________________
૬૦૪ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો રંગદેવતા' નામનું બીજું પ્રમાણભૂત પુસ્તક પણ લખ્યું છે. તેઓશ્રી જાણીતા ગુજરાતી અખબારો “મુંબઈ સમાચાર” અને “જન્મભૂમિ'ના કટારલેખક છે. ૧૯૪૦ થી ૧૯૮૫ સુધી તેઓ સ્વગીયશ્રી સેહરાબ મેદીના મિત્ર અને માર્ગદર્શક રહ્યા હતા. ૧૯૪૦થી તેઓ પ્રકાશ પિશ્ચર્સવાળા શ્રી વિજ્ય ભટ્ટના અંગત મિત્ર રહ્યા છે અને હિન્દી અને ગુજરાતી ફિલ્મના વિવેચક છે.
શ્રી આર. એસ. વકીલને કારણે બે પ્રખ્યાત ફિલ્મ-ડ્યુસર શ્રી વી. એમ. વ્યાસ અને શ્રી સી. એમ. ત્રિવેદીએ તેમની કારકિર્દી શરૂ કરી અને સફળ ફિલ્મનું નિર્માણ કર્યું. ગુજરાત સરકારે તેમને ગુજરાતી રંગભૂમિની પ્રમાણભૂત વ્યક્તિ તરીકે સ્વીકાર્યા છે. તેમને વિવિધ ભારતીય પ્રેક્ષકગણની બહેની જાણકારી છે. ઈ. સ. ૧૯૧૨ થી ૧૯૮૬ દરમ્યાન છેલ્લાં ૭૫ વર્ષમાં તેમણે ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી અને ઇગ્લિશમાં લગભગ ૩૦૦ નાટક જોયાં છે. વ્યક્તિગત રીતે તેઓ પચાસથી વધારે સફળ નાટક સાથે અને દસથી બાર ફિલ્મો સાથે સંકળાયેલા છે.
સ્વ. શ્રી રસિકલાલ ચુનીલાલ કાપડિયા ખંભાત એમનું વતન. જેને જ્ઞાતિના આગેવાનો કાર્યકર અને દાનવીર તરીકે તેમનું નામ આગળ પડતું ગણાયું છે. મુંબઈમાં વ્યવસાયે કાપડની લાઈનમાં આગળ આવ્યા, ભારતમાં બધે જ ફર્યા. જૈન ધર્મ અને જૈનાચાર્યો તરફ તેમને અનન્ય ભાવ. અમદાવાદમાં પૂ. આ. શ્રી વિક્રમસૂરિ મહારાજની દેરીના સ્થાપનકાર્યમાં તેમને ઘણે સગ. હસ્તગિરિ, ખંભાત, ભરૂચ વગેરે તીર્થસ્થાનેમાં સારી એવી રકમ તેમના પરિવાર તરફથી અપાયેલી છે.
જન્મભૂમિ ખંભાતની અનેક સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા–નાલંદા સંસ્થા-મુંબઈના પ્રમુખ તરીકે, ખંભાત વી. શ્રી. જૈન યુવક મંડળ મુંબઈ, તથા રમકડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org