________________
૧૫૬
કરી ભાઈનાં નાનાં બચ્ચાં સંભાળવા માટે આશરે ઈ.સ. ૧૮૫૦માં રાજકોટ આવી વસ્યા.
ખાનબહાદુર બેજનજી આ વખતે બાલ–અવસ્થામાં હતા ને રાજકોટમાં અંગ્રેજી નિશાળ નહીં હોવાથી સુરત જે તેઓનું વતન ને જ્યાં તેમનું કુટુંબ વસતું હતું ત્યાં રહી અભ્યાસ કરતા હતા. સને ૧૮૬૩માં વીસ વર્ષની ઉંમરે તેઓ કાઠિયાવાડ પોલિટિકલ એજન્સીની નોકરીમાં ક્લાર્ક દરજ્જે દાખલ થયા. તે વખતના અંગ્રેજ પોલિટિકલ ઓફિસર કે જેમણે કાઠિયાવાડમાં રાજાઓ તથા તાલુકદારના વર્ગ પાડી તેમને અમુક અખત્યાર આપ્યા તથા નાના તાલુકદારોને બિનઅખત્યારી ઠેરવી તેમના ગ્રુપ પાડી તે પર પ્રાંત ઓફિસરો તથા ડેપ્યુટીઓ નીમ્યા. ન્યાયની કોર્ટો સ્થાપી. રાજા-રજવાડાંઓ તથા ગરાસિયાઓ વચ્ચે ગરાસચાસના કજિયા હતા તે પતાવ્યા. તેમના સીમાડા મુકરર કર્યા તથા ગરાસની તકરારોને લીધે બારવટાં થતાં તે નાબૂદ કરી સુલેહ શાંતિ ફેલાવી. ટૂંકરોડ, ધર્મશાળા, ઇસ્પિતાલ, ટપાલ તથા તારઓફિસ, રેલવે કેળવણી તથા શીતળાખાતું વગેરે લોકોપયોગી કામો લૂંટફાટ અટકાવી કાઠિયાવાડને સુધરેલી સ્થિતિમાં આપ્યું અથવા બીજા શબ્દોમાં ટૂંકમાં કહીએ તો કાઠિયાવાડને અંધાધૂંધીની સ્થિતિમાંથી સુલેહ શાંતિવાળી સ્થિતિમાં આપ્યું. તેમના હાથ નીચે રહી શ્રી બેજનજીએ જાતે શિક્ષણ તથા તાલીમ મેળવી. ખા. બા. બેજનજીએ જો કે મેટ્રિક વગેરેની કોઈપણ પરીક્ષા પાસ કરેલી નહીં તો પણ તેઓના વખતના ઘણા ગ્રેજ્યુએટો કરતાં ઘણે દરજ્જે ચઢિયાતું અંગ્રેજી ભાષાનું જ્ઞાન તેમણે સંપાદન કર્યું હતું કે જેના પરિણામે છેવટના ભાગે તેઓ એક કુશળ લેખક હોવાનું માન મેળવી શક્યા હતા, પણ તે વખતે સરકારી નોકરો બહુ થોડા હોઈ પ્રમોશન બહુ ધીમાં હતાં, જેથી ૧૭ વર્ષની નોકરી બાદ સને ૧૮૮૦માં તેઓ એજન્સીના હેડ એકાઉન્ટન્ટના દરજ્જે પહોંચ્યા હતા, જ્યાં ૪ વર્ષ રહ્યા બાદ તેઓની સર્વિસ સન ૧૮૮૪માં માંગરોળ સ્ટેટે સરકાર પાસે માંગી લીધી. ત્યાં તેઓ મુખ્ય કારભારીના દરજ્જા પર ૭-૮ મહિના રહ્યા પણ તેટલા વખતમાં રાજ્યમાં ઘણા સુધારા થયા ને તેથી દીપી નીકળે તેવા રાજ્યકારભારીની પોતાની વૃત્તિને અજવાળામાં લાવવાનો અવકાશ મળ્યો ત્યાં દરબારશ્રીની તથા પ્રજાની પ્રીતિ સંપાદન કરી તે એટલે દરજ્જે કે તેમની તથા દરબારની વચ્ચે જિંદગીના છેડા સુધી એક બીજા સાથેનો પ્રેમ તથા ભક્તિભાવ કાયમ રહ્યાં હતાં.
ઈ.સ. ૧૮૮૪ના ઓગષ્ટ માસમાં ગોંડલ રાજ્યના
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ મહારાજાશ્રી ભગવતસિંહજી ગાદીનશીન થયા ત્યારે તેઓએ બેજનજી મેરવાનજીને પોતાના પહેલા મુખ્ય કારભારી તરીકે પસંદ કરી તેમની સર્વિસ સરકાર પાસેથી માગી લીધી. તેઓને
મુખ્ય કારભારી નીમ્યા. આ વખતે ગોંડલનું રાજ્ય બીજા ક્લાસમાં હતું પણ તે પછી તે રાજ્યનો કારભાર વખાણવા જોગ પદ્ધતિએ ચાલવા લાગ્યાથી સ્ટેટ આબાદ થવા લાગ્યાથી તથા તેમાં ઘણા સુધારા દાખલ થયાથી અને રાજ્યકર્તા મહારાજાશ્રી ભગવતસિંહજીની બાહોશી, તેમનો રૈયત પ્રત્યેનો પ્રેમ તથા રૈયતને સંતોષી બનાવવાના તેમના પ્રયાસો તથા અભ્યાસ જારી રાખી ઊંચી વિદ્યાસંપાદન કરવાના તેઓના પ્રયાસો અજવાળામાં આવ્યાથી તેઓ અમુક ઇલ્કાબો સરકારે એનાયત કર્યા. રાજ્યને સેકન્ડ ક્લાસમાંથી ફર્સ્ટ ક્લાસમાં ચડાવ્યું. તેથી બેજનજીનો દરજ્જો દીવાન તરીકેનો થયો.
એ જવાબદારીવાળા દરજ્જા ઉપર બેજનજી ૧૯ વર્ષ રહ્યા. તે દરમ્યાન ત્યાંના મહારાજા પોતે અભ્યાસ માટે લાંબી મુદ્દતો સુધી યુરોપમાં રહ્યા તથા દૂર દેશાવરો જોવાના હેતુથી પૃથ્વીના ઘણા ભાગ ઉપર ફર્યા ત્યારે દીવાન બેજનજી ઉપર તેઓનો પૂરો વિશ્વાસ હોવાથી સ્વતંત્રપણા, પ્રામાણિકપણા તથા નિષ્પક્ષપાતપણા, નીડરપણા તથા વફાદારીની પૂર્ણ ખાત્રી હોવાથી પોતાની ગેરહાજરી દરમ્યાન રાજ્યનો કુલ અખત્યાર તેઓને સોપેલ હતો. તે કામ દીવાન બેજનજીએ બજાવી મહારાજાની તેમ જ પ્રજાની એક સરખી રીતે પ્રશંસા તથા પ્રેમ મેળવ્યાં હતાં. ઘણાં લોકોની માન્યતા છે કે પ્રામાણિકપણું રાજ્યમાં નભી શકતું નથી પણ જ્યાં મહારાજા ભગવતસિંહજી જી. સી. આઈ. ઈ., એમ. ડી., એફ. આર. સી. પી. ઈ. ડી. સી. એલ. એલ. એલ. ડી. એફ. આર. સી. ઈ. એફ. બી. યુ. વગેરે જેવા શાંત પ્રકૃતિના વિદ્વાન ને દૃઢ રાજકર્તા હોય ત્યાં બેજનજી જેવા નીડરપણે સત્ય કરવાવાળા સત્ય બોલવાવાળા તથા સત્યવિચારવાવાળા તરીકે આખા કાઠિયાવાડમાં મશહૂર થયેલા માણસ સફળ થાય. તેઓ વયોવૃદ્ધ થયા ત્યાં સુધી ૧૯ વર્ષ દીવાનપદે રહેવા પામ્યા હતા.
રાજહક માટે નીડરપણે અને સાચે રસ્તે તેઓ લડત ચલાવતા, તેના પરિણામે એક વખત તેમને સરકારી નોકરીમાંથી પાછા ખેંચી લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી, પણ સત્યની લડત તે ચલાવતા, જેથી તેમાં મહારાજનો પૂરેપૂરો ટેકો હતો. ગોંડલ રાજ્યના હિતના જ નહીં પણ આખા કાઠિયાવાડના રાજાઓના હિતના સવાલમાં તેઓ અગ્રેસર ભાગ
For Private & Personal Use Only
www.jainelibrary.org