________________
૯૦ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો સ્થાન છે તેમ જ ત્યાં શ્રી ઘઘારી સેવા સંઘ મુંબઈમાં ઘોઘારી સહાયક ટ્રસ્ટ, તથા કાંદીવલી જેન મિત્ર મંડળમાં, કાંદીવલી જૈન દેરાસરની કમિટીમાં તથા જેસર જૈન સેવા સમાજ જેવી અનેક સંસ્થાઓમાં જોડાયેલા છે.
વતન જેસરમાં ૧૯૭૦ની સાલમાં નગરપંચાયતના પ્રમુખ તરીકેની યશસ્વી કામગીરી દરમ્યાન ઘણી સામાજિક સંસ્થાઓ ઊભી કરી, પ્રેરણા આપીને નવપલ્લવિત કરી. ૧૯૭૦ થી ૧૯૭૫ સુધીના ગાળામાં તેમના હાથે કન્યાશાળા, હાઈસ્કૂલ વગેરે ઊભાં થયાં. ચેકડેમ, તળાવો, એમ્યુલન્સ, લાઈબ્રેરી વગેરે સંસ્થાઓ ઊભી કરી. જીવદયાનું મોટું અને પાયાનું કામ ઊભું કરવામાં ભારોભાર તેઓ નિમિત્ત બન્યા. સને ૧૯૭૨ના ભયંકર દુકાળમાં સારી એવી કામગીરી કરી જેમાં સરકારશ્રીએ પણ તેમનું બહુમાન કરેલ હતું.
મુંબઈમાં વસતા જેસરના દીનહીન ગરીબ માણસને ગુપ્તદાન દ્વારા આર્થિક સહાય આપવાના કાર્યક્રમમાં પણ શ્રી કાંતિભાઈની વિશેષ દિલચક્ષી રહી છે. જેસર જૈન સેવા સમાજ દ્વારા એક વસ્તીપત્રક તાજેતરમાં તૈયાર કરી રહ્યા છે.
શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓમાં મોખરે રહીને સેવાને જ જીવનમાં પ્રધાનતા અર્પનાર શ્રી કાંતિલાલભાઈએ કોઈપણ માણસને અને શુભ યોજનાઓને અચૂક ઉપયોગી થવાની પ્રેરક નીતિ અપનાવી છે, તે ખરેખર અભિનંદનને પાત્ર છે. તેમની રૂબરૂ મુલાકાત લેતાં જાણવા મળ્યું કે સેવાભાવના સંસ્કારે તેમના કુટુંબમાંથી મળેલ છે. તેમ જ તેમનાં પૂ. પિતાશ્રીની તથા ભાઈઓ-ભત્રીજાની પ્રેરણાથી હંમેશાં લેકસેવાનાં કાર્યો કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org