________________
૭૪ j
[ આપણા શ્રેષ્ઠીવર્યો
મહેસાણામાં કમળબેન હીરાચંદ બાના નામે ધર્મશાળા બંધાવી. દાઠા હાઈસ્કૂલમાં તેમના ઘણા ફાળો છે. તેમનું અવસાન એ સમાજને પડેલી મેટી ખેાટ છે.
6
શેડશ્રી અનુપદ મલુકચંદ
શેઠશ્રી અનુપચંદભાઈ ભરૂચ સંઘના અલંકાર સ્વરૂપ હતા. ખૂબ જ વિદ્વાન અને ધર્મશાસ્ત્રાના અભ્યાસી હતા. તેમણે પ્રાયે ૪૫ આગમાના પણ અભ્યાસ કર્યાં હતા. પરંતુ પાછળથી પ. પૂ. આત્મારામજી મ. સા. ના પરિચયમાં આવ્યા બાદ તેમને સમજાયું કે શ્રાવકો આગમવાંચન કરી શકે નહિ. તે માટે તેમણે પ્રાયશ્ચિત્ત પણ કર્યું હતું. તેએએ માત્ર શાસ્ત્રના અભ્યાસ જ કર્યાં ન હતા પરંતુ તેમણે ઘણા ગ્રંથા લખ્યા પણ હતા અને લખાવ્યા પણ હતા. તેમના પ્રશ્નચિંતામણિ ગ્રંથ આજે પણ સાધુ ભગવંતા પણ વાંચે છે.
તેઓ આત્મારામજી મ. સા. સમકાલીન હતા. શ્રીમદ્ રાજચંદ્ર પણ તેમના ઘરે પધાર્યા હતા. આત્મારામજી મ. સા. પાસે પણ તેમણે શાસ્ત્રાભ્યાસ કર્યો હતા. તેઓ એટલા વિદ્વાન હતા કે પ. પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મ. સા.એ તેમની પાસે અભ્યાસ કરવા ભરૂચમાં ત્રણ ચાતુર્માસ કર્યો હતા. બીજા પણ સાધુ ભગવ`તાએ તેઓની પાસે અભ્યાસ કર્યાં હતા. એવું સાંભળવામાં આવેલ છે કે શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ પણ તેમની પાસે અભ્યાસ કરવા આવતા. તે ખૂબ જ વિદ્વાન હેાવા ઉપરાંત ચુસ્ત વ્રતધારી શ્રાવક પણ હતા. તેઓ સાચા અર્થમાં સાધુ-સાધ્વીના મા-બાપ જેવા હતા. તેમની ભૂલ હેય તેા તેમની ભૂલ સુધારતા અને તેમને વ્રતપાલનમાં મદદ કરતા, સ્થિર કરતા. છતાં ન માને તે જરૂર પડયે ઠપકા પણ આપતા. આણંદજી કલ્યાણજી પેઢીના તેએ માનદ
સલાહકાર હતા.
ભરૂચનાં મંદિરોની તેમણે ખૂબ જ સુંદર સભાળ લીધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org