________________
પ૯૪ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો શિક્ષણમાં નિષ્ઠા અને પ્રમાણિકતા, “સુરતનાં કેટલાંક સ્થળનામે, સુરતના સાહિત્યકારોનાં નિવાસસ્થાને”, “સુરતનાં સભાસ્થાને, સુરતમાં સ્વામી દયાનંદ સરસ્વતી”, “સુરતની સ્વાતંત્ર્ય ચળવળનાં બે મુખ્ય કેન્દ્રો, “સુરતની ગંગાધરરાવ શાસ્ત્રીની હવેલી, “સુરતના ઈતિહાસની સંદર્ભસૂચિ વગેરેને સમાવેશ થાય છે.
એમણે બાવીસી ઉપરાંત શેઠ, સખીદા, સંઘવી, લીવાળા, ડગલી, કપાસી, વ, વોરા, મણિયાર, તુરખિયા, પરીખ, મઠિયા, તલસાણિયા, કેડારી, લગડીવાળા, ગાંધી, શાહ, જાબુવાળા, પટવા, બકેરી (બેકરી) ઝવેરી, દોશી, કુવાડિયા, અજમેરા, ગેસલિયા, ગાડી, બગડિયા, બારભાયા, ખાટડિયા, ગોપાણી, બેલાણી, સેકસી, દસાડિયા, હકાણી, કાવિડ્યિા, કાપડિયા, ખાટસૂરિયા, મહેતા, વસાણી, સલત, નાચણિયા, દફતરી, માથુકિયા, પાટડિયા, કામદાર, બાબરિયા, રાજપરિયા, મક્કરિયા, દેસાઈ, ચીકાણી, વખારિયા, ટોળિયા, દામાણી, લાકડાવાળા, કારેલિયા, માધાણી, બંધાર, ઝોબાલિયા, નગરશેઠ, નવાબ, જરીવાલા, કચરા, વગેરે જૈન પરિવારને ઇતિહાસ તથા સામાજિક રીતરિવાજોને અભ્યાસ કર્યો છે. જેન શિલ્પ, સ્થાપત્ય અને તત્ત્વજ્ઞાનના તેઓ અભ્યાસી છે.
તેઓ સારી અને અસરકારક વસ્તૃત્વશક્તિ પણ ધરાવે છે. એમણે લાયન્સ કલબ, રોટરી કલબ, જાયન્સ કલબ, શાળા-મહાશાળાઓ તથા ઘણું સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓમાં વિવિધ વિષયે પર પ્રવચન આપ્યાં છે. એમની કેટલીક નવલિકાઓ પણ પ્રસિદ્ધ થયેલી છે.
છે. બાવીસી ઇતિહાસ અને સાહિત્યને લગતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એમણે ઈ. સ. ૧૯૭૬ થી ૧૯૮૪ સુધી ગુજરાત ઇતિહાસ પરિષદના મંત્રી તરીકે કામગીરી બજાવી છે. હાલમાં એની કાર્યવાહક સમિતિના સભ્ય છે. ઈ. સ. ૧૯૮૪ થી સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ઓલ ઇન્ડિયા હિસ્ટરી કેંગ્રેસના સભ્ય અને ગુજરાતી સાહિત્ય પરિષદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org