SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સ્વપ્ન શિલ્પીઓ કાનજીભાઈના પિતા સ્વ. વૈદ્ય છગનલાલ હરિશંકર વળા (વલભીપુર)ના વતની હતા. ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમનો જન્મ. સંસ્કૃતના અભ્યાસી શ્રી ભાગવતના પ્રખ્યાત કથાકાર ઉપરાંત નામાંકિત દેશી વૈદ્ય હતા. છગનલાલભાઈનું વૈદ્યમંડળમાં સારું માન હતું. તેઓની પાસે ભણેલા ઘણા વૈદ્યો ભાવનગર અને બીજા ગામોમાં કુશળ વૈદ્ય તરીકે નામના મેળવતા પોતાના ગુર છગનભાઈને યાદ કરતા છગનભાઈ આયુર્વેદના અણમોલ રત્ન સં. ૧૯૮૧ના અષાઢ સુદિ ૧૦ અસાધ્ય અને જેને માટે યુરોપના વિદ્વાન ડોક્ટરો તેની અક્સીર દવાઓ માટે પ્રયોગો કરતા તેવાં વિકટ દરદ માટે તેમણે અમુક વનસ્પતિના પાલામાંથી એક દવા શોધી કાઢી અને તે ડાયાબિટીસના દરદ માટે અક્સીર થઈ પડી. દરદ સાજા થવાની આશા મૂકી દીધેલા અનેક દરદીઓની તેમને સલાહ પૂછે અને તેમને માટે જુદી-જુદી વનસ્પતિઓમાંથી તેઓ દવા બનાવી આપે. દરદોના સંબંધમાં દરદીઓને યોગ્ય સલાહ આપે. તેમની એક ટોનિક દવા બાદશાહી યાકુતી (રોયલ યાકુતી) કે જે શરીર જોરાવર બનાવનારી અક્સીર દવા છે અને દુનિયાના ઘણા ભાગમાં મોટા પ્રમાણમાં વપરાય છે. ખૂબી તો એ છે કે ઓપિયમ રસાયણ છે કે કોઈ ઝેરી દવાની તેમાં મેલવણી કરવામાં આવતી ન હતી જેથી કોઈ પણ જાતની પરેજી વગર વાપરી શકાય તેવી હતી. ગવર્નમેન્ટના નામાંકિત સિવિલ સર (આઈ.એ.એસ.) ડૉક્ટર કાલિદાસની આયુર્વેદિક દવાઓ પોતાનાં દરદીઓને વાપરવા ખાસ ભલામણ કરેલ. તેમણે લખેલ ‘નેક્ટર ઑફ લાઈફ' નામનું વૈદક પુસ્તક બહુ લોકપ્રિય થયેલ અને તેની કેટલીક આવૃત્તિ અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષામાં કરેલ. રાજા-રજવાડાંમાં તેમનું માન અને વાંકાનેર સ્ટેટ કાઉન્સિલમાં વર્ષો સુધી મેમ્બર હતા અને ત્યાં પ્રજાના લાભ અર્થે સારી સેવા બજાવી આયુર્વેદ શાસ્ત્રમાં શું સમાયેલ છે તેનો ચમત્કાર ડૉક્ટર કાલિદાસ બતાવતા. તેમણે વૈદક ધંધામાં મોટી નામના અને સારી દોલત મેળવેલ. તેઓ એટલા બધા ઈશ્વર પ્રત્યે શ્રદ્ધાવાન કે તેઓ એમ માનતા કે જે કાંઈ સારું થાય છે તે ઈશ્વરની કૃપાથી જ થાય છે. તેમને ગિરિજાશંકર અને ભાનુશંકર નામના બે પુત્રો. રાજકોટમાં સનાતન ધર્મ રક્ષણાર્થે સ્થાપન થયેલ ચાતુર્વર્ણય સમિતિના તેઓ ઉપપ્રમુખ અને ત્યાં સનાતનધર્મની દરેક હિલચાલને અને સંસ્થાને મદદ આપીને તેમાં આગેવાનીભર્યો ભાગ લઈ હિંદુધર્મની મોટી સેવા બજાવેલ વૈદ્ય કાનજીભાઈનો જન્મ સં. ૧૯૩૮ ચૈત્ર સુદ ૯ (રામજયંતિ)ના પવિત્ર દિવસે ભાવનગરમાં થયો હતો. પ્રાથમિક કેળવણી સંપૂર્ણ તથા અંગ્રેજી મેટ્રિક સુધી અભ્યાસ ભાવનગરમાં જ કર્યો હતો. પિતાની સાથે દર્દીઓને જોવા જતા, પિતા દર્દીનું નિદાન કરે અને પુત્રને પ્રત્યક્ષ નિદાન કરતાં શીખવે. ઉપરાંત દવાઓ બનાવવી અને આપવી વગેરે કાર્યો પ્રત્યક્ષ કરાવવા માંડ્યા. સંસ્કૃત સાહિત્યના પણ અભ્યાસી હોવાથી “પંચતંત્ર', “રઘુવંશ’, ‘હિતોપદેશ' વગેરે ગ્રંથોનો અભ્યાસ કરી માહિતી મેળવી. વૌકનો શોખ પ્રતિદિન વધારતા ગયા હતા. એક કુશળ વૈદ્ય જેટલું કામ કરવા લાગ્યા હતા. પોતે એક કુશળ વૈદ્ય હોવા છતાં પણ કોઈ પણ સંસ્થાની પરીક્ષા આપેલી નહીં હોવાથી પોતે ‘પરવાના વગરના વૈદ્ય' તરીકે સમાજને ઓળખાવતા. વૈદ્ય વિદ્યાની ઉપાધિ મેળવવાના હેતુથી પહુંચ શ્રી મહારાજા સાહેબ તથા મહૂમ દીવાન શ્રી ગગા ઓઝા તરફથી સારી સ્કોલરશિપ મેળવી મુંબઈ ગયા અને ત્યાંની પ્રખ્યાત ડૉ. પ્રભુરામ જીવણરામ સ્થાપિત ડૉ. પોપટભાઈની આર્ય મેડિકલ કૉલેજમાં દાખલ થઈ ચાર વર્ષ સુધી અભ્યાસ કરી ‘ભિષગુવર અને એસોસિએટ આર્યન મેડીકલ સ્કૂલ મુંબાઈ'ની માનવંત પદવી મેળવી. મુંબઈના વસવાટ દરમિયાન અંગ્રેજી વૈદકનું જ્ઞાન તથા ડૉ. પોપટભાઈના મિત્રો અને કેટલાક જાણીતા સજ્જનોનો પ્રેમ મેળવ્યો તેમ જ ખાનગી પ્રેક્ટિસ કરી ઘણાં દરદીઓને આરામ કર્યો અને સફળ વૈદ્ય તરીકે ખ્યાતિ મેળવી હતી. ધંધાની શરૂઆત શ્રી કાનજીભાઈએ મુંબઈથી પદવી મેળવી વતનમાં પાછા આવી વડીલોપાર્જિત મહાન પરોપકારનો વૈદકનો ધંધો શરૂ કર્યો. પિતાના હસ્તક ચાલતું દવાખાનું પોતે સંભાળી લીધું અને પિતાને ઈશ્વરભક્તિ માટે નિવૃત્ત કર્યા. હતી. કાનજીભાઈ છગનલાલ વૈધ આયુર્વેદના ઉપાસકોમાં કેટલાક એવા વીર ઉત્પન્ન થયા છે કે જેની કીર્તિની જ્યોતિ સમાજનું આકર્ષણ કરે. શ્રી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy