________________
અભિવાદનગ્રંથ ]
[ re
સરળ આત્મા છે. જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન ઉપર તેમને અપૂર્વ માન અને શ્રદ્ધા છે. તેઓને તેમનાં ધર્મ સસ્કારી માતા–પિતાશ્રી તરફથી ઉત્તમ સંસ્કારો અને સવિચારો પ્રાપ્ત થયા છે. મેટા વ્યવસાયી અને કુશળ વ્યાપારી હાવા સાથે નીતિ અને પ્રામાણિકતા તેમના જીવનમંત્ર છે. ધંધાને મુખ્ય ન ગણતાં તેઓ ધર્મને જ મુખ્ય ગણે છે. જૈન ધર્મીના વિશ્વમાં મહેાળા પ્રચાર થાય તેમ તેઓ ઇચ્છે છે અને તે માટે હુ ંમેશાં તન મન ધનના ભાગ આપે છે. તેઓએ ઉદાર દિલે અનેક ધર્માંકાર્યો કર્યાં છે. સંસ્થાના ટ્રસ્ટીપદે રહીને માનદ્ સેવા આપી રહ્યા છે.
શ્રી કાંતિલાલ દલીચંદ મહેતા
હૈયામાં હરદમ વહેતી સેવાધર્મીની પુણ્યસરિતાથી સર્વત્ર પ્રેમપ્રતિભા, પુણ્યપ્રભાવ અને પ્રતિષ્ઠા પાથરી રહેલા શ્રી કાંતિલાલભાઈ મહેતા મૂળ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા પાસે જેસરના વતની છે. વીશેક વર્ષ પહેલાં મુબઈમાં તેમનુ* આગમન થયું.
તેજસ્વી કાર્ય પદ્ધતિ અને નિશ્ચલ નીતિ-નિષ્ઠાની ચેતનાથી અનેકવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિએ તેમના હાથે નવપવિત અની છે ને મુંબઈમાંની ઘેાઘારી જૈન જ્ઞાતિ દ્વારા ચાલતાં અનેકવિધ કામેામાં તેમનુ” પ્રદાન સ્પષ્ટપણે ઊપસી આવે છે.
ચુમ્માળીશ વના આ નવયુવાનની નિરાળી કાર્યશક્તિથી તેમનું વ્યક્તિત્વ આજે સાળે કળાએ ખીલી ઊઠ્યું છે. એમની નમ્રતા અને સૌજન્યતાને મનેામન વંદન કર્યા વગર નથી રહી શકાતુ. તેમના વિશાળ અને ઉદાર ભાવાવેગે સાથે મનની નાજુક સંવેદનશીલતા અને લાગણીની વિરલ નજાકતાને સુંદર સમન્વય સધાયેા છે. આવું ભાગ્ય બહુ ઓછાં લલાટે લખાયેલું હાય છે.
ઘેાઘારી જ્ઞાતિમાં સેવાપ્રિય વ્યક્તિ તરીકે તેમને માન મરતબો પ્રથમ હરોળમાં ગણાય છે. જ્ઞાતિની કારાબારીમાં તેમનુ મહત્ત્વનુ
છે. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org