________________
અભિવાદનગ્રંથ ]
અમેરિકામાં પ્રવેશના નિયમ ૧૯૬૦માં હળવા થયા. ત્યારથી ગુજરાતીઓને પ્રવાહ અમેરિકા તરફ શરૂ થયું. અમેરિકામાં આજે લગભગ સાત લાખ હિન્દીઓ હશે. તેમાંથી ૪૦ ટકા એટલે કે લગભગ ત્રણેક લાખ ગુજરાતીઓ છે.
ગુજરાતીઓ નાણાં કમાઈ જાણે છે પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રત્યે નિરુત્સાહ છે. આ કારણે તેઓ જોઈએ તેટલા વિખ્યાત ન થયા.”
આર્થર પાઈ સે ડો. નટર ગાંધી પાસેથી અભિપ્રાય મેળવ્યું છે કે “ગુજરાતીઓ પૈસા કમાવામાં અને તેમ થાય તે માટે વધુ સમય કામ કરવામાં (એવરટાઈમમાં) માને છે. આ કારણે સાંસ્કૃતિક ક્ષેત્રે ગદાન નહિવત્ છે.”
વીસેક વર્ષ પહેલાં ડો. ગાંધી ડેટ્રોઈટે ગયા હતા. ગુજરાતીઓ સાથે તેમને મેળાપ ન થાય. પછી જાણવા મળ્યું કે મેટા ભાગના ગુજરાતીઓ ઓવરટાઈમમાં કામ કરે છે એટલે ડયુટી પર છે.
લા વેગાસના એન્જિનિયર શ્રી જગદીશ પટેલ કહે છે કે માત્ર ગુજરાતી વાતાવરણ પેદા કરવાથી યુગાન્ડા-કેન્યામાં ગુજરાતીએના જે હાલ થયા એવા હાલ અહીં અમેરિકામાં થશે. ગુજરાતીઓએ અન્ય હિન્દીઓ સાથે મેલમેલાપ કરતાં શીખવું જોઈએ.”
મુંબઈથી શ્રી મયંક છાયા તેમના લેખમાં જણાવે છે કે, પૈસાના મહના કારણે જ ગુજરાતીઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પાછળ છે એ ખરું નથી. મૂળ કારણ ભૌતિક સલામતીની તેમની તીવ્ર ઝંખના છે.”
અમદાવાદથી શ્રી જે. એન. ચપરા લખે છે કે, “ગુજરાતીઓ એકબીજાને મળે છે ત્યારે “મજામાં?” એમ પૂછે છે.” અમેરિકામાં વસેલાં સવિતાબહેન શાહે ચપરાને કહ્યું, “અમે સારું ખાઈએ છીએ, સારી રીતે જીવીએ છીએ અને ભારતમાં બચે તે કરતાં વધારે બચાવીએ છીએ. ”
ભારતમાં વતનની મુલાકાત લેતા અમેરિકાવાસી ગુજરાતીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org