________________
૫૮૮ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો સુશ્રાવકશ્રી મનુભાઈ શેઠની કાર્યશક્તિની કદર કરતાં પૂજ્ય આ. શ્રી ચંદ્રોદયસૂરિજી મહારાજ એક નંધમાં લખે છે કે “તેમની કાર્યશક્તિ, વ્યવસ્થાશક્તિ, પરમાર્થવૃત્તિ, અને પિતાની જાતની,
જીવનની કઈ પણ અનુકૂળ કે પ્રતિકૂળ અવસ્થાની દરકાર કર્યા વિને દીનદુઃખી અનાથની સેવામાં, પ્રભુશાસન પામેલા સાધમિકોની ભક્તિ કરવામાં અને શ્રી જિનશાસનના પ્રભાવક કોઈ પણ કાર્યો માટે પિતાનું સમર્પણ તે રીતે કરે છે કે એક સુજ્ઞમતિવાળ કર્મઠ કાર્યકર ભારતની – ગોહિલવાડની ધરતીને એક આદર્શ પુરુષ બની ચૂક્યો છે.”—શ્રી મનુભાઈ સાચા અર્થમાં કર્મવેગી પુરુષ છે.
શ્રી મનુભાઈ દલસુખભાઈ ઝવેરી
(શંખલપુર તીર્થ નિવાસી) ઉત્તર ગુજરાતની પવિત્ર ભૂમિએ જે કેટલાક શ્રદ્ધાસંપન્ન, સંસ્કારસંપન્ન અને ધર્મસંપન્ન શ્રેષ્ઠીઓની જે ભેટ ધરી છે તેમાં ભાઈશ્રી મનુભાઈ દલસુખભાઈ ઝવેરીને પણ મૂકી શકાય.
કર્મપ્રધાન ભૂમિના આ નરરત્નએ માત્ર વ્યવસાયમાં જ પિતાનું ધ્યેય કે ઇતિશ્રી માન્યા નથી, પણ સમાજ-જીવનનાં વિવિધ ક્ષેત્રને પિતાની સેવાથી નવપલ્લિત કર્યા છે. ઉત્તર-ગુજરાતના ખાંભેલ ગામમાં તા. ૩-૫–૧૯૪૧ ના માતુશ્રી કાંતાબેનની કૂખે તેમનો જન્મ થયે. ધર્મસંસ્કારનો સુંદર વારસો માતા-પિતા તરફથી મળે. ઉપરાંત ખંત, ચીવટ, ધગશ, નીતિમત્તા તથા પ્રમાણિકતા જેવા સગુણેને પણ તેમને પરિવાર-વારસો મળે. તેથી જીવનની યશસ્વી કારકિર્દી ઘડી શક્યા. બી. કોમ. કરી ચાટ એકાઉન્ટન્ટ સુધી તેમને અભ્યાસ છે. અને તેમના જ્ઞાનને સામાજિક, ધાર્મિક, કેળવણી ક્ષેત્રે લાભ આપે છે.
૧૯૬૧થી કપરા સંજોગોમાં પિતાના ઉજજવળ જીવનની કારકિર્દીના શ્રીગણેશ કર્યા. કુટુંબને અગ્રતા સમાજમાં અપાવી ૧૯દરથી જાહેર સેવાના કાર્યોની શરૂઆત કરી. જીવનમાં કાંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org