________________
અભિવાદનગ્રંથ !
[ ૭૩ સ્વ. શ્રી અનંતરાય હરાચંદ દાઠાના વતની અને મુંબઈ રહેતા સૌજન્યમૂર્તિ શ્રી અનંતરાય હીરાચંદનું પ૬ વર્ષની નાની વયમાં શુક્રવાર તા. ૨૪–૧–૮૬ ના રોજ અવસાન થયું.
શ્રી અનુભાઈએ જીવનના અનેક ઝંઝાવાતમાંથી પસાર થઈ જીવનને નવા વળાંક આપી, ઉદાર ભાવે સત્કર્મમાં લક્ષ્મી વાપરવા લાગ્યા હતા અને માતૃભૂમિ દાઠાના વિકાસમાં ખૂબ જ રસ લઈ રહ્યા હતા. એટલું જ નહિ, દાઠાની ભેજનશાળા અદ્યતન બને અને યાત્રિકને દરેક પ્રકારની સગવડ મળે તે માટે સતત પ્રયત્નશીલ હતા.
દાડા દેરાસરને મીનાકારી બનાવવામાં તથા ગામમાં હાઈસ્કૂલ ઊભી કરવામાં શ્રી અનુભાઈનું આગવું પ્રદાન હતું. વતન પ્રત્યે તેમને અનુરાગ દિવસે દિવસે વધતો હતો. અને આઠ ઓરડા માટે લક્કી ડોની અનુપમ યોજના મુંબઈમાં કરી ભેજનશાળા માટે નિધિ કરી આપવામાં ઉમદા ફાળે અપી રહ્યા હતા.
લકી ડ્રોની કૂપનનું વેચાણ થયા બાદ તેને ડ્રો મુંબઈમાં તા. ર૪૧-૧૯૮૬ના રોજ રાખવાનું આયેાજન કરેલ પણ એકાએક તેઓશ્રી તા. ૨૪-૧-૮૬ના રોજ ચાલ્યા ગયા.
મુંબઈમાં શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજમાં આગવી પ્રતિભા ઊભી કરી હતી, અને વિધવા બહેનેને ઉપયોગી થવા, તેમને આત્મ નિર્ભર બનાવવા તેમ જ તેમના પૈસાની કાયમી સલામતી માટે
સ્વ. પિતાશ્રી હીરાચંદ છગનલાલ શાહની સ્મૃતિમાં દોઢ લાખની રકમ પિતાની આપી “વિશાળ ટ્રસ્ટને પ્રારંભ કરેલ છે. માનવતાનું ઉમદા કાર્ય કે જે ચિરસ્મરણીય બની રહેલ છે.
તળાજાની શ્રી એન. આર. શાહ હોસ્પિટલના ટ્રસ્ટી હતા અને જૈન સમાજની નાનીમેટી અનેક સંસ્થાઓમાં રસ લઈ કાર્યરત રહેતા હતા. - ભારતમાં બધે ફર્યા, પરદેશ બે-ત્રણ વખત જઈ આવ્યા. છે. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org