________________
પ૯૦ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી મણિલાલ બેચરદાસ શાહ દાનવીરે અને ધર્મવીરેની સમાજને છેલ્લા સૈકામાં જે ભેટ મળી છે. તેમાં શ્રી મણિલાલભાઈ પણ પરગજુ અને ધર્મ પ્રેમી તરીકે ઊજળી છાપ ધરાવનાર, સજજન શ્રેષ્ઠી હતા. તળાજા પાસે દાદાના વતની. જૈન જૈતનેર સંસ્થાઓના પ્રાણસમા શ્રી મણિલાલભાઈ ઘણાં વર્ષોથી ધંધાથે મુંબઈને કર્મભૂમિ બનાવી કાપડ બજારમાં અગ્રણી વ્યાપારી તરીકે એમનું સારું એવું માનપાન હતું. એ ઉદાર આત્માનું જીવન આજની યુવાન પેઢી માટે એક આદર્શ ઉદાહરણરૂપ હતું. પીડિત અને નિરાધાર માટે આધારરૂપ હતા, મિત્રો સંબંધીઓ માટે અવલંબનરૂપ હતા અને ઊગતા-આગળ વધતા વ્યવસાયીઓ માટે સાચે જ માર્ગદર્શક હતા. જેને સમાજ માટે સૌજન્ય અને સુલભ્યની દૃષ્ટિએ દૃષ્ટાંતરૂપ હતા–તેમણે તેમની કારકિર્દીમાં હંમેશાં કુટુંબીજનોને વાત્સલ્ય અને એક્તાની દિશામાં દોર્યા છે.
પિતાની વિવેકશક્તિ દ્વારા સૌને એકતાના અતૂટ બંધનમાં બાંધવાને આદેશ આપી ગયા છે. એમના એ સ્નિગ્ધ મધુર સ્વભાવને ઉચતમ વાર તેમના સુપુત્રામાં ઊતર્યો છે. તળાજા–દાદા અને અન્ય જૈન દેરાસરમાં, ચેતરફ કેળવણીની સંસ્થાઓમાં–ખાસ કરીને દાડા હાઈસ્કૂલ ઊભી કરવામાં તેમને મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. મોટી રકમનું દાન આપી નામ રોશન કર્યું છે.
આ કુટુંબના અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા જ ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના છે. પિતે તેલના મોટા વેપારી હતા અને આજે કાપડ લાઈનમાં સૌને માર્ગદર્શન આપી રહ્યા છે. દાઠામાં ચાલતી હાઈસ્કૂલમાં આ પરિવારની જ મેટી દેણગી છે.
શ્રી મણિલાલભાઈના સુપુત્ર શ્રી રજનીકાન્તભાઈ પણ દાનધર્મની પ્રવૃત્તિઓમાં હંમેશાં મેખરે રહ્યા છે. જેન સેશ્યલ ગ્રુપની પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ લે છે. ભારતમાં બધે જ જૈનતીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે.
૪૫ વર્ષના યુવાન કાર્યકર શ્રી રજનીભાઈ એ આ પ્રકાશન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org