________________
૬૦
[ આપણા શ્રેષ્ઠીવર્યા થયા. શ્રી સાબરમતી રામનગરના શ્રીસંઘે તેમના ફોટાની માંગણી કરતાં શ્રી વ માનતપ આયંબિલ ખાતામાં તેમના ફોટા વારસદારોએ મુકાવેલ છે. તેએશ્રીના આત્માના કલ્યાણાર્થે વારસદારોએ ભાગીદારી યાજિત શ્રી પાલીતાણા મુકામે સ. ૨૦૨૯માં શ્રી ઉપધાનતત્પ કરાવેલ છે. પ્રભુ તેઓશ્રીના આત્માને શાશ્વત શાંતિ અપે.
શ્રી રતિલાલ દુ ભદાસ દાશી
સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના મોટા ખૂંટવડાના વતની શ્રી રતિલાલભાઈનુ પચીશ વર્ષ પહેલાં મુંબઈમાં આગમન થયું. પુરુષાર્થ કરી સ્વય બળે આગળ વધવાની ભાવનાથી કાર્યની શરૂઆત નેાકરીથી કરી, અનુભવ મેળવ્યેા અને પછી એટાપાસના ધ ́ધામાં પંચશીલ, સાનેટ વગેરે નામેાથી પ્રગતિ કરતા રહ્યા. ધંધામાં સારું કમાતા રહ્યા તે ધાર્મિક કાર્યોમાં વાપરતા રહ્યા.
શેઠશ્રી મહાસુખ લક્ષ્મીચંદની પ્રેરણા મળી અને વિકાસને દોર ચાલુ રહ્યો. ઘેાઘારી સમાજમાં, મહુવા યુવક સમાજમાં, મહુવાના જૈન ઉપાશ્રયમાં, પાલીતાણા સમવસરણ મંદિર યાજનામાં એમ અનેક સ્થળે દાનગંગા વહેતી રાખી ભારતનાં બધાં જ તીર્થોની યાત્રા કરી. વાંચન–મનનના જબરા શેખ, સેવામય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની શુભ પ્રવૃત્તિઓને હંમેશાં આવકારવાની એક આદત અને તેને કારણે વિશાળ જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બન્યા. કુદરતે પણ તેમને યારી આપી. ઉદાર ભાવે લક્ષ્મીના સદ્ઉપયેગ કરતા રહ્યા. મુંબઇના વ્યાપારી આલમમાં તેમનું માન-પ્રતિષ્ઠા ઘણાં રહ્યાં પરિવારમાં સૌને સાથે રાખીને ધર્મભાવનાથી અને સાદાઈથી જીવી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org