________________
૧૩૦
સ્વપ્ન શિલ્પીઓ
જાહેરજીવનમાં પડેલા આ સર્જકને ૧૯૬૦ના વર્ષમાં જગદ્ગુરુ પૂ. શંકરાચાર્ય મહારાજશ્રીએ ‘જનસેવાભૂષણ’ની પદવીથી વિભૂષિત કર્યા છે. ૧૧૧થી વધુ પુસ્તકોના યશસ્વી સર્જક શ્રી દોલતભાઈ ભટ્ટે ભારત ઉપરાંત ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો છે.
સૌરાષ્ટ્ર ગુજરાતનાં સુપ્રસિદ્ધ દૈનિકોના પત્રકાર તરીકે પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે અને યોગદાન આપી રહ્યા છે. એક સમયે ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ, જામનગર જિલ્લા શિક્ષણસમિતિના સભ્ય, જામનગર જિલ્લાપંચાયત ઉ. સમિતિના ચેરમેન, લોકસાહિત્ય સમિતિના સભ્ય, સાંસ્કૃતિક બોર્ડના સભ્ય, સાહિત્ય અકાદમીના સભ્ય તેમજ ઓલ ઇન્ડિયા એમેનિટી રેલ્વે કમિટિના મેમ્બર તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. ધન્યવાદ.-સંપાદક.
ડૉ. ઠાકોરલાલ પંડ્યા
તેઓ જ્ઞાતિએ ઔદીચ્ય ટોળકીઆ બ્રાહ્મણ હતા. તેમના પિતા રણછોડલાલ પંડ્યા વડોદરા રાજ્યની ગુજરાતી શાળામાં શિક્ષક હતા અને ડૉ. પંડ્યા તેમના એકના એક પુત્ર હતા. એમનાં માતા તેમને તદ્દન બાલ્યાવસ્થામાં જ મૂકી દેવલોક પામ્યાં હતાં.
ડૉ. પંડ્યાના પિતા ઘણી ગરીબ સ્થિતિના હતા તો પણ તેમણે જાતે ઘણી આર્થિક અગવડો વેઠી ડૉ. પંડ્યાને ઊંચી કેળવણી આપી હતી. તેમણે વડોદરા હાઇસ્કૂલમાં અને પછીથી વડોદરા કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. હાઇસ્કૂલમાં તેઓ ભણતા હતા ત્યારે અંગકસરત તરફ તેઓ વધુ ધ્યાન આપતા. એક વખત વડોદરા હાઇસ્કૂલ થતાં કૉલેજની રમતગમતોનો એકત્ર મેળાવડો થયો હતો. ડૉ. પંડ્યા તે વખતે હાઇસ્કૂલમાં ભણતા હતા તો પણ તેમણે બીજા બધા પ્રતિસ્પર્ધી કરતાં વધુ ઇનામો મેળવી કૉલેજના ગણિતના પ્રોફેસરે કાઢેલું ચેમ્પિઅન પ્રાઇઝ મેળવવા ભાગ્યશાળી થયા હતા. કૉલેજમાં આવ્યા પછી પણ તેમણે અંગકસરતને વિસારી નહોતી. તેઓ ટેનિસ ઘણું સારું રમતા અને વડોદરા કૉલેજ તરફથી નોર્થકોટ ચેલેંજ શિલ્ડની ક્રિકેટ મેચોમાં વારંવાર ભાગ લેતા હતા. તેઓ કૉલેજ રેસિડન્સીમાં રહેતા હતા અને વધારે ખોરાક ખાવા માટે તેઓ જાણીતા હતા. રેસિડન્સીનો કોઈ પણ વિદ્યાર્થી તેમની સાથે ખાવાની હરીફાઈમાં ઊતરી શકે તેમ હતું નહીં. કૉલેજ યુનિયનમાં તેઓ હંમેશાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે ચૂંટી કઢાતા અને ઘણે ભાગે તેમની નિમણૂક ટેનિસના સેક્રેટરી તરીકે કરવામાં આવતી હતી.
સને ૧૯૦૧થી ૧૯૦૫ સુધી વડોદરા કૉલેજમાં એક સમર્થ વ્યક્તિ પ્રોફેસર તરીકે બિરાજતી હતી એ વ્યક્તિ તે પ્રો.
Jain Education International
જગજીવન વલ્લભજી શાહ હતી.
વડોદરા કૉલેજના જે વિદ્યાર્થીઓ ઉપર પ્રો. શાહના અદ્ભુત વ્યક્તિત્વની અસર થવા પામી હતી. તેમાંના ડો. પંડ્યા એક હતા. સંસારસુધારો તથા સમાજસેવા, જેને માટે ડૉ. પંડ્યાએ પાછળથી ઘણી કીર્તિ સંપાદન કરી હતી, તેના પ્રથમ બીજા તો કૉલેજમાં પ્રો. શાહના સમાગમથી જ વવાયાં હતાં. વડોદરા કૉલેજના છ માસિક પત્રમાં ડૉ. પંડ્યા ઘણી વાર લેખો લખતા. તે પત્રમાં ગુજરાતી ભાષામાં સને ૧૯૦૩માં વિધવાવિવાહમાં તેમણે જે લેખ લખ્યો હતો તે લેખ ઘણી પ્રશંસા પામ્યો હતો અને ડૉ. પંડ્યા ભવિષ્યના એક સુધારક તરીકે કૉલેજમાં ઓળખાતા હતા. પ્રો. શાહની વડોદરા કૉલેજમાં નિમણૂક થતાં પહેલાં કૉલેજની રેસિડન્સીના ભોજનગૃહોમાં વર્ણાશ્રમના નિયમો બહુ સારી રીતે સચવાતા અને વિદ્યાર્થીઓ પોતાની જ્ઞાતિના શિરસ્તા મુજબ અંબોટિયાં પહેરી જમવા બેસતા. મિ. પંડ્યા અને તેમના મિત્રોએ પહેલી જ વાર કૉલેજ રેસિડન્સીમાંથી પંક્તિ ભેદને તિલાંજલિ આપી અને જ્ઞાતિભેદમાં
નહીં માનનારાંઓની એક જુદી ક્લબ સ્થાપી અને તે ક્લબમાં હિંદુઓ ઉપરાંત પારસી તથા મુસલમાનોને પણ દાખલ કીધા આ જ સમયમાં ડૉ. પંડ્યાએ વક્તૃત્વ શક્તિ પણ સારી ખીલર્વ હતી. કૉલેજની ડિબેટિંગ સોસાયટીમાં તેઓ ઘણીવાર ભાષણ આપતા અને ચર્ચા કરતા. સંસારસુધારો તથા સમાજસેવા એ એમનાં ભાષણોના મુખ્ય વિષય હતા. એકવાર તેમણે કૉલેજન સોશિયલ ગેધરિંગમાં ‘કમળાના તેના પતિ ઉપર લખાયેલા પત્રો નામના પુસ્તકમાંથી એક ભાષણના ફકરાનો મુખપાઠ કર્યો હતો એ ભાષણ એમણે એવી રીતે આપ્યું હતું કે શ્રોતા જનોમાંન ઘણા ખરા પૂછવા લાગ્યા કે એ ભાષણ મિ. પંડ્યાનું છે કે તેમણે કોઈ પુસ્તકમાંથી મોંએ કર્યું છે?
For Private & Personal Use Only
www.jainelibrary.org