________________
અભિવાદનગ્રંથ છે
{ ૬૦૩ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ સુરેન્દ્રનગર-ઝાલાવાડના મુંબઈ વસતા શ્રેષ્ઠીવર્યો જેઓએ વતનમાં અનેક સાર્વજનિક સંસ્થાઓને પાયામાંથી ઊભી કરી, પિતાની દાનશક્તિથી પ્રાણનું સિંચન કર્યું, એ સંસ્થાઓને સતત પોષણ આપ્યાં કર્યું, આજે પાંગરીને વટવૃક્ષ બનેલ સંસ્થાઓ યાદ કરે છે તેના ઘરદીવડાઓને, આમાંના એક શ્રી રસિકભાઈ શાહ રાણપુરના વતની છે. ભારેભાર નમ્રતા અને વિવેકનો સમન્વય સાધી મુંબઈની લખંડ બજારમાં એચ. રસિકલાલની કુ. નામક વ્યવસાયગૃહનું સફળ સંચાલન કરી રહ્યા છે. ધંધામાં પિતાની કુશાગ્ર બુદ્ધિ અને શક્તિથી સિદ્ધિનાં પાન સર કર્યા છે. અનેક સંસ્થાઓને સખાવત અર્પ સૌના પ્રીતિપાત્ર બન્યા છે. શિક્ષણની સંસ્થાઓ, બાલાશ્રમ, અનાથાશ્રમે એવી માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં દિલથી રસ લેતા અમે તેમને નજરે જોયા છે. અને તેથી જ તેઓ આજ મુંબઈમાં રાણપુર પ્રજામંડળના ઉપપ્રમુખ તરીકે યશસ્વી સ્થાન શોભાવી રહ્યા છે. મુંબઈમાં જેન સોશ્યલ ગ્રુપ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. બોટાદ, રાણપુર, સુરેન્દ્રનગર અને જોરાવરનગરની અનેક સંસ્થાઓમાં પ્રાણ રેડ્યો છે અને ત્યાંની કેળવણી-સંસ્થાઓમાં તેમની રાહબરી અને માર્ગદર્શન ઉપયોગી સાબિત થયાં છે. જન્મભૂમિ રાણપુરને તે ક્યારે ય ભૂલતા નથી. શ્રી રસિકભાઈ અમેરિકાની સફરે પણ જઈ આવ્યા છે. તેમની વિનમ્રતા અને મિતભાષીપણાએ તેઓ ઘણું મોટા સમૂહને પિતાના મિત્ર બનાવી શક્યા છે.
શ્રી રસિકભાઈ વકીલ સ્વભાવે ખૂબ જ ઉમદા અને રસિક ગણાતા શ્રી રસિકભાઈ વકીલે “ભારતીય રંગભૂમિના પાંચ હજાર વર્ષ ” નામક પુસ્તક લખ્યું છે. તેમણે ગુજરાતી રંગભૂમિ વિશે પણ રંગભૂમિની શરૂઆતથી માંડીને આજ સુધીના આધુનિક તખ્તાને આવરી આલેખન કરતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org