SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૭પ હતી અને આદીશ્વર ભગવાનનું શિખરબંધ મંદિરનું નિર્માણ તેમના વહીવટ દરમ્યાન થયું હતું. આજે પણ મહાન આચાર્ય ભગવંત ભરૂચ પધારે ત્યારે તેમને ખૂબ યાદ કરે છે અને વ્યાખ્યાનાદિમાં પણ તેમનાં દષ્ટાંત ઢાંકે છે. તે તેમને માત્ર એક જ દીકરી હતી. તેના લગ્ન સમયે પણ તેમના જમાઈ શેઠ ચુનીલાલ રાયચંદને તેમણે કહ્યું હતું કે જે તમારે વિચાર હોય તો તમારા આ લગ્નના વરઘોડાને દીક્ષાના વરઘોડામાં ફેરવી નાંખીએ. કે ધર્મને અને સમયનો રાગ ! પિતાની પુત્રીના ભવિષ્યના વિચાર કરવાને બદલે જમાઈને જ સંયમમાર્ગની સલાહ આપી. ભરૂચનાં મંદિરો ઉપરાંત જિલ્લાના ઝઘડીઆ, કાવી, ગંધાર તથા બીજા નાનાં મોટાં ગામને વહીવટ પણ તેઓ સંભાળતા. આજે પણ સાધુ ભગવંતે તથા શ્રાવકે અને ભરૂચ સંઘના ભાઈઓ તે તેમને આદરપૂર્વક યાદ કરે છે. તેઓ પાલીતાણે દાદાના દરબારમાં જ દેવલેક થયેલા. શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી મૂળ સુરતના વતની શ્રી અમરચંદભાઈ પાંચમી અંગ્રેજી સુધી મુંબઈમાં જ ભણ્યા. તેમણે ભારતનાં બધાં જ તીર્થોની યાત્રા કરેલી છે અને અનેક સંસ્થાઓમાં નાનુંમોટું દાન આપેલું છે. તેમના પિતા અને દાદા પણ ધાર્મિક હતા અને તેથી એમનામાં પણ ધાર્મિક સંસ્કારોનું સિંચન થયું છે. - તેઓ ૧૯૪૪-૪૫ પછી નીચે મુજબની બધી જ સંસ્થાઓ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા છે અને યથાગ્ય સેવા આપી રહ્યા છે–(૧) ગોડીજી જૈન દેરાસર–પાયધુની (મેનેજિંગ ટ્રસ્ટી તરીકે) (૨) પાલીતાણા આગમમંદિર–મેનેજિંગ ટ્રસ્ટી (૩) શંખેશ્વર આગમમંદિર (૪) સુરત આગમમંદિર (૫) સુરત જેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy