________________
૬૧૦ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો ખચીને પુણ્ય કમાયા છે. શ્રી રાયચંદભાઈએ આ નીચે મુજબને લાભ લઈને જીવતરને ધન્ય બનાવી મુક્તિનું ભાતું બાંધ્યું છે. ભાવનગર શ્રી જૈન આત્માનંદસભાના ઉપપ્રમુખપદે છે. શ્રી વિજય ધર્મપ્રકાશક સભાના મંત્રી, શ્રી યશવિજય જૈન ગ્રંથમાળામાં કાર્ય વાહક સભ્ય, શ્રી નવપદ આરાધક મંડળના સ્થાપક સેક્રેટરી વિ. તથા ભાવનગર પરચૂરણ કાપડ એસોસિયેશનના સ્થાપક તથા પ્રથમ સેકેટરી, શ્રી ચિંતામણિ બિલ્ડિંગ ભાડૂત મંડળના પ્રમુખ. - શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નવા આદીશ્વરની ઉપર ચેકીનાં
મુખજીમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી છે. શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન જિનાલયની ભરતીમાં મૂળ નાયકશ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી તથા ધજા પ્રતિ વર્ષ ચડાવવાને આદેશ લીધે છે.
શ્રી શત્રુંજય તીર્થની તળેટીમાં શ્રી કેસરિયાજી મંદિરમાં, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના ગભારામાં, શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી. પાલીતાણામાં આરીસાભુવન ધર્મશાળામાં શ્રી શાંતિનાથ જૈન પ્રાસાદમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી છે. એમનાં મોટાં બહેન જડીબહેને શ્રી મહાવીર સ્વામી બિરાજમાન કર્યા છે. ભાઈ-બહેનના બે ગોખલા સામસામા છે. ભાવનગરમાં વડવામાં શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન કર્યા છે – પ્રતિષ્ઠા કરી છે. શ્રી આબુજી તીર્થમાં વસ્તુપાળ-તેજપાળની ટૂક, લુણવસહીમાં શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી તથા ધજાને કાયમી આદેશ લીધે છે. મહેસાણામાં બે પ્રતિમાજીની અંજનશલાકાને લાભ લીધો છે. પાલીતાણામાં કેસરિયાજી મંદિરમાં બે પ્રતિમાજીની અંજન શલાકાને લાભ લીધો છે. મુંબઈમાં પાયધુની ઉપર શ્રી મહાવીરસ્વામી દેરાસરમાં શ્રી પદ્માવતી માતાજી બિરાજમાન કર્યા છે.
સિદ્ધક્ષેત્રમાં આગમ મંદિરમાં શ્રી લબ્ધિસાગરજી જૈન ઉપાશ્રયમાં મુખ્ય હોલ ઉપર “શ્રેષ્ઠીવર્ય શ્રી રાયચંદ મગનલાલ શાહ આરાધના હોલ” નામ આપી જીવન કૃતાર્થ કરેલ છે. શાન્તિસ્નાત્ર, અષ્ટોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org