________________
અભિવાદનગ્રંથ ]
[ ૫૩
મિત્રા પાસેથી લીધેલાં નાણા પૂરેપૂરાં ચૂકવી આપ્યાં. આજે આર્થિક જરૂરિયાતવાળા ભારતવાસીઓને સહાય કરે છે. જૈન તી, ધર્મીશાળાએ તથા સમાજોને પણ નિયમિત આર્થિક સહાય કરે છે.
ફકીરભાઈ માને છે કે ધ મય, નીતિમય, એછી જરૂરિયાતવાળું સાદું જીવન તથા નિલે`ભ, સત્સંગ વગેરે સદ્ગુણા માનિસક શાંતિ આપે છે. તેમનું મતવ્ય છે કે જીવનમાં માત્ર પૈસા જ અગત્યની વસ્તુ નથી. ધમય તથા નીતિમય જીવન અને વ્યવસ્થિતતા દ્વારા જીવન સફળ બને છે. સદાચાર, ભાષા પર કાબૂ, અસ્વાદ વગેરે મન તથા શરીરના સ્વાસ્થ્ય માટે અગત્યનાં છે. મંજુબહેન સાથે લગ્ન કર્યુ. બે પુત્રો છેઃ પરમલ, સૌરભ,
શ્રી રતિભાઈ ત્રિકમદાસ પટેલ
જન્મ તારીખ : ૩૦-૭-૧૯૩૨
અભ્યાસ : સિવિલ એન્જિનિયરિંગ, એન્જિનિયરિંગ એડમિમિનસ્ટ્રેશન.
ખેડા જિલ્લાના સામરખાના વતની રિતભાઈના પૂર્વજો બે પેઢીથી અમદાવાદમાં વસે છે. રિતભાઈ ત્રણેક દાયકાથી વાશિંગ્ટનમાં સ્થિર થયા છે. પચીસેક વર્ષથી અમેરિકન સરકારી સંરક્ષણ ખાતામાં ટ્રાયડન્ટ સબમરીન પ્રોગ્રામમાં કામગીરી બજાવે છે.
શ્રી રતિભાઈ એ જીવનને પ્રારભ જ સામાજિક રૂઢિએની દીવાલેા પાડી, જમાનાને અનુરૂપ વાડા તાડીને કર્યાં. ગુજરાત સરકારના જુનિયર એન્જિનિયર તરીકે આણંદમાં કામ કરતાં એક યુવતીનાં સપ`માં તેઓ આવ્યા. શ્રી પટેલની જ્ઞાતિમાં એ યુવતી ઊંચા ગોળની અને પોતે નીચા ગાળના. બેત્રણ મુલાકાતા ખાદ એ યુવતીએ સામેથી લગ્નપ્રસ્તાવ મૂકયો. વડીલવર્ગને આ લગ્ન મજૂર કરવાનું અઘરું પડ્યું. પણ દૃઢનિશ્ચયી આ યુગલે પેાતાનું ધાયું કર્યું. ૧૯૫૯ના માર્ચમાં રતિભાઈ અને પુષ્પાબહેન સમગ્ર પરિવારની ઉપસ્થિતિમાં લગ્નગ્રન્થિથી જોડાયાં.
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org