SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ત્રણ ગાઉ દૂર થલતેજ ગામના તળાવનું કામ ચાલે છે. ત્યાં જઈ જોશીજી રાહત રૂા. ૧૨ના પગારથી ક્લાર્ક તરીકે જોડાયા. ત્રણ માસ નોકરી કરી અને કામ બંધ થઈ જતાં સૌને રજા મળી. ખંતથી સંતોષકારક કામ કર્યા બદલ તેમના ઓવરસિયર મિ. બલસારા જેઓ એક પારસી સગૃહસ્થ હતા. તેમણે જોશીને સારું પ્રમાણપત્ર આપ્યું. જોશીજીએ નોકરી માટે ફરી શોધ ચલાવી. આ સમયે તેઓ અમદાવાદ પાસે કોચરબ–પાલડીમાં રહેતા હતા. ગુજરાત કૉલેજના રસ્તા ઉપર નાતાલવાળાનો બંગલો તે બંગલો બંધાવવા સંબંધમાં તેના માલિક શેઠ આદમજી મિયાંખાનનો મેળાપ થયો અને તેમને ઘેર કાળુપુર ગળીઆરાની પોળમાં તેઓ ગયા. વાતચીતમાં શેઠની દુકાન નાતાલમાં છે એમ જાણવામાં આવતાં પરદેશગમનની ઇચ્છા જોશીજીને થઈ આવી અને શેઠને જણાવી. શેઠને પોતાના માણસો નાતાલની દુકાન ઉપર મોકલવાના હતા. તેમાં એક અંગ્રેજી જાણવાવાળાની જરૂર હતી. તેમને જોશીજી મળ્યા. શેઠે પોતાના માણસોને સહીસલામત ‘ડેલાગોઆ બે’ પહોંચાડવા એ શરતે ભાડું વગેરે ખરચ જોશીજીને આપવાનું કહ્યું. અને આ નાણાં ભરપાઈ થતાં સુધી માસિક બે પાઉન્ડના પગારથી નાતાલમાં શેઠની નોકરી કરવાનું જોશીજીએ કબૂલ કર્યું. શેઠ જોશીજીની હિમ્મત જોઈ ખુશી થયા અને નાતાલ જવાથી તેમને ઘણો લાભ થશે એવું ભવિષ્ય ભાખ્યું. બંગલો બાંધવાના કામમાં પિતાજીને રોકી લેવાની જોશીજીની વિનંતી શેઠે માન્ય કરી. નાતાલનો ઇમિગ્રેશન કાયદો જોશીજીએ મોઢે કરી લીધો હતો. તા. ૨૬-૧૨-૧૯૬૦ના રોજ શેઠના તેમના સમાજના ૧૨ થી ૧૬ વર્ષ સુધીના છ કિશોરો, એક તેમનો રાંધવાવાળો અને જોશીજી એમ આઠ કિશોરો ‘સુલતાન’ સ્ટીમરમાં ડોલાગોઆબેની ટિકિટો લઈ મુંબઈથી પૂના રવાના થયા. વાટ ખર્ચી ૧૨ પાઉન્ડ અને ઝાંઝીબારના મિ. પિશોરી શેઠ ઉપરનો ભલામણ પત્ર શેઠે લખી આપ્યો. આ પત્ર તેમને આગળ ઉપર ઘણો જ ઉપયોગી થઈ પડ્યો હતો. મુંબઈથી ઊપડી તેર ચૌદ દિવસે જંગબાર પહોંચ્યા. ત્યાંથી મોબાસા, લીમડી, દારેસલામ, મોઝાંબિક વગેરે બંદરે થઈ એક મહિને ડેલ ગોઆબે પહોંચ્યા. શેઠના માણસોને તેમનો એજન્ટ આવી પાસ દેખાડી સ્ટીમરમાંથી ઉતારી ગયો. જોશીજી Jain Education International સ્વપ્ન શિલ્પીઓ પાસે પાસ હતો નહીં. તેમણે નાતાલના તે સમયના કાયદા પ્રમાણે શિક્ષિત તરીકે પરીક્ષા આપી જવાનું હતું. ડેલાગોઆબે પોર્ટુગીઝનું રાજ્ય હતું. ત્યાં કોઈ અંગ્રેજી સમજે નહીં અને પાસ વગર જોશીજીને ત્યાં ઊતરવા દીધા નહીં. જોશીજીએ સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. ઉપરાંત સ્ટીમરના કપ્તાને પણ ઘણી જ મહેનત કરી પણ ત્યાં ‘ને' નું ‘સે’ ન થયું. પોર્ટુગીઝ ભાષાના એ શબ્દો છે. તેઓ નહીં (NO) ને ને કહે છે. અને હા (Yes)ને ‘સે' કહે છે. સ્ટીમર હિંદુસ્તાન આવવા પાછી ફરી સાથે જોશીજી પણ અનિચ્છાએ દોરાયા. મુશ્કેલીઓનો પાર રહ્યો નહીં. કેપ્ટને ઝાંઝીબાર સુધી વગર ટિકિટે લઈ જવા મહેરબાની કરી અને જોશીજી ત્યાં ઊતરી પડ્યા. હવે શેઠનો આપેલો ભલામણપત્ર લઈ રા. જોશીજી હિંદુવીશીમાં પડાવ નાખી પિશોરી શેઠને મળ્યા. તેમણે જરૂર પડે મદદ કરવા જણાવ્યું. જંગબારમાં પણ પાસ વિના નાતાલની ટિકિટ મળે નહીં, બ્રિટિશ કોન્સલ પાસે જતાં તેની ઓફિસના કોઈ પારસી ગૃહસ્થ લાલચના માર્યા પતો ખાવા દે નહીં. હિરિશંકરજી પાસે તેમને રાજી કરવાને કાંઈ મળે નહીં. આમ પાસ મેળવવામાં એક મહિનો નીકળી ગયો. છેવટે જોશીજીએ બ્રિ. કોન્સલને એક પત્ર લખ્યો, તેમાં લખ્યું “હું અંગ્રેજી ભણેલો હોવાથી કાયદા પ્રમાણે મારે પાસની જરૂર નથી. મને નાતાલની ટિકિટ મળવી જોઈએ, નહીં તો આપને બોજારૂપ થઈ પડીશ. મારી પાસે સ્ટીમરના ભાડા પૈસા નથી તે માટે બંદોબસ્ત કરવાનો છે” વગેરે આ પત્રનો જવાબ મળ્યો કે “સર્ટિફિકેટ આવીને લઈ જવું.” જોશીજી બહુ જ રાજી થયા પરંતુ પેલા પારસી ગૃહસ્થ નારાજ થયા તેમ છતાં સર્ટિફિકેટ તો મળ્યું જ. હવે પીશોરી શેઠ પાસેથી ટિકિટના પૈસા મેળવી જંગબારથી જર્મન સ્ટીમર ‘કોન્સપ્રિન્સ’માં ગૌરીશંકર વ્યાસ વગેરે સાથે નાતાલ જવા જોશીજી ઊપડ્યા અને તા. ૪થી એપ્રિલ ૧૯૦૧ના રોજ શિક્ષિત તરીકે પરીક્ષા આપી નાતાલ ઊતર્યા. શેઠ આદમજી મિયાંખાનની પેઢીમાં (જી. એચ. મિયાંખાનની કું।.) પંદર મહિના નોકરી કરી તેમનું લેણું ચૂકવી આપી જોશીજી ડરબન, મેરિત્ઝબર્ગ, રિચમન્ડ, ઇસ્ટકોર્ટ, લેડીસ્મિથ વગેરે ઘણે સ્થળે ફર્યા. બાસુટોલેન્ડ પણ જોયું. આશરે પોણાપાંચ વર્ષ દક્ષિણ આફ્રિકામાં રહ્યા. તે દરમ્યાન નોકરી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy