________________
અભિવાદનગ્રંથ ]
સ્વ. શ્રી ઇન્દુલાલ દુર્લભજી ભુવા
પેાતાના સંકલ્પાને પાર પાડવા માટે સતત પ્રયત્નશીલ અને ઉદ્યમશીલ, પોતાના અજબ વ્યક્તિત્વના રંગે વ્યાપાર-ઉદ્યોગનાં વિવિધ ક્ષેત્રામાં નવા પ્રાણ અને સંજીવની રંડી. વિરલ પ્રતિભાવ ત ઉદ્યોગપતિઓ અને દાનવીરાના નક્ષત્રવૃંદમાં ચદ્ર સમી શીળી ચાંદનીને પ્રકાશ પ્રસરાવી જનાર વિચક્ષણ અને વહીવટ નિપુણ મહાનુભાવ.
{ ૭o
શાણપણભર્યો નેતૃત્વથી નવભારતના ઘડતર માટે લાભપ્રદ બને તેવા વિવિધ ઉદ્યોગેાની સ્થાપના અને ઉત્થાન માટે યશસ્વી ફાળે આપનાર અને સમાજનાં વિવિધ ક્ષેત્રામાં તન, મન, ધનથી પ્રત્યક્ષ યા પરાક્ષ રીતે સેવા આપનાર શ્રી ઇન્દુલાલભાઈ ના જન્મ ચિત્તલના પ્રતિષ્ઠિત નાગરિક સ્વ. શ્રી દુર્લભજી કરશનજી ભુવા સમા પ્રતાપી પિતાશ્રીના ગૃહે તા. ૧-૧૨-૧૯૧૧ના દિને થયા હતા. એમના પિતાશ્રી દુ ભજીભાઈ એ બર્મામાં ચાર દાયકા સુધી વસવાટ કરી સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. શ્રી ઇન્દુલાલભાઈ એ મેટ્રિક સુધીનું શિક્ષણ અમરેલીમાં લીધા બાદ રંગૂનમાં ઉચ્ચ અભ્યાસ કરી બી. કામની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
નાનપણથી જ તેમના પિતાશ્રીએ તેમને વ્યાપારી કુનેહે શિખડાવવાની સાથે સાથે દેશભક્તિ અને સમાજસેવાના સસ્કારોનુ’ સિંચન કર્યું હતું. મહાત્મા ગાંધીના આદશેŕથી પ્રભાવિત થઈ તેમણે ૧૯૩૯ના સત્યાગ્રહમાં પણ ભાગ લીધેા હતેા. ધેાલેરા સત્યાગ્રહમાં ભાગ લઈ કારાવાસ પણ ભોગવ્યા હતા,
આજથી પચ્ચીસ વર્ષ પહેલાં પ્લાસ્ટિસાઈઝર કેમિકલ ઉદ્યોગ ક્ષેત્રે ભારત જ્યારે પા પા પગલી ભરી રહ્યું હતું ત્યારે પેાતાની વિશિષ્ટ બુદ્ધિ અને શક્તિથી ભવ્યતમ ભાવિના સ્વપ્નને સાકાર કરવા માટે દૃઢનિશ્ચિયી બની જાપાનનાં જગપ્રસિદ્ધ ઉદ્યોગગૃહાની ટેકનિકલ જાણકારી અને આર્થિક સહાયને શકય બનાવી તેમણે મે. ઇન્ડો નિપાન કેમિકલ કુાં. લિમિટેડની સ્થાપના કરીને ઉદ્યોગયજ્ઞનુ' મ’ગલાચરણ કર્યું. તેમના કુનેહભર્યો વહીવટ હેઠળ આ કપનીએ વર્ષો વર્ષાં પ્રગતિનાં સપાના સર કર્યાં. તાજેતરમાં જ આ કપનીએ તેની સ્થાપનાનાં પચ્ચીસ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org