SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૧૯ વિજયજયશેખરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં વિ.સં.ના કારતક વદ ૯ના શુભ દિને નાસિક નગરે ગૌરવવંતા આચાર્ય પદથી પ્રદાદાગુરુદેવ આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા, દાદા ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ અને ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયધર્મ-અલંકૃત કરવામાં આવ્યા. સૂરિ પદથી વિભૂષિત બનીને જિતસૂરીશ્વરજી મહારાજા–એ ત્રણેય ગુરુવર્યોની અંતરંગ કૃપા સૂરિમંત્રના વિશિષ્ટ સાધક બન્યા. શ્રી સૂરિમંત્રના પંચ સંપાદિત કરી. પૂજ્ય ગુરુવર્યોનાં આશીર્વાદ અને આજ્ઞા પામીને પ્રસ્થાનની આરાધના કરી. વિ.સં. ૨૦૩૦ની સાલમાં છાણીમાં પ્રથમ ચાતુર્માસ કર્યું. ત્યારથી એક વિશિષ્ટ પ્રવચનકાર અને શાસન–પ્રભાવક તરીકેનું તેઓશ્રીનું વ્યક્તિત્વ પ્રકાશિત થયું. વિવિધ અને વિશિષ્ટ અનુષ્ઠાનો દ્વારા પ્રારંભિક જીવોને ધર્મમાં જોડી તેમને જ્ઞાન અને ક્રિયાના રસિક બનાવવાની એક અદ્ભુત હથોટી તેઓશ્રી ધરાવે છે. ચતુર્શરણ, દુષ્કૃત્યગર્ભા, સુકૃત્ય અનુમોદના, પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા, શ્રી નમસ્કાર મહામંત્રની નવ એકાસણાં સહિતની આરાધના. શ્રી ૧૦૮ પાર્શ્વનાથના અટ્ટમ, શ્રી ધર્મચક્રતપ, ઉપધાનતપ, છ'રીપાલક સંધ વગેરે તેમનાં પ્રિય અનુષ્ઠાનો છે. આ તારક અનુષ્ઠાનો દ્વારા તેમણે હજારો આત્માઓને દૃઢધર્મી બનાવ્યા છે. વિવિધ પૂજનો વગેરે ભક્તિ-અનુષ્ઠાનોમાં શુદ્ધિ અને વિધિની ચુસ્તતાનો સદાય તેમનો આગ્રહ રહ્યો છે. તેઓશ્રીની નિશ્રામાં થતાં મહાપૂજનો આદિ અનુષ્ઠાનોની ભવ્યતા અને દિવ્યતાનું હંમેશાં ભક્તજનોમાં આકર્ષણ રહ્યું છે. પ્રભુભક્તિ એ તેમનો પ્રિય યોગ છે અને તેથી ભક્તિ-સાહિત્યના વિષયમાં તેમણે સારું પ્રદાન કર્યું છે. ગુરુકૃપાથી તેમને અસાધારણ કવિત્વશક્તિ પ્રાપ્ત થયેલી છે. તેથી અઢળક સ્તવનાઓ અને સ્તુતિઓનું ભવ્ય ભેટલું તેઓશ્રીએ પ્રભુચરણે ધર્યું છે. પ્રભુમિલનનો સેતુ, ભક્તિની શક્તિ, ભાવભરી સ્તવનાવલી, નવનિધાન વગેરે પુસ્તકોમાં તેમની ભક્તિરચનાઓ સંગ્રહિત થઈ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થદર્શન ગ્રન્થ (બે ભાગ) એ તેઓશ્રી દ્વારા જૈન સંઘને મળેલી એક અણમોલ ભેટ છે. શ્રી નમસ્કાર મહામંત્રના ૬૮ અક્ષરો પરથી ઉત્પ્રેક્ષિત ૬૮ તીર્થોની ભક્તિ પણ તેઓશ્રીએ શ્રી સંઘમાં વિશેષરૂપે પ્રવાહિત કરી છે. શ્રી ધર્મચક્ર અતિશયના તેઓશ્રી અવ્વલ ઉપાસક છે. વિ.સં. ૨૦૪૮ના વૈશાખ સુદ પાંચમે ધર્મચક્રતીર્થની પાવન ભૂમિમાં પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજયભુવનભાનુ-સૂરીશ્વરજી મ.સા.ના શુભ હસ્તે પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા અને ગચ્છાધિપતિ પૂ. આ. દે. શ્રી વિજય જયઘોષ-સૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ અને અનુજ્ઞાથી શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાન આરાધક પૂ. આ. કે. શ્રી Jain Education Intemational શ્રેણી સતત રચાતી રહે છે. અનેક અંજનશલાકા-પ્રતિષ્ઠા, તેઓશ્રીની પાવન નિશ્રામાં શાસનપ્રભાવક પ્રસંગોની છ'રીપાલક સંઘ, ઉપધાનતપ, મહોત્સવો વગેરે પ્રભાવક પ્રસંગો તેઓશ્રીની નિશ્રામાં ઊજવાયા છે, ઊજવાતા રહ્યા છે. ૨૫ જેટલા શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારથી તેઓશ્રી પરિવૃત છે. તેઓશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઊજવાયેલ શ્રી ધર્મચક્ર પ્રભાવતીર્થનો ભવ્યાતિભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ એક ઐતિહાસિક તવારીખ સમો બની રહ્યો. હવે ટૂંક સમયમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ધર્મચક્ર તીર્થથી સમેતશિખરજી તીર્થનો દીર્ઘ અને ઐતિહાસિક યાત્રાસંઘ આયોજિત થનાર છે. એક અવ્વલ આરાધક અને વિશિષ્ટ પ્રભાવક તરીકે વિસ્તરેલું વ્યક્તિત્વ જૈન સંઘના ગગનમાં દીપી રહ્યું છે. આ તેજસ્વી તારકની તેજપ્રતિભા સતત વિસ્તરતી રહો એ જ અભ્યર્થના. પૂ.પં.શ્રી ચારિત્રવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ધર્મચક્ર પ્રભાવ તીર્થ વિલ્હોળી (નાસિક) મહારાષ્ટ્રના સૌજન્યથી પ.પૂ. આ. શ્રી ગુણશીલસૂરિજી મ.સા. સ્વભાવના હતા. મોસાળ બરગડા (કેરાલા)માં સં. ૨૦૦૧માં જન્મેલા ગુલાબકુમાર બાલ્યાવસ્થાથી જ શાંત સૌમ્ય સહુની સાથે હળીમળીને રહેતા. સં. ૨૦૦૯માં પિતાજી ધનજીભાઈ સાથે પૂજ્યપાદશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનો પરિચય થતાં જ ધર્મસંસ્કારો ખીલી ઊઠ્યા. સં. ૨૦૧૧માં અગિયાર વર્ષની વયે પિતાશ્રી સાતે ઉપધાન વહન કરી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૪થી સં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy