________________
૭૨ ]
| આપણા શ્રેષ્ઠીવર્યાં
સુગંધ ભળે તેમ તેમના એ લાડીલા સુપુત્રા શ્રી રસિકભાઈ તથા શ્રી નવીનભાઈ ને સાથે રાખી સાહસમુદ્ધિ જ નહિ પર`તુ એ સાહસને અડગતાથી વળગી રહેવાનુ નિશ્ચયખળ તેમાં આવતી મુશ્કેલીઓ સામે ઝઝૂમવાની હિંમત અને તેમાંથી માર્ગ કાઢવાની કુનેહ વાપરીને આજે અનેક સેાપાન સર કર્યાં છે. એથી જ વ્યાપાર-ઉદ્યોગના સમર્થ સર્જક અને સૂત્રધાર તરીકે સમાજના અને દુઃખી તથા જરૂરિયાતવાળાના દુઃખ ભાંગનાર તરીકે તેઓશ્રીનું જીવન અવિરામ પ્રેરક તરીકે પ્રોજ્વલ રહ્યું છે.
સમાજના સાંસ્કૃતિક વિકાસાર્થે સપત્તિના સદ્વ્યય કરવામાં સાકતા પ્રમાણ કરનાર શ્રી અમૃતલાલભાઈના સ્વભાવમાં રહેલી માનવસૌરભ સમાજને સ્પર્ધા વિના રહી નથી. પાલીતાણા તીમાં શ્રી શત્રુ ંજય હાસ્પિટલ અને આરેાગ્યધામ. મુંબઈમાં વાડિયા ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઇન્ટેન્સીવ કેર યુનિટ, મહાવીર વેલફેર ટ્રસ્ટ, હિન્દુ રિલીફ્ કમિટી, મહાવીર હાર્ટ રીસર્ચ ફાઉન્ડેશન, મહાવીર કલ્યાણ કેન્દ્ર, મહાવીર જૈન વિદ્યાલય, રતનપરમાં શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સુંદર અને ભવ્ય જિનાલય, વગેરે અનેક સંસ્થા સાથે સકળાયેલા તેમ જ નિર્માણ કરનારા શ્રી અમૃતલાલભાઈ જડ રૂઢીઓના સામના કરનાર સરળ હૃદયના દાતા બન્યા છે. સાધર્મિક જનસેવા અન્ય સમાજના જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને પુસ્તક ફ્રી, સ્કોલરશિપ, ગરીબોને અનાજ તથા દવા આપી સેવા કરવી, બિનવારસ મૃતદેહના અગ્નિસંસ્કાર કરાવી આપવા, મૂંગાં પ્રાણીઓને કતલખાનેથી છેડાવવાં વગેરે અનેક પ્રવૃત્તિઓમાં આતપ્રેત છે.
તેઓશ્રી ઉત્તરાત્તર ઉદ્યોગ ઉત્કર્ષ અને સમાજસેવા સાધતા રહે, દીર્ઘાયુ બને એવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. પુરુષાર્થ, સૌજન્ય અને ઉદારતાના ત્રિવેણીસંગમ સમા શ્રી અમૃતલાલભાઈના હાથે શાસનનાં આથીયે વધુ કામેા થાય તેવી શુભેચ્છા,
Jain Education International
~020536
For Private & Personal Use Only
www.jainelibrary.org