SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ પોરવાલને મુંબઈ યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ઉપાધિથી અલંકૃત કર્યા હતા. વૈયાવચ્ચમાં જેમની સર્વોચ્ચ નામના એવા પ.પૂ. કૈલાસસાગરજીની સેવાવૃત્તિ. ૫.પૂ. કલ્યાણસાગરજીની અપ્રતિમ ગુરુભક્તિ અને યુગપ્રભાવક ૫.પૂ.આચાર્ય પદ્મસાગરજીની વ્યવહારદક્ષતાના ઉત્તમ અંશોની અભિરામ અભિવ્યક્તિ શિવસાગરજીસૂરિજીના વ્યક્તિત્વમાં સુપેરે પ્રગટ થઈ છે. એમના પ્રથમ શિષ્ય બાલમુનિ ઋષભસાગરજી પણ આવા સમર્થ ગુરુના સાચા વારસદાર સાબિત થશે એવી શ્રદ્ધા છે. ૪૪ વર્ષની જીવનવિકાસયાત્રા પસાર કરીને સંયમપંથમાં ઉત્સાહથી ગતિશીલતા બતાવી આચાર્યપદવી મેળવવાના સદ્ભાગ્યશાળી બન્યા. તા. ૧૧-૧૧-૦૯ના રોજ આચાર્યપદથી વિભૂષિત થયાં. પૂજ્યશ્રીને લાખ લાખ વંદનાઓ. -ડૉ. કાંતિ રામી સૌજન્ય : શાસનપ્રેમી ભક્તો તરફથી પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી હરીશભદ્રવિજયજી મ.સા. શ્રી માતા પૂજ્યશ્રીની જન્મભૂમિ મુરબાડ, પિતા અમૃતલાલભાઈ, રૂક્ષ્મણીબહેન, બાર વર્ષની કુમળી વયે સં. ૨૦૦૫માં મહા વદ-૫-મુરબાડ મુકામે સંયમનો સ્વીકાર કર્યો. તેમના સાહિત્યરસથાળમાં ઘણાં જ સચિત્ર પ્રકાશનો તેમજ તત્ત્વબોધ પરીક્ષાનાં પુસ્તકો જગપ્રસિદ્ધ બન્યાં છે. પોતાના સંસારી પરિવારમાં ધર્મભાવના વધે તે માટે પાલિતાણા તીર્થમાં ચાતુર્માસ અને કુંભોજગિરમાં ૯૯ યાત્રા પણ કરાવી હતી. ઉદાત્ત ધ્યેયથી ઘણા જ્ઞાનની સાધના કરે છે. તેઓમાં એક આ લેખમાળાના લેખક પ્રવર્તક સાહિત્યોપાસક પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મહારાજ, તેઓશ્રીના ગુરુ સાહિત્યભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજશ્રીએ બાળસાહિત્યની ધૂમ મચાવી હતી. શ્રીજૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના નામની સંસ્થા ૧૪-૫-૧૯૪૮માં સ્થાપી તેના દ્વારા પાઠશાળાઓમાં અર્થજ્ઞાનનો પ્રચાર કર્યો હતો. Jain Education Intemational ૧૨૫ પૂ. મુનિશ્રીએ ગુરુની સાથે રહી બાળસાહિત્ય-પ્રકાશન પ્રચારનો યજ્ઞ માંડ્યો. ૬૦ વર્ષના સંયમીજીવનમાં અર્થનાં સચિત્ર, સુંદર, બાળબોધ પ્રકાશનો ૭૫ પ્રગટ કર્યાં, તેમાં ‘કરોળિયાની જાળ’, મારો સોહામણો ધર્મ’, ‘શ્રુતસાગરનાં રહસ્યો ભા. ૧-૨' વગેરે પુસ્તકો સમાજમાં સારી જાગૃતિ લાવ્યાં છે. પુસ્તકોને સચિત્ર બનાવી તેઓએ સારી જ્ઞાનચાહના મેળવી છે. પૂ. મુનિશ્રી પોતાનાં માતુશ્રી (સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી) સાથે સં. ૨૦૦૫માં સંયમી થયા છે. તેઓશ્રીના નજીક–દૂરના સંસારી ૫-૬ સંબંધી પણ સંયમધર્મની ઉત્તમ આરાધના કરી ધન્ય બન્યા છે. પૂજ્ય મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ.ની સંયમયાત્રામાં સાત્ત્વિકતા જ રેલાય. સાવ નિર્મળ, નર્યું પારદર્શક જીવન જીવી બતાવ્યું છે અને જીવતર જીવવાની જડીબુટ્ટી પણ આપણને બતાવી છે. પૂજ્યશ્રીએ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનામાં શ્રીસંઘને આગળ વધવા પ્રેરણા આપી હતી. તેઓના ઉપદેશથી પ્રભાવક શ્રી વાસુપૂજ્ય ભ.નું દેરાસર તથા મહાપ્રભાવક શ્રી માણિભદ્ર યક્ષરાજનું દેરાસર કાંદિવલી (આનંદનગર), પોતાના પૂ. ગુરુદેવની સ્મૃતિમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસર કુકરેજા-ભાંડુપ સુપ્રસિદ્ધિને પામ્યાં છે. પાઠશાળાના વિકાસ, શિક્ષક-શિક્ષિકાઓ માટે ટીચિંગ કોર્સ, ઓપનબુક પરીક્ષા દ્વારા અભ્યાસીઓને ઉત્તેજન, સારાં પુસ્તકોના પ્રકાશન માટે ત્રણ ટ્રસ્ટોએ તેઓની ભાવનાને વેગ આપ્યો છે. હજી બીજાં ટ્રસ્ટો આગળ આવે અને શ્રુતગંગાને ગામડેગામડે, ઘેર ઘેર પહોંચાડે એ જ અભ્યર્થના. સૌજન્ય : શાસનપ્રેમી ગુરુભક્તોના તરફથી पूज्य पंन्यास प्रवर रत्नसेनविजयजी म.सा. पूज्य पंन्यास प्रवर रत्नसेनविजयजी म.सा. गोड़वाड़ के गौरव, मरुभूमि के रत्न, बाली संघ की शान, चोपड़ा कुल के भूषण तथा पिता श्रीमान् छगनराजजी एवं माताजी श्रीमती चंपाबाई के कुलदीपक हैं। इनका सांसारिक नाम राजमल चोपड़ा था, परंतु उन्हें 'राजु' के लाडिले नाम से पुकारा जाता था। आज भी वे गोड़वाड़ की जनता के लिए तो 'राजु महाराज' के नाम से ही प्रख्यात है। For Private & Personal Use Only पूज्य શ્રી વા નન્મ માવો સુવિ 3 વિનાંÓ 16-9-1958 शुभ दिन हुआ था। माता का नाम चंपाबाई और पिता का नाम छगनराजजी चोपडा है। www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy