________________
૮૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો સ્વામીનું મંદિર તેમ જ ભવ્ય ઉપાશ્રય છે. આ મંદિર-ઉપાશ્રય વગેરેની જગ્યા તૈયાર કરવામાં સૌથી મોટામાં મોટે ફાળે સ્વ. શ્રી. હરગોવિંદદાસભાઈનો હતો. આ મંદિર તૈયાર કરવાના કાર્યમાં શ્રી કાંતિલાલભાઈએ મોટો ફાળો આપે છે અને બાંધકામના કાર્યમાં ખડા પગે ઊભા રહી સેવા આપી છે. શ્રી કાંતિલાલભાઈ આજે પણ મુલુન્ડ જૈન સંઘના ઉપપ્રમુખ તરીકે પિતાની સેવા આપી રહ્યા છે. પિતાનાં અધૂરાં કાર્યો સુપુત્ર પૂરા કરે છે, જ્યારે અહીં પિતાના સત્કૃત્યને પુત્રએ દીપાવ્યાં છે. - શ્રી કાંતિલાલભાઈ મુલુન્ડ ની ભૂલ કમિટીના એક સક્રિય સભ્ય છે અને શ્રી મોતીભાઈ પચાણ રાષ્ટ્રીય શાળાની કારોબારીના એક સભ્ય છે. મુંબઈની કરિયાણું એસેસિયેશન કમિટી પર શ્રી કાંતિલાલભાઈએ મંત્રી તરીકે પિતાની સેવા આપી છે અને અત્યારે પણ તેના સભ્ય તરીકે માર્ગદર્શન આપે છે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટીટયુના તેઓ મેઅર છે. તેમ જ સેન્ટ્રલ રેલવે ગુડઝ કમિટીના પણ તેઓ એક સભ્ય છે. મુંબઈની આત્માનંદ જેન સભાના તેઓ એક સક્રિય કાર્ય કરે છે તેમ જ ટ્રેઝરર છે અને આ સંસ્થાના ઉત્કર્ષમાં તેઓ અપૂર્વ રસ લઈ રહ્યા છે.
મુંબઈમાં અનેક જૈન કુટુંબ એવાં છે કે જેઓને રહેઠાણની જગ્યા માટે ભારે મુશ્કેલી છે. થોડા સમય પહેલાં ભાવનગરના વતની
ગત શ્રી દુર્લભજી લક્ષમીચંદ્ર તેમ જ અન્ય જેને આગેવાનો તરફથી કાંદીવલીમાં જૈન કુટુંબના નિવાસસ્થાન માટે શ્રી મહાવીર સેસાયટીની એક ભવ્ય પેજના તૈયાર કરવામાં આવી હતી. આજે આ સોસાયટીનું કામ કાંદીવલીમાં આગળ ધપી રહ્યું છે. આ સંસ્થામાં શ્રી કાંતિલાલભાઈ અપૂર્વ રસ લે છે અને સંસ્થાના માનદ મંત્રી તરીકે પિતાની સેવા આપી રહ્યા છે.
- વીસ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૯૪૯ માં શ્રી કાંતિલાલભાઈને લગ્ન મુંબઈમાં રહેતા ભાવનગરના વતની શ્રી વસંતરાય વૃજલાલ ગાંધીનાં સુપુત્રી નિર્મળાબહેન સાથે થયા હતા. આ લગ્નના પરિણામે તેમને ત્રણ પુત્ર ચિ. નરેન્દ્ર, કુમારપાળ અને ધર્મેશ તેમ જ એક પુત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org