________________
અભિવાદનગ્રંથ ]
| [ ૯૧ શ્રી કાંતિલાલ ચુનીલાલ ચોકસી વિ. સં. ૧૯૭૧ના આસો સુદ પ ના શુભ દિવસે નવાપુરામાં કાંતિલાલને જન્મ થયે હતે. માત્ર પંદર વર્ષની કુમળી વયમાં જ કમાવાની જિજ્ઞાસાથી મુંબઈ આવ્યા. શરૂઆતમાં કાપડની દુકાને મામૂલી માસિક વેતન અઢારથી નોકરી કરી. પિતાનું એક આગવું સર્કલ જમાવીને સ્વતંત્ર રીતે સેના-ચાંદી તથા યાર્ન તેમ જ હીરાના ધંધામાં ટૂંક સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધીને નામાંક્તિ વેપારી તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. તેઓશ્રીના કુશળ સંચાલન હેઠળ મેસર્સ કાંતિલાલ ચુનીલાલ ચેસી એન્ડ કુ., શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ, બાલગોપાલ સાઈઝિંગ વર્કસ, પ્રીમિયર ડાયમંડ, લ્યુ જેમ્સ ઈન્ટરનેશનલ, કન્સ્ટ્રકશન લાઈનનું ભીવંડીમાં તથા નાલાસોપારા વિગેરે સ્થળોએ પ્રગતિ સાધી છે અને મોટા પાયા ઉપર કામ ચાલી રહ્યું છે. ચંદનબાલા એપાર્ટમેન્ટ સોસાયટીના તેઓ પ્રમુખ છે. ૩૫૦ જેન કુટુંબોના પ્રશ્ન હલ કરવા કાંદીવલીમાં મહાવીરનગર સોસાયટી રચી. આત્માનંદ જેન સભાના ઉપપ્રમુખ તરીકે છેલ્લાં સાત વરસથી તેઓશ્રી મહાવીર જનરલ હોસ્પિટલ સુરતના સભ્ય છે. અને શ્રી વિજય વલ્લભ જૈન હોસ્પિટલ વડોદરાના, મુંબઈ ખાતેની સમિતિના સભ્ય છે. પિતાના મૂળ વતન નવાપુરા ગામમાં નાની મોટી દરેક સંસ્થાઓમાં તથા શ્રી ઉમેરા સભા જેન કેળવણી મંડળમાં પણ ઉદાર હાથે માતબર દાન આપેલ છે.
શ્રી કિશોરચંદ્ર એમ. વર્ધન મુંબઈમાં કન્સ્ટ્રકશનના ધંધામાં સ્થિર થયેલા બહોળી સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા, ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવતા શ્રી કે. એમ. વર્ધન અનેક ધાર્મિક, સામાજિક અને વેપાર-વાણિજ્યને લગતી પ્રવૃત્તિઓમાં કાર્યરત છે અને અનેકવિધ સંસ્થાઓમાં જવાબદારીભર્યા હોદ્દાઓ સંભાળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org