SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર ] [ આપણું શ્રેષ્ઠીવર્યો અમેરિકા આવ્યા. ૧૯૬૩માં યુ. એસ. એ.ની મેરીલેન્ડ યુનિવર્સિટીમાંથી એમ. બી. એ. કર્યું. હિન્દમાં “ભારત છેડે” ચળવળમાં તથા ૧૯૪પથી વિદ્યાર્થીસંઘની પ્રવૃત્તિમાં સક્રિય હતા. કેન્સેસ સ્વયંસેવક તરીકે મુંબઈમાં મહાત્મા ગાંધીની પ્રાર્થનાસભાઓ, સંમેલન, તથા અભ્યાસવર્તુળમાં ભાગ લીધો છે. મજૂર સંગઠન અને ગ્રાહક સહકારી સંસાયટી સાથે પણ સંકળાયેલા. હરિજન ચાલેમાં શિક્ષણ આપ્યું, હાથે કાંત્યું અને ખાદી પહેરવી શરૂ કરી. પિતાજએ સટ્ટામાં આર્થિક ખેટ ખાતાં ચાર ભાઈઓમાં યેષ્ઠ પુત્ર તરીકે માથે આવી પડેલી બધી જવાબદારી ખંતથી સંભાળી. હિંમતપૂર્વક સંકટોને સામને કર્યો. પોતે ભણ્યા, ભાઈઓને ભણાવ્યા અને અમેરિકામાં સૌ સહકુંબ સ્થિર થયા. મેટ્રિક કરતાં સુધી જૈન સાધુઓ સાથે રાત્રે ઉપાશ્રયમાં સૂવા જતા. ત્યાં અર્ધમાગધી શીખવાની તક મળી. રાત્રિ આશ્રયને કારણે સહેજમાં જૈન સાધુ થતા રહી ગયા. ૧૯૪૫ થી ૧૯૬૩ દરમ્યાન ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં કામ કરતા કંપનીના મેનેજિંગ ડાયરેકટર બી. કે. શાહ તથા યુનિયન પ્રેસિડેન્ટ અશોક મહેતાના નિકટ પરિચયમાં આવ્યા. આ બન્ને મહાનુભાવે પાસેથી જીવન જીવવાની જડીબુટ્ટી મળી. વિવિધ ક્ષેત્રે આજ પર્યત મળેલી સફળતાનાં કારણોમાં શ્રી ફકીરભાઈ ચીવટાઈ, નિયમિતતા, તંદુરસ્તી, નીતિ, સ્વચ્છતા, વાચન, દારૂ-સિગરેટના વ્યસનથી દૂર રહેવું વગેરે જણાવે છે. શિંગ્ટનમાં ગુજરાતી સમાજ તથા એસેસિયેશન ઓફ ઈન્ડિયન્સ ઇન અમેરિકાની સંસ્થાઓ સ્થાપી. શિંગ્ટન જૈન સોસાયટી, ફેડરેશન ઓફ ગુજરાતી એસેસિયેશન ઇન નોર્થ અમેરિકા, ફેડરેશન ઓફ જેન એસેસિયેશન ઓફ અમેરિકા વગેરેની થાપનામાં અગ્ર ભાગ ભજવ્યું. અમેરિકા આવવા માટે લીધેલી લેન વ્યાજ સહિત ભરી દીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy