SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ભવાદનગ્રંથ ] [ ૬૯ એકલા જ આયાત કરનારા વેપારી તરીકે નિયુક્ત થયા હતા. તેમના જીવનમાં વર્ણવી ન શકાય તેટલો ભાગ આધ્યાત્મિક ચેતનાએ ભજવ્યો હતો. પિતાના ક્ષેત્રમાં યશભાગી બનવાની પ્રેરણા તેમને મામાશ્રી નેમચંદ દલાજી તથા શ્રી અરદેશરજી પાસેથી મળી. હિંમત તથા આત્મવિશ્વાસથી તેઓ જીવન સંઘર્ષમાં આગળ વધ્યા. શ્રી રાયચંદ મગનલાલ શાહ અનેક સમાજસેવી સંસ્થાઓના પ્રેરક અને માર્ગદર્શક, નીડર વક્તા અને ધર્મપ્રેમી શ્રેષ્ઠીવર્ય શ્રી રાયચંદભાઈ ભાવનગરના વતની છે. લગભગ ૫૦ વર્ષથી મુંબઈને કર્મભૂમિ બનાવી છે. તેમનાં માતુશ્રી પરસનબેન ખૂબ જ ધર્મપરાયણ આત્મા હતાં. શ્રી રાયચંદભાઈ દઢ મનોબળ, પરગજુ સ્વભાવ, પ્રબળ ધર્મ ભાવના સાથે મુંબઈમાં જૈન શાસન-સેવાના કામમાં સક્રિય કામ કરી રહ્યા છે. મુંબઈમાં શ્રી વિજયદેવસૂરસંઘ, શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં પ્રત્યેક વિભાગમાં સેવા આપતા રહ્યા છે. ગોડીજી પાઠશાળાના સેક્રેટરી, ગોડીજી જ્ઞાનભંડારના મંત્રી તરીકે તથા શ્રી જૈન સાધર્મિક સેવાસંઘના ટ્રસ્ટી તથા મંત્રી તરીકે શ્રી વર્ધમાન સાધમિક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે, શ્રી ઘોઘારી વિસા શ્રીમાળી જ્ઞાતિના માનદ મંત્રીપદે, શ્રી ઘંઘારી જૈન મિત્રમંડળના પ્રમુખ તરીકે, શ્રી અખિલ ભારત જૈન સંસ્કૃતિ રક્ષક સભાના માનદ મંત્રી પદે, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ખજાનચી તથા ટ્રસ્ટી ઇત્યાદિ અનેક સંસ્થાઓમાં પિતાની સેવાઓ તન મન અને ધનથી સમર્પિત કરી છે. તદ્ ઉપરાંત જીવદયાના ક્ષેત્રે હજારે કૂતરાઓને અભયદાન આપવાનું, ગાય, બકરાં, પશુ, પંખીઓને અભયદાન આપવાનું મેટા પાયા ઉપર ગજબનું કામ કર્યું છે. શ્રી સાધર્મિક સેવા સંઘ અને વર્ધમાન સાધર્મિક સેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે ખૂબ ખૂબ સેવા શક્તિ છે. છ9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy