________________
૫૮૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો આ બધા ગુણ્ણાને કારણે તેમનુ ધધાકીય એકમ જગતની પાંચ અગ્રગણ્ય હીરાની પેઢીએ સાથે ઊભુ` રહી શકવા સક્ષમ બન્યુ છે. શ્રી મહેતાને તેમના હીરાના ધંધામાં કુદરતી રીતે જ સફળતા પ્રાપ્ત થઈ છે. તે જ રીતે તેમણે તેમની સંપત્તિના દ્વાર પરોપકારી અને ઉમદા પ્રવૃત્તિએ માટે ખેલી નાંખ્યા છે. તેમ છતાં તેએ અત્યંત નમ્ર રહ્યા છે. તેએ નામ કે કીર્તિથી હુ ંમેશાં દૂર રહ્યા છે.
શ્રી મહેતા કહે છે કે દાનધમ તેમના વધારાના શેખ છે. તેનાથી તેમને શાંતિ અને જીવનને આનંદ મળે છે. આ શેખ હવે એટલી હદે વિકસ્યા છે કે હવે તેઓ માટાભાગે તેમાં જ રચ્યાપચ્યા રહે છે. તેમણે હવે તેમનુ ધ્યાન હીરાના ધધામાંથી ખસેડીને સંપૂર્ણ પણે વિવિધ દાનની પ્રવૃત્તિએ વધારવાની વિચારણામાં અને તે અંગેના આયેાજનમાં કેન્દ્રિત કર્યુ` છે. તેએ સનાતન પ્રેમમાં અને ભાઈચારાની ભાવનામાં માને છે. ધર્મ વિશેના તેમના ખ્યાલે સંકુચિતતાથી પર છે. તે બધા જ ધર્મોમાં શ્રદ્ધા ધરાવે છે. તેઓ આ વિશાળ વિશ્વના નાગરિક છે, બધા તેમના મિત્રેા છે અને કોઈ તેમના શત્રુ નથી. તેએ એક વિરલ વ્યક્તિ છે.
શ્રી મનુભાઈ નરાત્તમદાસ શેડ
ખચપણમાં નાટ્યકલાક્ષેત્રે અનેાખી ભૂમિકા ભજવતાં કવિ નાનાલાલે શાખાશી આપી જેમને વાંસે થાબડવો હતા.
મૂળ પાલીતાણાના શેઠ કુટુંબના પુત્ર ભાવનગરને વતન બનાવી બંને ક્ષેત્રમાં સેવાકાર્યમાં મગ્ન રહેતા મનુભાઈ શેઠે તેમના વડીલ દાદા પરમાણુ ૬ શેઠના ધાર્મિક તથા સંસ્કારના વારસે દીપાવી જાણ્યા છે.
શ્રી જૈન સેવા સમાજ પાલીતાણામાંથી ‘ સેવા ’ પાઠ ભણી હાલ પાલીતાણા-ભાવનગરની ઘણી સંસ્થાઓ સાથે સકળાયેલા છે અને આરાગ્યક્ષેત્રે બીમારીઓને ગમે ત્યારે મદદરૂપ થવા સમયના ભાગ આપી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org