીલોને ઉપયોગી થવાનું છે. વડીલોના માસિક અને શારીરિક સ્વાસ્થ્યના માર્ગદર્શન માટે નિષ્ઠાવાન સમાજસેવાઓ અને સેવાભાવી ડૉક્ટરોની મદદથી વડીલોની સમસ્યાઓનું સરસ નિરાકરણ થતું અહીં જોવા મળે છે.
આ સંસ્થામાં વડીલોને માર્ગદર્શન મળે, એમના પ્રશ્નોનું વ્યાખ્યાનો પણ યોજવામાં આવે છે. સભ્યો માટે પ્રવાસનું સમાધાન થાય એ માટે જુદાં-જુદાં ક્ષેત્રોના નિષ્ણાતોનાં આયોજન પણ કરવામાં આવે છે, પરંતુ આ બધાં આયોજનના પાયામાં છે આશાબહેન રાવળ.
તા. ૧૭-૪-૧૯૪૨ના રોજ વઢવાણ શહેરમાં જન્મેલાં આશાબહેને એમ. એ., બી. એડ. સુધી અભ્યાસ કર્યો છે. આદર્શ શિક્ષિકા અને કુશળ આચાર્ય તરીકે શિક્ષણજગતમાં એમનું મોટું નામ અને કામ છે.
એમની શૈક્ષણિક પ્રવૃત્તિની વાત કરીએ તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નિર્માણલેખન અને પરામર્શનમાં ૧૯૯૪થી ૧૯૯૬ સુધી એમણે સક્રિય પ્રદાન કર્યું છે. આ ઉપરાંત સ્વાધ્યાયપોથી, હિન્દીમાંથી અનુવાદનું કાર્ય ‘નેશનલ બુક ટ્રસ્ટ' ઑફ ઇન્ડિયા'ના પ્રૌઢ શિક્ષણ માટેના પુસ્તકલેખન તેમજ તેના અનુવાદનું પણ તેમણે કામ કર્યું છે. આ ઉપરાંત ૧૯૮૦થી ૧૯૯૫ સુધી આકાશવાણીના શૈક્ષણિક કાર્યક્રમોમાં પણ તેમનું યશસ્વી પ્રદાન રહ્યું છે. એમની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ખૂબ જ નોંધપાત્ર છે. શાળાના
For Private & Personal Use Only
www.jainelibrary.org