________________
સ્વપ્ન શિલ્પીઓ
બોલવાનો બહુ શોખ હતો. તે કાળ ગુજરાતના માટે અમૂલ્ય હતો. નર્મદાશંકરના સુધારાનો ડંકો વાગતો હતો. પરદેશગમન કરનારા માટે વિરોધી તેમજ તરફેણના જબરદસ્ત પંથ પડ્યા હતા. દલપતરામની કવિતા ગુજરાતમાં વંચાતી હતી. કેટલાંક વર્તમાનપત્રો તેવામાં સુધારાનો ડંકો વગાડતાં અને તે અરસામાં સુરતમાંથી પણ એકાદ બે અઠવાડિક પત્રો શરૂ થયાં હતાં. તેવે સમયે શ્રી વિદ્યાશંકરભાઈ છાપામાં લેખો લખતા. શિક્ષક તરીકેનું કાર્ય આટોપી એકાદ અઠવાડિક પત્રમાં જોડાયા અને અગ્રનોંધો અને લેખો લખતા; તેમજ તે સમયે સુરતમાં દેશી કારીગરોનો જુવાળ પ્રગટી નીકળ્યો હતો, દર અઠવાડિયે સભાઓ મળતી. ઠેરઠેરના વક્તાઓ આવતા અને ભાષાઓ આ સમયે પણ શ્રી વિદ્યાશંકરભાઈ કિશોર અવસ્થાએ સભાઓમાં જતાં અને ભાષણો આપવાની તક ઝડપી લેતા.
તે પછી તેમના જીવનનો પલટો થયો. તેઓ સિરોહી, નાથદ્વારા વગેરે સ્થળોએ ફર્યા. મોટા ઉદેપુર જઈ વકીલાત આરંભી પણ ત્યાંનું વાતાવરણ અનુકૂળ નહીં લાગવાથી પાછા પાટણ આવ્યા અને વડોદરા રાજ્યની પરીક્ષા આપી પાસ થયા.
એક તરફથી વકીલાત શરૂ કરી અને બીજી તરફથી સેવાનો તેજસ્વી દીપક તેમના આત્મામાં પ્રગટ થયો અને વકીલાત સાથે જ લોકોપયોગી સેવાઓમાં પ્રવૃત્ત થયા. જ્ઞાતિની કોન્ફરન્સોમાં હાજરી આપી ઉત્સાહથી ભાગ લીઘો અને જ્યાં જ્યાં સેવાનું ક્ષેત્ર દેખાયું ત્યાં ત્યાં વિના સંકોચે દોડી જવા
લાગ્યા.
તેમના સમયમાં પાટણમાં તેઓ અગ્રગણ્ય વકીલ હતા. તેમના બુલંદ અવાજથી ગમે તેવો જૂઠો સાક્ષી ડરી જતો અને આખી કોર્ટમાં તેમના પ્રચંડ બુલંદ અવાજનો પડઘો પડી જતો. વકીલાત દરમ્યાન કાયદાની આંટીઘૂંટીના વિકટ સવાલો ઘડીમાં ઉકેલતા અને મોટા મોટા ફોજદારી કેસોમાં તેમની મોટી ફતેહ થતી. આથી આખા વડોદરા રાજ્યમાં તેમની કીર્તિ પ્રસરી અને તેમની પ્રામાણિક કર્તવ્યપરાયણતાની સુગંધ ચારે તરફ મહેકી ઊઠી.
પાટણમાં એક પણ પુસ્તકાલય નહોતું. લોકોનો વાંચવાનો શોખ દિન-પ્રતિદિન વધતો જતો હતો. તેવા પ્રસંગે પાટણમાં એક પુસ્તકાલય ખોલવાની પ્રવૃત્તિ ચાલી. પાટણના અગ્રગણ્ય શહેરીઓએ તેમજ અમલદારોએ લોકોને પુસ્તકાલયની ઉપયોગિતા સમજાવી તેને માટે ફંડ એકઠું કર્યું અને સરકારની મદદ લઈ પાટણમાં શ્રીમંત ફતેસિંહરાવ
Jain Education International
૧૩૫
સાર્વજનિક પુસ્તકાલય' ખોલાયું. તેમણે પોતાનો મોટો ફાળો આપ્યો અને આ પુસ્તકાલયમાં વર્ષો સુધી મંત્રી તરીકે અને પ્રમુખ તરીકે કામ કરી પાટણની જનતાની સેવા કરી. પાટણનું પુસ્તકાલય વડોદરા રાજ્યમાં સારામાં સારા પુસ્તકાલયમાંનું એક ગણાતું હતું.
આખા દિવસના પરિશ્રમથી કંટાળેલાઓને ક્લબ એ તો એક નિર્દોષ બે ઘડી મોજ આપવાનું એક ઉત્તમ સાધન. આવું એક સ્થળ પાટણમાં નહીં હોવાથી પાટણના નાગરિકો અને અમલદારોએ જોયું કે અહીં એક ક્લબની ખાસ જરૂર છે. જ્યાં સાંજે શહેરના ગૃહસ્થો અને અમલદારો એકબીજાથી મળી સારો સહકાર સાધે અને ક્લબની શરૂઆત થઈ. આ વખતે ક્લબ હાલના આયુર્વેદ મહાવિદ્યાલયના મકાન બહાર વરેડીમાંજ શરૂ થઈ, તે વખતે ડૉ. બાલાભાઈ પાટણમાં દાક્તર હતા. તેમની પાટણની અનેક પ્રકારના લોકોપયોગી સેવાઓના બદલામાં ક્લબનું નામ બાલાભાઈ ક્લબ રખાયું. મેમ્બરોની સંખ્યા વધવા લાગી અને ક્લબને સ્વતંત્ર મકાનની જરૂર જણાઈ તે વખતે મંત્રી તરીકે શ્રી વિદ્યાશંકરભાઈ કામ કરતા હતા. તેઓએ તથા બીજા સભ્યો, અમલદારો વગેરેએ મળીને એક ફંડ એકઠું કર્યું અને તે તેમના પરિશ્રમે ક્લબનું મકાન તૈયાર થયું.
ક્લબ એ તો તેમની પ્રિયમાં પ્રિય સંસ્થા હતી. ગમે તેવી નાદુરસ્ત તબિયત હોય છતાં સાંજે ક્લબમાં તો હાજર રહેતા. સારા વિદ્વાન પાટણમાં આવે તો શ્રી વિદ્યાશંકરભાઈ તેમને ક્લબમાં ખેંચી લાવી દરેક જરૂરિઆતો તેઓ ખંતથી પૂરી પાડે, ક્લબ તરફથી તેમની આ સેવાઓનો બદલો બાલાભાઈ ક્લબના સભ્યોએ તેમનો ઓઇલ પેઇન્ટ ફોટો મૂકીને વાળ્યો. બાલાભાઈ ક્લબ પાટણની આદર્શ સંસ્થા ગણાતી.
શ્રી વિદ્યાશંકરભાઈના પરમમિત્ર શ્રી ઝવેરી છગનલાલ મગનલાલ મુંબઈના જાણીતા ઝવેરી હતા. તેઓ અપુત્ર હતા તેથી તેમની મિલ્કતનો સદ્યય કરવાની સલાહ શ્રી વિદ્યાશંકરભાઈ પાસે માગી. શ્રી વિદ્યાશંકરભાઈએ પાટણમાં એક અનાથાશ્રમ ખોલવાની સલાહ આપી. તે ઝવેરીને રુચી અને પોતાની બધી મિલ્કત અનાથાશ્રમ અને શ્રીમાળીઓની બોર્ડિંગમાં વહેંચી દીધાં અને તેને માટે એક ટ્રસ્ટ દીઠ કરી શ્રી વિદ્યાશંકરભાઈને ટ્રસ્ટી અને બન્નેના મંત્રી તરીકે નીમ્યા અને સ્વર્ગે સિધાવ્યા. ત્યારબાદ શ્રી વિદ્યાશંકરભાઈએ સંસ્થાઓને પાળી પોષી પોતાના બચ્ચાની માફક મોટી કરી. આ કાર્યની
For Private & Personal Use Only
www.jainelibrary.org