________________
સ્વપ્ન શિલ્પીઓ
ભજવતા હતા ને તે સઘળાઓનો વિશ્વાસ મેળવ્યો હતો, જેથી આખા કાઠિયાવાડના રાજાઓ તેમને એક સરખી રીતે માન આપતા હતા ને સલાહ લેતા હતા. તે એટલે સુધી કે તેઓ રિટાયર થયા પછી પોતાના વતન રાજકોટમાં આવી પોતાની જિંદગીના અંત સુધી એટલે ૧૬ વર્ષ રહ્યા ત્યાં સુધી તેમના ગરીબ છાપરા હેઠે આવી તેમની સલાહ લેતા હતા. ગોંડલ રાજ્યમાં ૧૯ વર્ષ કારભાર કર્યો તે પ્રામાણિકપણા તથા ઉદારવૃત્તિ દયાળુ ને મિલનસાર સ્વભાવ અને સ્વતંત્રતા તથા નિષ્પક્ષપાતપણાને લીધે તથા રાજ્યની વફાદારી અને અડગ રાજ્યભક્તિને લીધે ઘણો ઉજ્જ્વળ ગણાયો હતો. તેમના કારભારમાં ગોંડલ સ્ટેટ ઘણું આબાદ થયું. તે સાથે કાઠિયાવાડમાં એક નમૂનેદાર રાજ્ય અને હિંદમાં અમુક નમૂનેદાર રાજ્યો છે તેમાં એક નમૂનેદાર રાજ્ય ગણાવા લાગ્યું. તેમના વખતમાં રેલવે વધારવામાં આવી. ઇરિગેશનના તળાવ તથા નહેરો, ઇસ્પિતાલો, ગરાસિયા કૉલેજ, હાઈસ્કૂલ તથા બીજાં જાહેર ઉપયોગી મકાનો બાંધવામાં આવ્યાં. રસ્તાઓ જેની હરીફાઈ ન થઈ શકે તેવા ઊંચા પ્રકારના કરવામાં આવ્યા. વસૂલાત ખાતામાં સુધારા કરી ખેડૂતોને કબજાહક્ક આપીને તથા ભાગબટાઈ ને બદલે વિઘોટી દાખલ કરવામાં આવી અને ઘણાક કરો કાઢી નાખી ગોંડલની પ્રજાને કરના બોજારહિત બનાવી. પોલીસખાતું સુધા૨ી ઊંચી પંક્તિવાળું બનાવ્યું બહારવટિયાઓનો નાશ કરીને કે તેમને પકડી પેશ પહોંચાડી રાજ્યની હદમાં સુલેહ શાંતિ કરી પ્રજાના જાનમાલ પરિપૂર્ણ રક્ષણવાળાં કર્યાં. તે સઘળી યોજનાઓ પાર ઉતારી રાજ્યની તિજોરી તથા પ્રજાને આબાદીમાં મૂકી રાજા તથા પ્રજાની એક સરખી રીતે ચાહના મેળવી ૧૯ વર્ષના યશસ્વી કારભાર પછી ઈસ્વીસન ૧૯૦૩માં વયોવૃદ્ધ થવાથી તથા તેના પરિણામે પોતાની તબિયત જોઈને તેવી રીતની દુરસ્ત નહીં રહ્યાથી રિટાયર થયા. તે વેળા રૂા. ૫૦૦નું માસિક પેન્શન તેઓને આપવા ઠેરવ્યું પણ તેઓ સરકારી નોકર હોઈ તેમને એક પેન્શન ત્યાંના ધારા મુજબનું સરકારમાંથી મળવાનું હોઈ ગોંડલ સ્ટેટમાંથી બીજું પેન્શન લઈ શકાશે નહીં એવો ઠરાવ થયાથી તે પેન્શન તેઓ લઈ શકેલા નહીં. તેઓ રિટાયર થયા પછી તેમની યાદગીરી કાયમ રાખવા ત્યાંની પ્રજાએ તેમનું તૈલચિત્ર ત્યાંની સર ભગતસિંહજી લાઇબ્રેરીમાં રાખ્યું હતું. કાઠિયાવાડના તેમનાં વખાણનારાંઓએ એક બીજું તૈલચિત્ર રાજકોટની લેંગ લાઇબ્રેરીમાં રખાવ્યું છે. રિટાયર થઈ તેઓ પોતાના વતન રાજકોટમાં જિંદગીના અંત સુધી રહ્યા. તે દરમિયાન તેઓએ
Jain Education Intemational
૧૫૭
ધર્માદાનાં તથા લોકોપયોગી અને પરોપકારી કામોમાં પોતાનું જીવન ગાળ્યું હતું. બ્રિટિશ સરકારે તેમની કદર કરી ખાનબહાદુરનો ઇલકાબ સને ૧૯૧૦માં એનાયત કર્યો હતો. રાજકોટમાં તેઓ આગેવાન શહેરી હોવાનું માન ધરાવતા હતા. તેઓ ૭૬ વર્ષની વયે તા. ૨૬-૧૧-૧૯૧૯ના રોજ રાજકોટ મધ્યે સ્વર્ગવાસી થયા. તે દિવસ નાતાલ સબબ ઓફિસો તથા શાળાઓમાં રજા હતી પણ શોક પ્રદર્શિત કરવા થકી રેસિડન્સીનો સરકારી વાવટો અર્ધી કાઠીએ રાખવા તે વખતના એજન્ટ ટુ ધી ગવર્નરે હુકમ કર્યો હતો ને રાજકોટ સિવિલ સ્ટેશનના વેપારીઓએ બજારમાં પોતાની દુકાનો બંધ રાખી હતી. તેમના અવસાનના ખબર ગોંડલ પહોંચતાં સઘળી ઓફિસો તથા શાળાઓ તેમના માનમાં નામદાર મહારાજાના હુકમથી બંધ કરવામાં આવી હતી તથા નામદાર મહારાજા સર ભગવતસિંહજી શોક પ્રદર્શિત કરવા એક જાહેરખબર બહાર પાડ્યા પછી ખાનબહાદુર બેજનજીની નોકરીની કદર તરીકે તેમની વિધવાબાઈ જરબાઈને માસિક પેન્શન રૂ. ૨૫૦ નું બાંધી આપેલ હતું તેમાં દર્શાવેલ કે :
“આ રાજ્યના દીવાન સાહેબ ખાનબહાદુર બેજનજી મેરવાનજીએ લાંબી મુદત પ્રશંસાપાત્ર નોકરી કરી પોતાના પદને બધી રીતે પૂર્ણ લાયક નીવડી અમારી ને પ્રજાવર્ગની પ્રીતિ મેળવી હતી. કીર્તિ અને સર્વના સદ્ભાવ સાથે સને ૧૯૦૩ની સાલમાં નાદુરસ્ત તબિયતને લીધે તેઓએ પોતાનો હોદ્દો છોડ્યો હતો. નોકરી છોડ્યા પછી પણ પોતે જીવ્યા ત્યાં સુધી પોતાનું લક્ષબિંદુ રાજ્યના હિતમાં જ તેમણે રાખ્યું હતું. એવા વફાદાર અડગ રાજ્ય રાજ્યભક્તની કદર કરવી ઇષ્ટ હોઈ તેઓ ગુજર્યા તે તારીખથી તેમના વિધવાને માસિક રૂા. ૨૫૦નું પેન્શન આપવાનું ફરમાવીએ છીએ. આ હુકમની એક નકલ અમારી દિલસોજી સાથે તેમનાં વિધવાબાઈ જરબાઈને મોકલાવી.’’ એવો ઠરાવ કર્યો હતો.
તેઓ રાજકોટ પારસી અંજુમનના પ્રથમ સેક્રેટરી તથા ત્યારપછી સરનશીન હતા, જેથી તે કોમે તેમની સેવાની કદર કરી. દરેક જશનને ભણતરમાં મર્હુમનું નામ દેવાનો તથા તેમની છબી અગિયારીમાં મૂકવાનો ઠરાવ કર્યો હતો તથા ગુજરનારના કુટુંબ તરફ દિલસોજી બતાવનારો ઠરાવ રાજકોટની પ્રજાએ કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર સર ઇવાન મેકોનેકીના પ્રમુખપણા નીચે મળેલી સભામાં કર્યો હતો તથા કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર નીચે મુજબનું નોટિફિકેશન બહાર પાડી
For Private & Personal Use Only
www.jainelibrary.org