________________
૧૩૬
રણછોડરાયે સ્વપ્નમાં દર્શન આપીને ડાકોર નહીં જતાં તોરણામાં જ મૂર્તિસ્થાપન કરી ત્યાં જ રહેવા આજ્ઞા કરી અને અમુક જગ્યાએ પ્રતિમા છે તે ત્યાંથી ખોદી કાઢીને સ્થાપના કરવાનું સૂચવ્યું. રણછોડ ભક્તે પ્રથમ આ વાત માની નહીં, પરંતુ બે ત્રણ વખત એ જ પ્રમાણે સ્વપ્ન આવવાથી છેવટે તેમણે સ્નેહી મિત્રો પાસે વાત જાહેર કરી. સર્વાનુમતે નિશાનીવાળી જગ્યાએ તપાસ કરતાં લક્ષ્મીનારાયણ ગરુડ અને હનુમાનજીની મૂર્તિઓ નીકળી. એ મૂર્તિઓ ગામના માણસોને સોંપીને ભક્ત ડાકોર જવા તૈયાર થયા પરંતુ ગામના માણસોએ તેમને અટકાવ્યા અને એ મૂર્તિઓનું સ્થાપન કરી ત્યાં જ રહેવા કહ્યું તથા મંદિરના અને ભક્તના નિભાવ માટે બંદોબસ્ત કરી આપ્યો. તોરણાના નિવાસ દરમ્યાન તેમણે બીજા પણ ઘણા ચમત્કારો બતાવ્યાનું કહેવાય છે.
રણછોડ ભક્ત બહુ ભણેલા નહોતા છતાં પણ ઈશ્વરી કૃપાથી તેઓ તત્કાળ કવિતાઓ કરી શકતા. તેમણે રચેલાં કાવ્યોમાંનાં ઘણાં ખરાં પ્રસંગે ગાવાનાં ગીતોનાં છે. તેમણે રચેલ
‘કેવળરસ’ નામનું કાવ્ય પણ ઈશ્વરભક્તિથી ભરપૂર અને ઘણું સારું છે. ‘ઇંદ્રસ્તુતિ’, ‘બ્રહ્મસ્તુતિ’, ‘નચિકેત આખ્યાન’, ‘કક્કો સીતાવેલ', ‘દસ અવતારની લીલા’, ‘નામમાહાત્મ્ય’, ‘વૃંદાવન માહાત્મ્ય' વગેરે ઘણાં આખ્યાનો તેમણે રચેલાં છે.
રણછોડ ભક્ત ૧૦૫ વરસની ઉંમરે સ્વધામ ગયેલા હતા. ઉત્તરોત્તર તેમની ગાદીના હકદાર મણિભાઈના પિતા હરિવલ્લભદાસ મોરલીધરદાસ પરંતુ તેઓ અમદાવાદની ફિમેલ ટ્રેનિંગ કૉલેજના હેડ માસ્તરની નોકરી કરતા હોવાથી તેમણે એ જગ્યા પોતાના નાના ભાઈ ત્રિભુવનદાસને સોંપેલ હતી. તેઓ અસલથી ચાલતા આવતા નિયમ મુજબ સમાર્ગે વર્તી સંત સાધુઓની સારી સેવા બજાવતા હતા.
મણિભાઈના પિતાએ ફિમેલ ટ્રેનિંગ કૉલેજના હેડ માસ્તરની માનવંત જગ્યાએ ઘણો લાંબો વખત નોકરી કરીને તેઓ પેન્શન લઈ નિવૃત્તિથી અમદાવાદમાં પોતાનો વખત નિર્ગમન કરેલો.
રણછોડ ભક્તની ગાદીના પછીના વારસ મણિભાઈના મોટાભાઈ અંબાલાલભાઈ તેઓ સુશિક્ષિત અને કેળવાયેલ. પ્રથમ તેઓ મરચન્ટ્સ બેંકની શાખાના એજન્ટ હતા પરંતુ એ બેંકની અમદાવાદની શાખા બંધ થવાથી તેઓ ઝવેરી મિલના મેનેજરની જગ્યાએ નિમાયેલા હતા.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ મણિભાઈએ પોતાની પાંચ વરસની ઉંમરે પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં પોતાનો ગુજરાતી અભ્યાસ શરૂ કરેલો હતો. ત્યાર પછી રણછોડલાલ છોટાલાલ હાઇસ્કૂલમાં અંગ્રેજી અભ્યાસ કરીને ઈ.સ. ૧૯૦૩માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. પછી ગુજરાત કૉલેજમાં છ માસ પ્રિવિયસનો અભ્યાસ કરી મદ્રાસની મેડિકલ કૉલેજમાં તેઓ દાખલ થયેલા ત્યાં ચાર વરસ અભ્યાસ કરી સને ૧૯૦૮માં એલ.એમ.એન્ડ એસ.ની ડિગ્રી સંપાદન કરેલી હતી.
મણિભાઈ નાનપણથી જ ચાલાક અને બુદ્ધિશાળી હોવાથી તેમણે પોતાનો અભ્યાસ ઝડપથી આગળ વધારી બધી પરીક્ષાઓ ઊંચે નંબરે પાસ કરેલ હતી.
૧૯૦૮માં અમદાવાદમાં માંડવીની પોળમાં મણિભાઈએ પોતાનું દવાખાનું ખોલેલું. અમદાવાદના ઘણા ખરા મિલમાલિકો અને મોટા મોટા વૈશ્નવ શેઠિયાઓના તેઓ ફેમિલીડોક્ટર હતા.
મણિલાલભાઈએ આ ધંધામાંથી સારા પૈસા પેદા કરેલા
અને આપબળથી પોતાની સાદી સ્થિતિમાં ઘણો જ સુધારો કરેલો. મણિભાઈ સ્વભાવે ઉદાર અને દયાળુ હોવાથી ઘણા ગરીબ દરદીઓને વગર પૈસે દવા આપતા તેમજ વગર ફીએ જોવા જતા. મહિપતરામ અનાથાશ્રમમમાં તેઓ મૂળથી જ ડોક્ટર તરીકે મફત સેવા આપતા હતા.
ગરીબ વિદ્યાર્થીઓને ફી તથા પુસ્તકોની પણ તેઓ વખતોવખત મદદ કરતા અને બીજાં સખાવતનાં કાર્યોમાં પણ પોતાથી બનતો સહયોગ આપતા.
ઇન્દુલાલ યાજ્ઞિક
ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ સંસ્કારી, સેવાભાવી અને ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરેલ કુટુંબમાં સને ૧૮૯૨ની બાવીસમી ફેબ્રુઆરીએ થયો હતો. તેમના પિતા કનૈયાલાલ સેવાભાવી ડોક્ટર હતા. ૧૯૦૩માં મુંબઈમાં ફાટી નીકળેલા પ્લેગ સમયે તેમણે દર્દીઓની ખૂબ જ સેવા કરી હતી. પરિણામે એ ચેપી રોગના તેઓ ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા. તેમનાં માતુશ્રી મણિગૌરી પોતાની જાતમહેનતથી અંગ્રેજી ભણ્યા હતા.
નાનપણથી જ ઇન્દુલાલ ખૂબ હોંશિયાર હતા. ભણતરનો બધો ખર્ચ તેમણે શિષ્યવૃત્તિઓમાંથી જ મેળવ્યો હતો. ચૌદ વર્ષની ઉંમરે મેટ્રિક પાસ થઈ તેઓ અમદાવાદ ગયા. બે વર્ષ ત્યાં ભણી વધુ અભ્યાસ માટે મુંબઈ ગયા. પદાર્થવિજ્ઞાન તથા
For Private & Personal Use Only
www.jainelibrary.org