________________
અભિવાદનગ્રંથ ]
[ પહ૭ અગ્રભાગ ભજવતાં ધરપકડ વહેરીને રડા જેલમાં લાંબો કારાવાસ ભેગ.
આમ દુઃખો અને સંકટના ઝંઝાવાત સામે એકલા હાથે ઝગમી જીવનનાવ સ્થાયી કરવા “મે. ચંદુલાલ વોરા એન્ડ કું.”માં રૂા. ૩૫-૦૦ને માતબર પગારે નોકરીમાં જોડાયા. નાનાં મેટાં અનેક કામે જાત-દેખરેખ નીચે ટકેરાબંધ કરવા-કરાવવાની ચીવટ ને વ્યવસ્થા શક્તિને લઈ એકનિષ્ઠાથી નોકરી કરતાં કરતાં તેઓએ અનુભવનું ભાથું મેળવ્યું.
સને ૧૯૪૮માં મે. મોહનલાલ એન્ડ કું.ની એકલા પડે સ્થાપના કરી. પ્રમાણિક અને અથાગ પુરુષાર્થથી ધંધાને સતત વિકસાવ્યો, દિન-પ્રતિદિન સિદ્ધિનાં શિખરો સર કરતા ગયા ને આવતા દરેક વિરોધ, વિક્ત કે અવરોધને પિતાના મિતભાષી સ્વભાવ, ઊંડી સૂઝબૂઝને તેમ જ જ્ઞાની વ્યક્તિની સવલતને લક્ષમાં લેતાં ખળતા ગયા. તેઓએ ગરીબી વેઠેલી, યાતનાઓને પ્રત્યક્ષ અનુભવ હતા એટલે નાના અદકા-શાં માણસેને જરા જેટલાયે જણને જીવનભર યાદ રાખી તેની યશગાથા સૌ કોઈને હર્ષ મને જણાવતા.
તેમની કૌટુમ્બિક એકતાની પ્રખર ભાવના તથા યુગબળના સ્વપ્નદર્શનની નિજ આવડતને લઈને દરેક કુટુંબીજને કે હરકેઈ વ્યક્તિ કેમ ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધે તે કાજે તન-મન-ધનથી સઘળી સહાય કરવા સદાયે તત્પર રહેતા.
તેઓ અતિથિને જોઈને આનંદમય બની રહેતા. “મેળવો અને વહેંચી ખાવ” એ સૂત્રે તેમના જીવન સાથે ઐક્ય સાધી લીધેલ. તેમના વિચારોનું વલણ મોટા ભાગે સુધારા તરફ હોવા છતાં પ્રાચીન પરંપરા પરત્વેનો આદરભાવ જરાયે ઘટ્યો નહોતો. ખાનદાની અને સેવાભાવ તેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલાં હતાં.
શ્રી મોહનભાઈનો સાહિત્યપ્રેમી જીવ અવાર-નવાર રાજકીય અને અગમ-નિગમની અનેરી વાતો લખી કાઢે અને તેની ચર્ચા ને છે. ૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org