________________
૮૮ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યાં ઉદ્યોગક્ષેત્રમાં સ્વતંત્ર વ્યવસાયના સાહસ કદમ ‘કાંતિલાલ એન્ડ કુાં. ”ના નામથી માંડડ્યાં હતાં. એ પછી ઈ. સ. ૧૯૬૦ માં ‘ રાજી બીડી વર્કસ ’ના શ્રીગણેશ કરી ‘રાજુ ' બીડીનું નિર્માણ આરબી નવું સાહસકદમ ઉઠાવ્યું હતું.
(
સામાજિક સેવાના ક્ષેત્રમાં જ્ઞાતિ-પ્રવૃત્તિઓમાં પ્રથમ પગરણ માંડી ઈ. સ. ૧૯૬૨ થી તેઓ · શ્રી રાયપુર લાડાણા મહાજન ’ના પ્રમુખપદ પર જ્ઞાતિ ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓમાં પરોવાયેલા છે. ‘ ગુજરાતી શિક્ષણ સંધ 'ના ખજાનચી તરીકે ઈ. સ. ૧૯૭૫ થી જવાબદારી ઉઠાવી રહ્યા છે. ગુજરાતી સમાજની કારોબારી સમિતિના સભ્ય છે, શ્રી લોહાણા મહાપરિષદની મધ્યસ્થ સમિતિના સભ્યપદ પર પણ નિયુક્ત થયા છે. છત્તીસગઢ બીડી એસેસિયેશનના ઉપાધ્યક્ષ તરીકે સતત બાર વર્ષથી સેવા બજાવી રહ્યા છે.
♡
શ્રી કાંતિલાલ હીરાલાલ કુસુમગર
જેને જૈન ધર્મીમાં અસીમ શ્રદ્ધા છે જેણે પેાતાનું આખુ જીવન વ્રત, તપ, નિયમ અને તપશ્ચર્યાથી આપ્યું છે, જેણે પેાતાની પ્રવૃત્તિએ આત્મકલ્યાણ સાથે સેવામાં વાળી છે, એવા નિરભિમાની, નમ્ર, ધર્મનિષ્ઠ, સુશ્રાવક શ્રી કાંતિલાલભાઈ ના જન્મ અમદાવાદમાં સાધારણ સ્થિતિના કુટુંબમાં શ્રી હીરાલાલભાઈ ને ત્યાં તા. ૮-૩-૧૯૬૦માં થયેા હતા.
અમદાવાદમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરી ૧૬ વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા. જીવનની શરૂઆત નોકરીથી કરી. આજે તેએ મેસ વી. બી. કુસુમગર એન્ડ કુાં. પ્રા. લિ.માં નિષ્ઠા તેમ જ કાર્યદક્ષતાને લીધે મેનેજર ’ના પદે પહોંચ્યા છે. ઉપરાંત તેઓ ‘કુસુમર ઓવરસીઝ પ્રાઈ વેટ લિમિટેડ'માં ડાયરેકટરપદે તથા કુસુમકાન્ત એન્ડ કુાં. ( કન્સ્ટ્રકશનનું કામ )માં ભાગીદાર છે.
*
આ જ પરિવારમાં શ્રીયુત્ યાગેશભાઈ એક ધર્મ સંસ્કારી તથા ખાનદાન કુટુંબના નવયુવાન નખીરા છે. તે સ્વભાવના શાંત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org