SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ વ્યાપાર વગેરેથી દ્રવ્યોપાર્જન કરીને પિતાજીનું કુલ દેવું ભરપાઈ કરી દીધું અને ૠણના બોજામાંથી પિતાશ્રીને મુક્ત કરી ઈશ્વરભજનમાં પોતાનો સમય ગાળે તે પ્રમાણે બંદોબસ્ત કરી આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાના આ નિવાસ દરમ્યાન સુખદુઃખના કંઈ કંઈ અનુભવ થયેલા. તેમાં એક મહાસંકટનો અનુભવ જોએલા પોતાના શબ્દોમાં લખેલો. “લેડીસ્મિથ પાસે વેસલ્સનેક કોલરી છે. તે નજીક એક દુકાન સને ૧૯૦૪માં રાખેલી. દુકાન રેલ્વે સ્ટેશનની આજુબાજુ ત્રણેક માઇલ દૂર હતી. ત્યાં એક વખત મધ્યરાત્રે અમુક હિંદી ભાઈઓએ મારા ઉપર હુમલો કરેલો. મને મારી નાખવા પાંચ–સાત માણસની ટોળી આવેલી. અંધારી ઘનઘોર રાત્રિએ વરસાદ ખૂબ આવતો હતો. કોઈનું મોં સરખું પણ જોઈ શકાય નહીં. આશરે અગિયાર વાગ્યાને સુમારે અમે ઊંઘી ગયેલા તે વખતે પેલી ટોળી આવેલી, કે જેમાં એક ઓળખીતો માણસ પણ ભળી ગયેલો. તેણે બૂમ મારી દુકાન ઉઘડાવી અને આખી ટોળી દુકાનમાં દાખલ થઈ. દુકાનના બે માણસોને માર પડ્યો, તો તે જીવ લઈને નાઠા. હું એકલો મારા રૂમમાં હતો ત્યાં હુમલો થયો. હું પાછલી બારીએથી બહાર કૂદી પડી નાઠો. રસ્તામાં વરસાદથી થયેલો કીચડ, પગમાં બૂટ ન મળે, માથું ઉઘાડું ને એક ગંજીફાક અને અંદર ટ્રાઉઝર સાથે નાઠેલો. પેલી ટોળીના માણસો ફાનસ લઈને પાછળ આવતા હતા. વચમાં નદી આવી. તે બંને કાંઠે ભરપૂર હતી. શું કરવું? પ્રભુનું નામ લઈને મારાઓથી બચવા પાણીમાં ઝંપલાવ્યું. તરતાં આવડતું હતું. પાણીમાં તાણ પણ ખૂબ જ હતું, છતાં ત્રાસને લીધે અને પ્રભુ કૃપાથી નદી સાંગોપાંગ તરી ગયો. સામે કિનારે એક ઝાડ હતું. તેની ડાળ પકડી રાખીને લટકી રહ્યો અને અર્ધા કલાકે કિનારે નીકળી શક્યો. પેલા લોકો કિનારે આવી આમતેમ શોધી જોશી તણાઈ ગયો એમ માની પાછા ચાલ્યા ગયા. રામ રાખે તેને કોણ ચાખે? રાત્રિ જંગલમાં ગાળી. બીજે દિવસે પોલીસ સ્ટેશન જઈ પેલા લોકોને પકડાવ્યા અને તેમને ત્રણ ત્રણ મહિનાની સજા થઈ. આ પ્રમાણે સંકટો સહન કરતાં જોશીજી સને ૧૯૦૫ના સપ્ટેમ્બરની આખરે હિંદમાં આવ્યા. દેવની પ્રતિકૂળતા અહીં નડી. તેમના ઘેર અગાઉ ચાર જ દિવસ પહેલાં તેમનાં માતાપિતા બન્નેએ સાથે પ્લેગમાં સપડાઈ એક જ દિવસે સ્વર્ગવાસ કરેલો અને એક સાથે અગ્નિદાહ થયેલો તે સાંભળી જોશીજીને હૃદયમાં બહુ જ આઘાત થયો. જે માતાપિતાને સુખી Jain Education International ૧૫૧ કરવા તેમણે દેશાવર વેઠ્યો તેમનાં દર્શનની અપેક્ષાએ હજારો માઇલનો દરિયો ડહોળી તેઓ દેશમાં આવ્યા, પરંતુ અફસોસ! મનુષ્ય કંઈ ધારે છે અને વિધિ બીજું જ નિર્માણ કરે છે. ચાર જ દિવસ પહેલાં આવ્યા હોત તો માતાપિતાનાં દર્શનનો લાભ એ માતૃપિતૃભક્ત પુત્રને મળત. જોશીજી એટલા ભાગ્યશાળી કે તેમના હાથે તેમનાં માતાપિતાની ઉત્તરક્રિયા સારી રીતે થઈ. જ્ઞાતિભોજન લહાણાં વગેરે જે કંઈ થતું આવતું તે કર્યું. જોશીજી હવે છત્ર વિનાના થઈ પડ્યા. એકલા અને અટુલા થયા. તેમની સોળ વર્ષની ઉંમરે માતાપિતાએ તેમને પરણાવેલા પરંતુ તે બાઈ પણ સ્વર્ગવાસ પામેલી. જેનું મોં સરખું પણ જોશીજીના જોવામાં આવેલું નહીં. તે માત્ર નામનું લગ્ન હતું. સને ૧૯૦૬ની શરૂઆતમાં તેમનું સગપણ ગોમતીબહેન સાથે થયું. તે વખતે એ બહેનની ઉંમર નવ વર્ષની હતી. રિવાજ મુજબ જોશીજી કન્યાને વસંત ચઢાવી તે જ વર્ષમાં જૂન માસમાં દક્ષિણઆફ્રિકા ગયા. આ વખતે દક્ષિણઆફ્રિકામાં મૂળવતની (હબસી)ઓ ઉપર સરકાર તરફથી પોલટેક્સ (Poll Tax) નાખવામાં આવ્યો. તે કારણથી તે લોકોએ બળવો કર્યો. સરકારને મદદ કરવા હિંદી કોમ તરફથી ઇન્ડિયન સ્ટેચર બેરર કોર' ઊભી કરવામાં આવી. તેમાં વોલેન્ટિયર તરીકે મ. ગાંધીજી સાથે જોશીજી પણ જોડાયા. ગાંધીજી સાર્જન્ટ મેજર હતા અને મિ. ઉમિયાશંકર શેલત, સુરેન્દ્રરાય મેઢ, હરિશંકર જોશીજી એ ત્રણ સાર્જન્ટ હતા. બીજા સત્તર જણ‘સ્ટ્રેચર બેરર' (ડોળી ઊંચકનાર) હતા. કૂચ દરમ્યાન ગાંધીજી જેમને સૈ ભાઈ કહીને જ સંબોધતા તેમની પાસેથી જોશીજીને એક ‘સહિષ્ણુતા’નો અને બીજો ‘શ્રદ્ધા'નો એ બોધપાઠ શીખવાના મળ્યા. આ સંબંધી જોશીજીનો અનુભવ તેમની પોતાની ભાષામાં જ. જોશીજી લખે છે કે, “અમોને ‘મયુમુલુ’ કેમ્પમાંથી રાત્રે અગિયાર વાગ્યાના સુમારે કૂચ કરવાનો હુકમ મળ્યો ત્યારે (જ્યારે જ્યારે લશ્કરના કોલમોને જુદા જુદા સ્થળે જવું પડતું ત્યારે અમારી ટુકડીના બે ભાગ પડતા. તેમાં એકમાં મિ. શેલત તથા મિ. મેઢને ઘણી વખત જવાનું થતું અને બીજામાં મ. ગાંધીજીની સાથે મારે જવાનું થતું.) ગાંધીજીએ અમારા તંબુએ આવી મને હુકમ ફરમાવ્યો કે જોશી, આપણે અર્ધા કલાકમાં તૈયાર થઈ કોલમ સાથે કૂચ કરવાની છે, માટે આપણા માણસોને ઉઠાડી તૈયાર થાવ. હું ઊઠ્યો ડ્રેસ પહેરવાનો હતો જ નહીં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy