SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનમં ] [ ૮૭ ચિ. પ્રજ્ઞાબેન છે. ચિ. પ્રજ્ઞાબેન વડોદરામાં રહી હોમ-સાયન્સને અભ્યાસ કરે છે અને હાલ બી. એસસી. ના છેલ્લા વરસમાં છે. શ્રી કાંતિલાલભાઈનાં સુશીલ પત્ની સ. નિર્મળાબેન એક ભારે વ્યવહારકુશળ, ધર્મનિષ્ઠ અને આદર્શ ગૃહિણી છે. પતિની સાથે આપણે બધાં તીર્થસ્થાની જાત્રા કરવાને લાભ લીધે છે. નાનીમેટી અનેક તપશ્ચર્યા કરે છે. મહામંગલકારી અઠ્ઠઈતિપને પણ તેમણે અપૂર્વ લાભ લીધે છે. સ્વ. શ્રી હરગોવિંદદાસભાઈના બધા પુત્રએ જેમ ધંધા, ધન અને સેવાના વારસાને દીપાવ્યું છે, તેમ તેમનાં પુત્રવધૂ સી. નિર્મળાબહેને સ્વ. શ્રી હરવિંદદાસ શેઠના તિષ જ્ઞાનને વાર પ્રાપ્ત કર્યો છે. આ વિદ્યાને તેમને શેખ છે અને સાથે અભ્યાસ પણ છે. શ્રી કાંતિલાલ કેશવજી કોટેચા સમાજજીવનમાં સેવા, સાધના અને માનવતાને સાદ હરપળ હદયના તાર પર ટકેરા મારતો રહે છે. આ પુનિત સાદ સાંભળીને જીવનસાધના કરે છે એ જ જીવનની સર્વોત્તમ સાર્થકતા સાધી શકે છે. - રાયપુરના બીડી ઉદ્યોગના ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિ સાધતા સામાજિક અગ્રેસર શ્રી કાંતિલાલ કેશવજી કેટેચાને જન્મ ઈ. સ. ૧૯૨૧ના એપ્રિલ માસની બીજી તારીખે વતન અમરેલી જિલ્લાના મેટા સમઢિયાળાના લેહાણ પરિવારમાં થયું હતું. - વિદ્યાર્થી જીવન સમઢિયાળાની પ્રાથમિક શાળામાં આરંભી વધુ શિક્ષણ સાવરકુંડલામાં લીધું હતું. એ પછી સત્તર વર્ષની કિશોર વયમાં રાયપુર આવી બીડીપત્તાના ઉદ્યોગ ક્ષેત્રની અગ્રિમ “ડાહ્યાભાઈ મેઘજીની પેઢીમાં જોડાયા હતા અને ઈ. સ. ૧૯૩૮ થી ૧૯૪૬ સુધી એ પેઢીમાં આગે ધપતા રહ્યા હતા. હૈયાની સૃષ્ટિમાં સજાતી સ્વપ્નસૃષ્ટિને સાકાર બનાવવા આ સાહસિક કર્મવીર કાંતિલાલભાઈએ ઈ. સ. ૧૯૪૭માં બીડીપત્તાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy