SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથે } [ ૫૮૭ બાલ્યવયથી નાટયક્ષેત્રની તાલીમ કુદરતી મેળવી પાલીતાણું રાજ્યારેહણની સિલ્વર જ્યુબિલી પ્રસંગે વિખ્યાત કવિ નાનાલાલની હાજરીમાં તેમની જ નાટિકા ગોપિકા'માંથી રાજકુમારનું પાત્ર ભજવી પ્રથમ ઇનામ પ્રાપ્ત કરી કવિશ્રીની શાબાશી પ્રાપ્ત કરેલ. જૈન સેવા સમાજની સિલ્વર જ્યુબિલી પ્રસંગે ૧૯૫૫માં કવિશ્રી ત્રાપજકરની કલમનું પ્રખ્યાત નાટક “જ્ય ચિત્તોડમાં મુખ્ય પાત્ર ભજવી કવિશ્રી તથા પ્રેક્ષકવર્ગને મુગ્ધ કરી અનેરી પ્રશંસા પ્રાપ્ત કરેલ. ભરત ચક્રવતી તથા રાણું પ્રતાપનાં પાત્ર ભજવી નાટકમાં મોખરે રહેતા. પાલીતાણા રાજ્યમાં સં. ૧૯૯૯માં ભયંકર રોગચાળે મેલેરિયા ફાટી નીકળેલ ત્યારે ડોકટર સાથે સહાયક તરીકે ગામડે ગામડે સતત દેઢ મહિને ફરી સવારથી રાત્રી સુધી સેવા આપેલ. વ્યવસાયે જથ્થાબંધ કાપડના ધંધામાં પણ સારી પ્રગતિ કરી. મિલોની સેલિંગ એજન્સી દ્વારા વેપારી વર્ગ તથા મિલોમાં સારી ચાહના પ્રાપ્ત કરેલ છે. - સેંકડો મેળાવડાઓમાં સંચાલનની અદ્ભુત શક્તિ દ્વારા સફળતાપૂર્વક સમારંભે પાર પાડવામાં પાલીતાણું તથા ભાવનગર જૈન સમાજમાં આગલી હરોળમાં તેમનું નામ વિના સંકેચે મૂકી શકાય તેવી વિવિધ ક્ષેત્રની તેમની સેવાકીય પ્રવૃત્તિઓને સચોટ પુરા છે. પપ વર્ષની ઉંમરે પણ કાર્યમાં સતત પ્રવૃત્ત રહેતા યુવાન ગણાતા મનુભાઈનું કાર્યક્ષેત્ર વિશાળ છે. અને આરોગ્યક્ષેત્રે બીમાર મધ્યમ વર્ગને લોકે માટે ઉપયોગી થવાની પ્રવૃત્તિઓમાં સારો રસ લે છે. ભારતભરનાં ઘણાં શહેર તથા જૈન યાત્રાધામ – પર્યટન દ્વારા કરી ચૂક્યા છે. મનુભાઈ શેઠને સંસ્કારવાર ઉજજ્વળ કરે તેવાં તેમનાં સંતાને છે—જેમાં મોટા પુત્ર નરેન્દ્ર શેઠ, ઇન્ડિયન જેસિઝમાં ઝોનલ પ્રેસિડેન્ટ (૧૯૮૧) તરીકે ચૂંટાઈને સારી નામના મેળવી છે. તેમનાં પત્ની અનસૂયાબહેનને તેમના વિકાસમાં હમેશાં અગ્રગણ્ય ફાળે અને પ્રોત્સાહન આપી રહેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy