SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૨૯ ઈતિહાસની યાદગાર વિભૂતિઓ -દોલત ભટ્ટ = ઘણા લાંબા સમય સુધી ઇતિહાસ રાજા-મહારાજાઓની સત્તા નીચે બંધાયેલો રહ્યો. ઇતિહાસ એટલે સાલવારી અને હાર-જીત અને ચડતી-પડતીની તવારીખ એવી માન્યતા ઘર કરી ગઈ. એમાં સંસ્કૃતિ-કલા-સાહિત્ય-વિજ્ઞાન અને ચિંતનનાં ક્ષેત્રો પણ રાજ્યકર્તાઓથી પ્રભાવિત રહ્યાં. એમ થવું સ્વાભાવિક હતું, કારણ કે પ્રજાનું જીવન યથા રાજાને અનુસરતું હતું, પરંતુ જગત પર પુનઃજાગૃતિનો યુગ બેઠો અને સ્વતંત્રતાની આબોહવા જામવા માંડી તેમ તેમ બધી જ જ્ઞાન-વિજ્ઞાનની નવી દિશાઓ ખૂલવા પામી. ઇતિહાસને પણ નવી દૃષ્ટિથી જોવા-સમજવાની મૂલવવાની દૃષ્ટિ પ્રાપ્ત થઈ. ત્યારે સમજાયું કે રાજ્યોની ચડતી-પડતીના આંકડા એ ઇતિહાસ નથી, પણ પ્રજાજીવનમાં થયેલી પ્રગતિ અને પ્રજામાં થયેલી માનવમૂલ્યોની ખેવના એ ઇતિહાસ છે. ઇતિહાસ માત્ર એક રાજ્યકર્તાથી રચાતો નથી, પણ પ્રજાજીવનમાં વ્યાપક રીતે પ્રસરતાં-વિકસતાં માનવમૂલ્યોથી રચાય છે. એમાં અદના આદમીનો પણ નગણ્ય ફાળો હોય છે. ફ્રાંસની કે રશિયાની ક્રાંતિ અને ભારતની આઝાદીની લડત એના જીવતા-જાગતા દાખલા છે. અમેરિકા અને જાપાનની ઉત્ક્રાંતિ અને ગાંધીપ્રેરિત જીવનમૂલ્યો એનાં ઉજ્વલ દષ્ટાંતો છે. એ માનવમૂલ્યોની ખેવના કરનાર, એને વિકસાવનાર, એને સ્થિરતા અર્પનાર કોઈ એક વ્યક્તિ નથી હોતી, બલ્બ કોઈ કુટુંબમાં, કોઈ ગામમાં, કોઈ નગર કે સમાજમાં અનેક–અનેક વિભૂતિઓ જન્મતી હોય છે અને પોતાના જીવનના દૃષ્ટાંતરૂપે સામાન્ય પ્રજાને દોરતી હોય છે. કોઈ વિભૂતિના પુરુષાર્થ, તો કોઈ વિભૂતિની પ્રવૃત્તિ, કોઈ વિભૂતિની વિચારધારા, તો કોઈ વિભૂતિની કલાસાધના સમાજમાં સતત સૌરભ પ્રસરાવીને વાતાવરણને આનંદિત અને પ્રેરણાદાયી રાખતી હોય છે. એને લીધે જ સંસ્કારજીવન સુઘડ રહે છે, સંસ્કૃતિ સ્થિરતા પામે છે, વિજ્ઞાન વિકસે છે અને માનવજીવન સમૃદ્ધ બને છે. એને લીધે જ સામાન્ય માનવીમાં પ્રેમ, સત્ય, અહિંસા, પરોપકાર, સમર્પણ, કલાપ્રીતિ જેવા ગુણો પાંગરે છે અને પ્રજાજીવનનો નવો ઇતિહાસ રચાય છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી દોલતભાઈ ભટ્ટ નવલકથા, લોકકથા, ઇતિહાસકથા, બાલકથા તેમજ લોકસાહિત્ય દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. બાલસાહિત્યનાં ચાર પુસ્તકો સાહિત્ય-અકાદમીના ઈનામને પાત્ર ઠર્યા છે. નવલકથા “મનનો માણીગરને રૂપેરી દેહ મળ્યો છે. શ્રેષ્ઠ સંવાદલેખનનો રાજય-સરકારનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. અન્ય નવલકથાઓનાં પણ રંગીન ગુજરાતી ચિત્રો ઊતર્યા છે. આકાશવાણી રાજકોટ–અમદાવાદ પરથી અવારનવાર વાર્તાલાપ, નાટક, વાર્તા અને રૂપક રજૂ થતાં રહ્યાં છે. તેમનાં ગેય ગીતો પણ આકાશવાણી પરથી રજ થતાં રહ્યાં છે. તેમની નવલકથા અને બાલસાહિત્યનાં પુસ્તકોના હિન્દીમાં અનુવાદ થઈ પ્રસિદ્ધ થયા છે. છેલ્લાં ચાલીશ વર્ષથી ગુજરાતી દૈનિક “સંદેશ” અને પછી “ગુજરાત સમાચાર'ના કટારલેખક તરીકે અવિરત કાર્ય કરતા રહ્યા છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy