________________
૮° ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા સફળતાપૂર્વક પૂરાં કરી પ્લાસ્ટીસાઈઝરના ક્ષેત્રે એક નવું સેાપાન સર કર્યું. પીવીસી ઉદ્યોગ માટે જરૂરી એવાં પ્લાસ્ટીસાઈઝરની દેશમાં વધતી જતી માંગને લક્ષમાં લઈ તેઓશ્રીએ પેાતાના અદ્ભુત જ્ઞાન અને દીઘદિષ્ટથી વડાદરા ખાતે એક આલ્કે હેલના પ્લાન્ટ સ્થાપવાના નિ ચ કર્યાં હતા. આજે તેા તેઓ સદેહે હયાત નથી પરંતુ તેમની કલ્પનાની મૂર્તિ સમા અને એશિયામાં જાપાન પછી સૌ પ્રથમ એવા અદ્યતન પ્લાન્ટ મે. ઇન્દુ. નિસાન એકત્રો-કેમિકલ ઇન્ડ, લિમિટેડ હજારો માણસોને રાજગારી પૂરી પાડવાની સાથે કરોડા રૂપિયાનુ કિંમતી વિદેશી હૂંડિયામણ મચાવી રહ્યો છે ત્યારે એમનું આ ભવ્ય પ્રદાન દેશ અને દુનિયામાં એમના નામની અમરતાનું જીવંત સ્મારક જ છે.
વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે અઢળક સમૃદ્ધિ અને ખ્યાતિ મેળવવા છતાં તે સમાજ અને પેાતાના વતનને કચારેય ભૂલ્યા ન હતા. તેઓ કહેતા કે જે સમાજે આપણને આ બધુ આપ્યું છે. તેનાં ઉત્થાનમાં ફૂલ નહિ તેા ફૂલની પાંખડી આપવી એ જ સમાજ પ્રત્યેનુ સાચુ' તણ છે. અરણા સ્વરૂપે શરૂ થયેલે દાનના પ્રવાહ સમય જતાં ધમાં પલટાઈ ગયા હતા.
પોતાની જન્મભૂમિ ચિત્તલ પ્રત્યે તેમને અનહદ લગાવ હતેા. ચિત્તલમાં તેમના સદગત્ પિતાશ્રીની સ્મૃતિમાં ચાલતી શ્રી ડી. કે. ભુવા હાઇસ્કૂલ તેમ જ લાખા રૂપિયાના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન મેડિકલ સુવિધાએથી સુસજ્જ હેસ્પિટલ તેમના વતન પ્રત્યેના પ્રેમનાં જ્વલંત ઉદાહરણા છે. વતન સિવાય પણ જ્યારે જ્યારે સમાજમાં તેમની સહાયની જરૂરત ઊભી થઈ ત્યારે તેમણે ખા દિલથી યથાશક્તિ ફાળો આપ્યા હતા.
સાદાઈ અને નમ્રભાવથી પેાતાના સ્વભાવમાં રહેલા પાપકાર અને સદાચારનાં મહાન ગુણ્ણાનેા પ્રકાશ વિસ્તારી, પેાતાના વિરલ સસ્કારવારસો ચાર સુપુત્રાને સોંપી તા. ૧-૧૦-૧૯૭૬ના આ દુનિયાની ચિરવિદાય લેનાર પુણ્યશાળી આત્માને આદરાંજલિ અર્પી પ્રભુ તેમના આત્માને અન ંત શાં િઅમૃત બન્ને એવી પ્રાર્થના કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org